Porbandar: પાલિકા આકરા પાણીએ, શહેરીજનો મિલકતવેરો નહીં ભરે તો પાલિકા કાપી નાખશે પાણીનું કનેક્શન

|

Jan 26, 2023 | 11:22 PM

Porbandar: પોરબંદરમાં પાલિકા આકરા પાણીએ જોવા મળી છે. અનેક નોટિસ આપવા છતા મિલકત વેરો નહીં ભરનારા લોકો સામે હવે પાલિકા પગલા લેશે અને તેમના પાણીના કનેક્શન કાપી નાખવાની તૈયારીમાં છે.

Porbandar: પાલિકા આકરા પાણીએ, શહેરીજનો મિલકતવેરો નહીં ભરે તો પાલિકા કાપી નાખશે પાણીનું કનેક્શન
પોરબંદર નગરપાલિકા ( ફાઇલ ફોટો)

Follow us on

પોરબંદર પાલિકા વેરા વસુલાતમાં એટલી હદે આકરા પાણીએ આવી છે કે લોકોનું પાણીનું કનેક્શન જ કાપી નાખશે. શહેરના અનેક મિલકત ધારકોએ વેરો ન ભરતા પાલિકાએ નોટિસો પણ આપી, પરંતુ લોકોએ વેરા સામે જે માગ કરી તેનાથી પાલિકા અકળાઈ ગઈ તો પોરબંદર છાયા સંયુકત નગરપાલિકાએ વેરો નહીં ભરનાર નાગરિકો સામે વેરા વસૂલાતનું અભિયાન હાથ ધર્યું છે. તેની સામે નાગરિકોએ પણ પાલિકાને સવાલ કર્યા છે. લોકોનું કહેવું છે કે વેરા ઉઘરાવવામાં ઉસ્તાદ પાલિકા શહેરની સફાઈના કામો કરવામાં પહેલાં ધ્યાન આપે.

પાલિકાએ વેરો નહીં ભરનાર 7 મિલકત કરી સીલ

એક તરફ શહેરમાં ગંદકી છે, ઠેર ઠેર તૂટેલા ફૂટપાથ અને ડિવાઈડર છે. પ્રાથમિક સુવિધાઓનો પણ અભાવ છે. જોકે પાલિકા એ વાત કાને ધરવાને બદલે પોતાની પહેલ પર મકકમ છે. હાલમાં જ શહેરીજનો વેરો તાત્કાલિક ભરે તેના માટે 82 મિલકત માલિકોને વેરા બિલ આપ્યા હતા, જેમાંથી અનેક લોકોએ તો તરત જ વેરા ભરી દીધા છે તો કેટલાક ઉદાસીન લોકોએ વેરો નહિ ભરતાં પાલિકાએ 24000થી વધુ મિલકત માલિકોને નોટિસો ફટકારી અને 7થી વધુ મિલકતો સિલ પણ મારી દીધી છે. પાલિકાનું કહેવું છે કે આ કામગીરી ચાલુ રહેશે.


એક તરફ પાલિકા લાઈટ, પાણી, ગટર, સફાઈ, એજ્યુકેશન અને હાઉસ ટેક્સના વેરાની ઉઘરાણી કરે છે તો બીજી તરફ સ્થાનિક નાગરિકોનું કહેવું છે કે જરૂરી સુવિધા આપવામાં પાલિકા ઉણી ઉતરી છે અને ઢોલનગારા વગાડવાને બદલે સામાન્ય લોકોની મજબૂરી સમજી કોઈક વચલો રસ્તો કાઢવો જોઈએ.

3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024

આ પણ વાંચો: Video: પોરબંદરના રતનપર ગામે જુરીના જંગલમાં ફરી ભભુકી ઉઠી ભીષણ આગ, દૂર દૂર સુધી ઉડ્યા ધુમાડાના ગોટેગોટા

હાલ તો પાલિકા આકરા પાણીએ વેરા વસુલાતમાં જોતરાઈ છે, પરંતુ સ્થાનિકોનું માનીએ તો પૈસાદાર લોકો અને સરકારી મિલ્કતો ક્યારેય વેરા ભરતી નથી, પરંતુ તેની સામે કાર્યવાહી કરવામાં પાલિકા આંખ આડા કાન કરે છે. જો સરકારી મિલ્કતો અને બંધ પડેલા ઉદ્યોગોનો વેરો પાલિકા સમયસર વસુલ કરે તો લોકોને વધુ સુવિધા અને સુખાકારી મળી રહે.

ઈનપુટ ક્રેડિટ- હિતેશ ઠકરાર- પોરબંદર

Next Article