કોરોના વાયરસના વધતા સંક્રમણ વચ્ચે રાજકોટથી કોરોના વાયરસને લઇ રાહતના સમાચાર મળી રહ્યા છે. રાજકોટમાં કોરોના વાયરસના કારણે થતા મૃત્યુદરમાં ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. છેલ્લા એક -બે દિવસથી મોતના આંકમાં ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. આજે રાજકોટમાં કોરોનાના કારણે 5 વ્યકિતઓના મોત નોંધાયા છે. ઉલ્લેખનીય છે કે કોરોનાના કારણે રાજકોટમાં મૃત્યુઆંક સતત વધી રહ્યો હતો પરંતુ હવે મૃત્યુઆંકમાં ઘટાડો થતા આરોગ્ય વિભાગની ટીમે રાહતનો શ્વાસ લીધો છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો