રાજકોટમાં પ્રજાસત્તાક પર્વના કવરેજ માટે સ્થાનિક પત્રકારોને 50-50 હજારના કલેક્ટરની સહીવાળા ચેક આપવા મામલે કોંગ્રેસના નેતા લલિત કગથરાએ ગંભીર આક્ષેપ કર્યા છે. કગથરાએ આડકતરી રીતે રાજ્ય સરકાર સામે આંગળી ચીંધતા આક્ષેપ કર્યો છે કે 100 ટકા કવર આપવા માટે ઉપરથી આદેશ અપાય છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રાજ્યની ભાજપ સરકાર પર નિશાન સાધતા તેમણે કહ્યું હતું કે ભાજપના જ લોકો કૌભાંડ આચરે છે અને તેમને છાવરવામાં પણ આવે છે તો મગફળી કૌભાંડનો પણ ઉલ્લેખ કરીને તેમણે કહ્યું કે કોંગ્રેસે અનેકવાર કૌભાંડો ઉજાગર કર્યા, પરંતુ કાર્યવાહી થતી નથી. તેમણે એમ પણ કહ્યું કે કોંગ્રેસનું કોઈ માનતું જ નથી.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ પણ વાંચો: VIDEO: રાજકોટમાં સારા કવરેજ માટે 8 સ્થાનિક પત્રકારોને કલેકટર દ્વારા લાંચ આપવાનો પ્રયાસ