રાજ્યમાં કોરોનાના કેસોને ધ્યાનમાં રાખીને આવતીકાલથી આંશિક લોકડાઉનનની શરૂઆત કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આજે લોકડાઉનના કડક નિયમો અને પ્રતિબંધોની અવધિ હતી, જે પૂરી થઈ રહી હતી. પરંતુ આ વચ્ચે કેટલીક છૂટછાટ પણ આપવામાં આવી છે. આ આંશિક લોકડાઉન આવતીકાલથી સમગ્ર રાજ્યમાં અમલી બનશે.
સવારે 9થી બપોરે 3 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રહેશે. લારી, ગલ્લા, વેપારીઓને ધંધા શરૂ કરવાની છૂટછાટ આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા જ ટીવી9 દ્વારા અહેવાલ પ્રસ્તારિત કરવામાં આવ્યો હતો કે જે વિસ્તારમાં કોરોનાના કેસો નિયંત્રણમાં છે, તે વિસ્તારમાં છુટછાટ આપવાનો નિર્ણય સરકાર લઈ શકે છે, તે અનુસંધાને જ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આ જાહેરાત કરી છે.
આ પણ વાંચો: મ્યુકરમાઈકોસીસને મહામારી જાહેર કરવા આરોગ્ય મંત્રાલયનો રાજ્યોને આદેશ
Published On - 6:25 pm, Thu, 20 May 21