RAJKOT : કોરોનામાં સુગંધ ન આવે તો શું કરવું ? સ્વાદ માટે પણ છે આયુર્વેદમાં સરળ ઉપચાર

|

Apr 26, 2021 | 4:37 PM

RAJKOT : કોરોનાના કપરા કાળમાં અનેક લોકો હોમઆઇસોલેટ થઇ રહ્યા છે. ત્યારે રાજકોટની આર્યુવેદિક હોસ્પિટલના વડા ડો.જયેશ પરમારે લોકોને મેડીસીનની સાથે કેટલાક આર્યુવેદિક ઉપચાર કરવાની પણ સલાહ આપી છે.

RAJKOT : કોરોનામાં સુગંધ ન આવે તો શું કરવું ? સ્વાદ માટે પણ છે આયુર્વેદમાં સરળ ઉપચાર
પ્રતિકાત્મક તસ્વીર

Follow us on

RAJKOT : કોરોનાના કપરા કાળમાં અનેક લોકો હોમઆઇસોલેટ થઇ રહ્યા છે. ત્યારે રાજકોટની આર્યુવેદિક હોસ્પિટલના વડા ડો.જયેશ પરમારે લોકોને મેડીસીનની સાથે કેટલાક આર્યુવેદિક ઉપચાર કરવાની પણ સલાહ આપી છે.

ડૉ.જયેશ પરમારે કોરોનામાં આપી આયુર્વેદ ઉપચારની સલાહ

આર્યુવેદિક ઉપચાર-
સુગંધ ન આવે તો ગાયના ધીને નવસેકુ તાપીને તેના બે ટીંપા નાકમાં નાખવા
સ્વાદ ન આવે તો જીરૂ અને ખાંડને થોડી સેકીને તેને ચાવવી અને તેનો રસ ગળે ઉતારવાથી સ્વાદ આવવા લાગે છે.
ઉધરસ આવે તો હળદળ અને મઘની ગોળી ખાવી,દિવસમાં ચાર થી પાંચ વખત ખાવાથી ફાયદો થશે.
વીકનેસ દુર કરવા માટે રાબ પીવી,સૂંઠ,ધી ગોળ સાથે ઘઉં અથવા બાજરીની રાબ પીવાથી નબળાઇ દૂર થશે.
ઓક્સિજન લેવલ વધારવા માટે કપૂર,અજમાને સૂંધવાથી ફાયદો થાય છે પણ તેની સાથે સાથે સૂંઠ ગોળ ધીની ગોળી ચૂસવી જે ઓક્સિજન લેવલ વધારવા માટે ખૂબ જ ઉપયોગી છે.
બાળકોને જો કોરોનાની અસર થાય અને કફ હોય તો મઘ,તુલસી અને આદુના રસ માત્રા પ્રમાણે લેવી જોઇએ..
પાચન થઇ શકે તેવો હળવો ખોરાક લેવો મગનું પાણી,મગ ભાત,ખીચડી જેવો ખોરાક લેવો જમવાનું પચી જતું હોય તો સામાન્ય ખોરાક પણ લઇ શકાય છે.
વિટામીન સી મળી રહે તેવા પ્રવાહી પદાર્થો પીવાનો આગ્રહ વધારે રાખવો..

કોરોના ન હોય તેવા દર્દીઓ પણ આ કરી શકે છે.
આખો દિવસ ગરમ પાણી પીવાનો આગ્રહ રાખવો
શક્ય હોય તો સૂંઠ નાખવી
દિવસમાં એકવાર તુલસી અને મરીનો ઉકાળો પીવો.
દિવસમાં એક વખત રાય અને મીઠાંનો નાસ લેવો જે ખૂબ જ લાભદાાયક નીવડે છે.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
આજનું રાશિફળ તારીખ 26-04-2024

મેડિકલ દવાની સાથે પણ આર્યુવેદિક ઉપચાર કરી શકાય.

ડો.જયેશ પરમારના કહેવા પ્રમાણે એલોપેથી કે હોમિયોપેથી કોઇપણ પેથીની દવા ચાલતી હોય તેની સાથે આર્યુવેદિક ઘરેલું ઉપચાર કરી શકાય છે.આ કરવાથી દર્દીની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થશે અને તેઓ જલદી રોગમુક્ત થશે. આ ઉપચારની સાથે સાથે પોઝિટિવ એનર્જી દર્દીને આપવાની પણ સલાહ આપવામાં આવી રહી છે.

Next Article