કોરોના કાળમાં સ્કૂલ ફી મુદ્દે નીત નવી સ્કૂલોની મનમાની સામે આવી રહી છે. આ વખતે અમદાવાદના ઘાટલોડિયાની નાલંદા સ્કૂલની મનમાની સામે આવી છે. સ્કૂલ દ્વારા ફી ન ભરનાર વિદ્યાર્થીઓનું ઓનલાઇન શિક્ષણ બંધ કરી દેતા વાલીઓએ સ્કૂલ ખાતે વિરોધ નોંધાવ્યો છે. સ્કૂલ દ્વારા વાલીઓને ફી ભરવા દબાણ કરવામાં આવી રહ્યું છે. વાલીઓનો આક્ષેપ છે કે, દરેક કલાસમાંથી 10થી 12 વિદ્યાર્થીઓને ઓનલાઇન કલાસમાંથી રિમુવ કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત ઓનલાઇન શિક્ષણમા વિદ્યાર્થીઓને તકલીફ પડી રહી છે. સ્કૂલ દ્વારા ફી વસૂલવામાં આવે છે, પરંતુ ઓનલાઇન અભ્યાસમાં ધાંધીયા કરવામાં આવી રહ્યા છે. આ અંગે સંચાલકોએ દાવો કર્યો હતો કે, ઓનલાઇન ક્લાસમાં કોઈ ઇસ્યુ નથી. કેટલાક વાલીઓએ લોકડાઉન પહેલાની ફી નથી ભરી જેના કારણે વિદ્યાર્થીઓને રિમુવ કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો: કોરોનાના કારણે સુરતના હીરાબજારમાં વેપાર કરવાના આવ્યા નવા નિયમ, જાણો શું છે નિયમ
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો