Rajkot: આખરે ખેડૂતોની ફરિયાદનો અંત આવ્યો છે. હવે ખેડૂતોને સિંચાઇ માટે પાણી મળશે. રાજકોટના ધોરાજીના ભાદર-2 ડેમમાંથી (Bhadar Dam) સિંચાઇ માટે પાણી છોડવામાં આવતા ઉપલેટા અને માણાવદરના ખેડૂતોમાં આનંદ છવાયો હતો. ભાદર-2 ડેમમાંથી સિંચાઇ માટે 87 ક્યુસેક પાણી કેનાલ મારફતે છોડવામાં આવતા ખેડૂતોને હવે સિંચાઈનું પાણી મળશે. ખરીફ પાક માટે ખેડૂતોને કુલ બે પાણ પાણી મળશે. સિંચાઈ માટે પાણી છોડવામાં આવતા ધોરાજી, ઉપલેટા અને માણાવદરના 16 ગામોને સિંચાઇનો થશે લાભ. ઉલ્લેખનીય છે કે,TV9એ 7મેએ ખેડૂતોને કેનાલ મારફત સિંચાઇનું પાણી આપવા માંગ સાથે અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો.
રીબડામાં આજથી ધર્મોત્સવ-ભાઇશ્રીના વ્યાસાસને શ્રીમદ ભાગવત કથાનો પ્રારંભ
રાજકોટ ગોંડલ હાઇ વે પર આવેલા રીબડા ગામમાં આજથી (20 મે, 2022) ધર્મોત્સવની શરૂઆત થઇ છે.આજથી સાત દિવસ માટે કથાકાર ભાઇશ્રી રમેશભાઇ ઓઝાના વ્યાસાસને શ્રીમદ ભાગવત કથા જ્ઞાન યજ્ઞનો પ્રારંભ થયો છે. ગોંડલના પૂર્વ ધારાસભ્ય મહિપતસિંહ જાડેજાના યજમાન પદે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સાત દિવસની આ કથામાં સામાજિક અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહેશે.
Published On - 9:33 pm, Fri, 20 May 22