વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીએ કેવડિયા ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી. વડાપ્રધાન મોદી બુધવારે 30 ઓક્ટોબરે રાત્રે 8.30 કલાકે નવીદિલ્હીથી અમદાવાદ આવ્યા હતા અને ગાંધીનગર રાજભવન ખાતે રાત્રી રોકાણ કર્યુ હતું.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
વડાપ્રધાનના નિર્ધારિત કાર્યક્રમ અનુસાર તેઓ સરદાર પટેલની જન્મજયંતીએ સવારે કેવડીયા ખાતે આયોજિત રાષ્ટ્રીય એકતા દિવસ પરેડમાં ઉપસ્થિત રહેશે અને સૌને રાષ્ટ્રીય એકતાના શપથ લેવડાવશે. આ રાષ્ટ્રીય એકતા પરેડમાં રાજ્ય પોલીસ દળની 5 ઉપરાંત કેન્દ્રીય દળની ટુકડીઓ માર્ચ પાસ્ટ યોજશે અને NSG, CISF, NDRF તેમજ CRPF અને ગુજરાત પોલીસ અને જમ્મુ કાશ્મીર પોલીસના સાહસ પૂર્ણ નિદર્શન યોજાવાના છે.
ત્યારબાદ વડાપ્રધાન મોદી આ અવસરનું સંબોધન પણ કરશે, તે પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી 9.50 કલાકે કેવડીયામાં નવ નિર્મિત ટેકનોલોજી ડેમોસ્ટ્રેશન સાઈટનું ઉદ્ઘાટન અને મુલાકાત કરશે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો