AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajkot: RMCમાં વય મર્યાદાથી નિવૃતકર્મીઓને વિદાય “માન” પીએફ, રજા પગાર એક જ દિવસમાં જમા

રાજકોટ મહાનગરપાલિકાનાં કમિશનર અમિત અરોરાએ અધિકારીઓ અને કર્મચારીઓને નિવૃત્તિના દિવસે જ પી.એફ. તેમજ જમા થયેલી હક્ક રજાનું રોકડમાં રૂપાંતર જેવા લાભો મળી જાય તે પ્રકારની પ્રણાલી અપનાવેલ છે, જેમાં ગઈકાલ તા 31-01-2022ના રોજ રાજકોટ મહાનગરપાલિકાના સાત કમર્ચારીઓ નિવૃત થતા મોમેન્ટો આપી સન્માન કરી વિદાયમાન આપ્યું હતું

Rajkot: RMCમાં વય મર્યાદાથી નિવૃતકર્મીઓને વિદાય માન પીએફ, રજા પગાર એક જ દિવસમાં જમા
RMCમાં વય મર્યાદાથી નિવૃતકર્મીઓને વિદાયમાન
Mohit Bhatt
| Edited By: | Updated on: Feb 01, 2022 | 5:20 PM
Share

રાજકોટ મહાનગરપાલિકા (Rajkot Municipal Corporation) નાં કમિશનર અમિત અરોરાએ વહીવટી તંત્રના હાથ-પગ સમા અધિકારીઓ અને કર્મચારીઓને નિવૃત્તિના દિવસે જ પી.એફ. તેમજ જમા થયેલી હક્ક રજાનું રોકડમાં રૂપાંતર જેવા લાભો મળી જાય તે પ્રકારની પ્રણાલી અપનાવેલ છે, જેમાં ગઈકાલ તા. 31-01-2022ના રોજ રાજકોટ મહાનગરપાલિકાના સાત કમર્ચારીઓ નિવૃત થતા મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ મોમેન્ટો આપી સન્માન કરી વિદાયમાન આપ્યું હતું.

ગઈકાલે પુરા થયેલા જાન્યુઆરી-2022નાં છેલ્લા દિવસે નિવૃત્ત થયેલ સ્ટાફમાં ત્રણ ફાયર બ્રિગેડ શાખાના અને ચાર સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના કર્મચારીઓ નિવૃત થયા છે જેમાં ફાયર બ્રિગેડ શાખાના ચુડાસમા અનોપસિંહ ચામુંડરાય (ડ્રાઈવર), ઝાલા જીવુભા લખુભા (ડ્રાઈવર) અને જેસાણી મહમદ વાલીભાઈ (ડ્રાઈવર) તેમજ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના મધુબેન રામજીભાઈ પરમાર (સફાઈ કામદાર), ભારતીબેન પરબતભાઈ વાઢેર (સફાઈ કામદાર), શારદાબેન ધીરુભાઈ રાઠોડ (સફાઈ કામદાર) અને રામજીભાઈ ગોવિંદભાઈ સોલંકી (સફાઈ કામદાર) નિવૃત થયા છે.

ગઈકાલે તા. 31-01-2022ના રોજ યોજાયેલા નિવૃત્તિ વિદાય સન્માન સમારોહમાં મ્યુનિ. કમિશનર અમિત અરોરાના વરદ હસ્તે કર્મચારીઓને મોમેન્ટો સન્માનિત કરવામાં આવ્યા હતાં તેમજ કર્મચારીઓના પી.એફ. અને હક્ક રજાના રોકડમાં રૂપાંતર અંગેના ચુકવણીના હુકમો તથા પી.પી.ઓ. બુકની નકલ પણ આપવામાં આવેલ હતી.

PF સહિતના રોકડ લાભો નિવૃતિના દિવસે આપવાની પરંપરા ચાલુ રહેશે

આ અવસરે કમિશનરએ તેમના વક્તવ્યમાં કહ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકાનાં હાથપગ સમા અધિકારીઓ અને કર્મચારીઓ તેમના જીવનનાં અતિ મહત્વના વર્ષો મહાનગરપાલિકાને આપે છે. નિવૃત્ત થયેલ મનપાનાં સદસ્યોએ તેમની જિંદગીનો મહત્વનો જે સમય મનપા અને રાજકોટને આપ્યો છે તે બદલ તંત્ર તેમનો આભાર વ્યક્ત કરે છે. બીજી મહત્વની બાબત એ છે કે, નિવૃત્ત થતા અધિકારી અને કર્મચારીઓને નિવૃત્તિના દિવસે જ પી.એફ. તેમજ જમા હક્ક રજા સહિતના લાભો મળી જાય એ સુનિશ્ચિત થાય એ પણ એટલું જ જરૂરી છે.જીવનના અમૂલ્ય સમય પસાર કર્યા બાદ મરણમુડી સમાન તેમના પીએફ અને રજા પગારને તેની નિવૃતિના દિવસે જ કર્મચારીઓને આપવાની પરંપરાથી કર્મચારીઓમાં ખુશીની લાગણી છે અને તેઓ આ રૂપિયાનો સદ્દ ઉપયોગ તાત્કાલિક જ કરી શકે છે.

આ તકે મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ નિવૃત થતા કર્મચારીઓને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, તમે સૌ રાજકોટ મહાનગરપાલિકા પરિવારના સદસ્ય છો અને રહેશો, આવનારા સમયમાં જયારે પણ કોર્પોરેશન પરિવારની જરૂર પડે ત્યારે કોર્પોરેશનના દ્વારા ખુલ્લા જ છે. આ પ્રસંગે મ્યુનિ. કમિશનર સહીત નાયબ મ્યુનિ. કમિશનર એ.આર.સિંહ, પર્યાવરણ ઈજનેર નીલેશ પરમાર, આસી. મેનેજર વિપુલ ધોણીયા ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચોઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો 56મો પદવીદાન સમારોહઃ વિદ્યાર્થીઓના ગોલ્ડમેડલ કરતા નેતાઓનો ભભકો વધારે જોવા મળ્યો

આ પણ વાંચોઃ Ahmedabad : ધંધુકા કિશન ભરવાડ હત્યા કેસમાં વધુ એક આરોપીની ધરપકડ

Follow Us
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર"
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ
અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ
g clip-path="url(#clip0_868_265)">