ગુજરાતી ફિલ્મ જગતના સુપર સ્ટાર નરેશ કનોડિયાના અવસાનને લઇ વડાપ્રધાન મોદીએ દુ:ખની લાગણી વ્યક્ત કરી છે. વડાપ્રધાન મોદીએ ટ્વીટરના માધ્યમથી શોક વ્યક્ત કરતા જણાવ્યું છે કે બે દિવસમાં જ આપણે મહેશભાઇ અને નરેશભાઇને ગુમાવ્યા છે. કલા જગત માટે તેમનું યોગદાન ખાસ કરીને ગુજરાતી ગીત સંગીત અને ચલચિત્રને લોકપ્રિય બનાવવા માટે ક્યારેય નહિ ભૂલાય, સાથે જ વડાપ્રધાને લખ્યું કે પછાત વર્ગોના સશક્તિકરણ તેમજ સમાજસેવા માટે પણ તેઓએ મહેનત કરી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો