રાજકોટનાં આજી ડેમ વિસ્તારમાં બ્રિજની સાઈડની દિવાલ ધરાશાય થવાની ઘટનામાં બે લોકોનાં મોત બાદ સરકારે મેજીસ્ટ્રેરીયલ તપાસનાં આદેશ આપ્યા છે. જિલ્લા કલેક્ટર રેમ્યા મોહનની સીધી નજર હેઠળ આ તપાસ કરવામાં આવશે કે જેમાં એક સબ કમિટિની નિમણુંક પણ કરી દેવામાં આવી છે. 15 દિવસમાં તપાસ કરીને સરકારને રીપોર્ટ સુપ્રત કર દેવાનો રહેશે. ઘટના સાથે જોડાયેલા કારણો ઘણાં ટેકનીકલ હોવાના કારણે, સુરત NIT થી એક ટીમ આજે સાંજ સુધી અથવા તો કાલ સવાર સુધીમાં રાજકોટ પહોચી જશે અને ટેકનીકલી તપાસ કરીને ઘટનાનું કારણ શોધી નાખશે. તપાસ કમિટિ દ્વારા ઘટનાનું કારણ, બેદરકારી, ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે પગલા જેવા ત્રણ મુદ્દા પર ભાર મુકવામાં આવ્યો છે. જણાવવું રહ્યું કે અગાઉ લાગતા વળગતા અધિકારીઓ દ્વારા એમ જણાવવામાં આવ્યું હતું કે ઉંદરો એ પાડેલા દરના કારણે તેમાં પાણી જવાથી આ ઘટના બની છે. જો કે આ મુદ્દે જિલ્લા કલેક્ટરે તપાસ રીપોર્ટ માટે રાહ જોવાનું કહ્યું હતું.