ઈરાન-અમેરિકા યુદ્ધને કારણે ઈરાને હોર્મુઝ ખાડી બંધ કરી દેતા LPGના ટેન્કર આવવાનું બંધ થયુ છે. જેના કારણે દેશભરમાં LPGની અછત વર્તાઈ છે. જેમા સરકારે પણ કોમર્શિયલ સિલિન્ડર પર કાપ મુકતા અછત વર્તાઈ રહી છે. ત્યારે યાત્રાધામ પાવાગઢમાં પણ ભોજનાલયના મેનુમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જે વસ્તુ બનાવવામાં વધુ ગેસ વપરાતો હોય તેને હાલ પુરતી બંધ કરી દેવામાં આવી છે. તેના બદલે જલદી તૈયાર થઈ જતી વસ્તુઓ શ્રદ્ધાળુઓને પિરસવામાં આવી રહી છે.
પાવાગઢ ભોજનાલયમાં શ્રદ્ધાળુઓને નિ:શુલ્ક ભોજન અને નાસ્તો આપવામાં આવે છે. ત્યારે હાલ ભોજનમાં દાળ-ભાત- શાક-રોટલી ચારેય વસ્તુના બદલે બે બે વસ્તુ બનાવવામાં આવે છએ અને ગેસ બચાવવા માટે તકેદારીના પગલા લેવાઈ રહ્યયા છે. ગેસનો વપરાશ ઘટાડવા માટે સ્ટીમ્ડ વસ્તુઓ બનાવવાની બંધ કરાઈ છે. તેના સ્થાને પૌહા, ઉપમા, આપવામાં આવી રહ્યા છે. અત્રે ઉલ્લેખનિય છે કે મંદિરના અન્નક્ષેત્રમાં દરરોજ બે હજારથી વધુ માઈભક્તો ભોજન પ્રસાદીનો લાભ લે છે.