ખોડલધામ રાજકોટથી 20 કિમી દૂર શિક્ષણ-આરોગ્યનું ભવ્ય ધામ બનાવશે, નરેશ પટેલની જાહેરાત

|

Jan 21, 2022 | 11:58 AM

સમાજજોગ સંદેશામાં નરેશ પટેલે કહ્યું હતું કે વર્ષ 2011થી જ્યારથી ખોડલધામનો સંકલ્પ લીધો, ત્યારથી દરેક સમાજનો સાથ અને સહકાર મળ્યો છે. ત્યારે ખોડલધામ ટ્રસ્ટ દ્વારા ખોડલધામના પટાંગણમાં દરેક સમાજના મહાનુભાવોની પ્રતિમા મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ખોડલધામ રાજકોટથી 20 કિમી દૂર શિક્ષણ-આરોગ્યનું ભવ્ય ધામ બનાવશે, નરેશ પટેલની જાહેરાત
20 km away from Khodaldham will make a grand home of education and health: Naresh Patel

Follow us on

ખોડલધામ ખાતે પંચવર્ષીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની વર્ચ્યુલ ઉજવણી કરાઇ

ખોડલધામ કાગવડની પ્રાણ પ્રતિષ્ઠાને પાંચ વર્ષ પૂર્ણ થતા આજે ખોડલધામ ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની કોરોનાની ગાઇડલાઇન સાથે ઉજવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં નરેશ પટેલ અને તેના પરિવાર સહિત સમાજના શ્રેષ્ઠીઓની ઉપસ્થિતિમાં ધ્વજારોહણ કરવામાં આવ્યું હતુ. અને ત્યારબાદ મહાઆરતી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં નરેશ પટેલે સમાજજોગ સંબોધન કર્યું હતુ. નરેશ પટેલે કહ્યું હતું કે 2022ના ખોડલધામના સંકલ્પ તરીકે રાજકોટથી 20 કિલોમીટર દુર અમરેલી ગામ ખાતે ભવ્ય શિક્ષણ અને આરોગ્યનું ધામ બનશે જે દેશમાં નમૂનારૂપ હશે.

આ અંગે ખોડલધામ દ્વારા જમીનની ખરીદી પણ કરી લેવામાં આવી છે. અને ટૂંક સમયમાં તેનું નિર્માણ કાર્ય પણ શરૂ થશે.આ ઉપરાંત ખોડલધામ ખાતે કૃષિ યુનિવર્સિટીનું નિર્માણ થાય તેવા પ્રયત્નો રહેશે.

ખોડલધામના પટાંગણમાં દરેક સમાજના મહાપુરૂષોની પ્રતિમા મૂકાશે : નરેશ પટેલ

સમાજજોગ સંદેશામાં નરેશ પટેલે કહ્યું હતું કે વર્ષ 2011થી જ્યારથી ખોડલધામનો સંકલ્પ લીધો, ત્યારથી દરેક સમાજનો સાથ અને સહકાર મળ્યો છે. ત્યારે ખોડલધામ ટ્રસ્ટ દ્વારા ખોડલધામના પટાંગણમાં દરેક સમાજના મહાનુભાવોની પ્રતિમા મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

સોમનાથમાં ખોડલધામ ભવનનું શ્રાવણ માસમાં લોકાર્પણ કરશે

ખોડલધામ દ્વારા સોમનાથ ખાતે ખોડલધામ ભવનનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે.આ કાર્યક્રમમાં નરેશ પટેલે કહ્યું હતું કે આ નિર્માણ કાર્યની કામગીરી અંતિમ ચરણોમાં છે અને શ્રાવણ માસના પ્રથમ સોમવારે તેનું લોકાર્પણ થશે.

સમાજના આગેવાન મજબુત હોવા જોઇએ : નરેશ પટેલની ટકોર

સમાજજોગ સંબોધનમાં નરેશ પટેલે કેટલીક માર્મિક ટકોર પણ કરી હતી. જેમાં કહ્યું હતું કે સમાજના આગેવાન મજબુત હોવા જોઇએ,જે સમાજના પ્રશ્નોને વાંચા આપે,સમાજના પ્રશ્નોના નિરાકરણ લાવે.મજબુતની સાથે સમાજના આગેવાન પ્રમાણિક હોવા જોઇએ તેવી પણ ટકોર કરી હતી.રાજકારણમાં જોડાવા અંગે ફરી નરેશ પટેલે એક જ રાગ આલાપ્યો હતો સમય આવ્યે જણાવીશ. પરંતુ આ જાહેરાત ખોડલધામના પ્લેટફોર્મ પરથી ક્યારેય નહિ કરૂ તેવુ કહ્યું હતું.


આ પણ વાંચો : ખોડલધામ કાગવડના પંચવર્ષીય પાટોત્સવની વર્ચ્યુઅલી ઉજવણી, 10 હજારથી વધુ LED સ્ક્રીન પર જીવંત પ્રસારણ થશે

આ પણ વાંચો : કાગવડ ખોડલધામના મહાયજ્ઞના યજમાન બન્યા એક સામાન્ય ખેડૂત, જાણો શા માટે તેમને જ આ લ્હાવો મળ્યો

Published On - 11:57 am, Fri, 21 January 22

Next Article