ઉનાળા પહેલાં જ સરકારે શરૂ કર્યો પાણીનો કાપ, ખેડૂતોને સિંચાઈ માટે નહીં મળે પાણી, રાજ્યના ડેમોમાં માત્ર 10 ટકા જ પાણી

|

Mar 02, 2019 | 4:08 PM

હજુ તો ઉનાળો શરૂ પણ નથી થયો ત્યાં તો રાજ્યમાં જળસંકટના ભણકારા વાગવા લાગ્યા છે. રાજ્યના 55 ટકા ડેમોમાં માંડ 10 ટકા પાણી બચ્યું છે. જેને કારણે પાણીની તંગીના એંધાણ વર્તાઈ રહ્યા છે. રાજ્યના 203 ડેમમાંથી 113 ડેમ ખાલી છે. તો કેટલાક ડેમો સુકાવાની તૈયારીમાં છે. આ પણ વાંચો : પાકિસ્તાન સુધરવાનું નામ નથી લેતું, […]

ઉનાળા પહેલાં જ સરકારે શરૂ કર્યો પાણીનો કાપ, ખેડૂતોને સિંચાઈ માટે નહીં મળે પાણી, રાજ્યના ડેમોમાં માત્ર 10 ટકા જ પાણી

Follow us on

હજુ તો ઉનાળો શરૂ પણ નથી થયો ત્યાં તો રાજ્યમાં જળસંકટના ભણકારા વાગવા લાગ્યા છે. રાજ્યના 55 ટકા ડેમોમાં માંડ 10 ટકા પાણી બચ્યું છે. જેને કારણે પાણીની તંગીના એંધાણ વર્તાઈ રહ્યા છે. રાજ્યના 203 ડેમમાંથી 113 ડેમ ખાલી છે. તો કેટલાક ડેમો સુકાવાની તૈયારીમાં છે.

આ પણ વાંચો : પાકિસ્તાન સુધરવાનું નામ નથી લેતું, સરહદ પર શરૂ કરવામાં આવેલા ગોળીબારમાં 3 નાગરિકના મોત

હાલ આ જળાશયોમાં માંડ 10 ટકા પાણી છે. જ્યારે 65 ડેમોમાં 10 થી 50 ટકા જેટલું જ પાણી બચ્યું છે. જો કે, રાજ્યના લોકો માટે એ રાહતની વાત છે કે સરદાર સરોવર ડેમમાં વર્ષ 2018ની સરખામણીમાં આ વર્ષે 8.8 ટકા વધારે પાણી છે. સરદાર સરોવર ડેમમાં 9,460 MCM પાણીની ક્ષમતાની સામે 4.305 મિલિયન ક્યુબિક મીટર પાણી હતું.

3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024

કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતની સ્થિતિ ગંભીર છે કારણ કે આ વિસ્તારોમાં આવેલા ડેમો માત્ર 18 ટકા ભરેલા છે. મધ્ય ગુજરાતમાં 17 ડેમોમાં માત્ર 56.39 ટકા પાણી છે. જ્યારે દક્ષિણ ગુજરાતના 13 ડેમો 8,624.78 એમસીએમ ક્ષમતાની સામે માત્ર 32.94 ટકા ભરેલા છે. બાલાસિનોર પાસે આવેલા વણાકબોરી ડેમમાં 90 ટકા પાણી છે, જ્યારે તપાર, હિરણ-1 અને ધોળીધજા ડેમ 80 ટકા ભરેલો છે. જ્યારે ધોલી ડેમ અને પિગટ ડેમ 70 થી 80 ટકા ભરેલો છે.

આ તરફ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે, સિંચાઈ માટે હવે પાણી નહિ આપવામાં આવે. વરસાદ ના આવે ત્યાં સુધી પાણીનો હવે કરકસરપુર્વક ઉપયોગ કરાશે. પીવાના પાણીની જરૂરિયાત મુદ્દે રજુઆત આવશે તો પાણી અપાશે. તેમજ રવિ સીઝનના પાક પ્રમાણે જરૂરી પાણી અપાઈ ગયું છે. રાજ્યના 4 કરોડ કરતાં વધારે નાગરિકો માટે પાણી સુરક્ષિત રખાયું હોવાનું નિવેદન કર્યું છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article