AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દેશના રાજકરણમાં સૌથી મહત્વની બનશે ગાંધીનગર બેઠક, અમિત શાહ સામે ઉતરી શકે છે શંકર સિંહ વાઘેલા મેદાનમાં

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને લઈને નવા નવા સમીકરણો સામે આવી રહ્યા છે. જ્યાં એક તરફ ભાજપના હજી 15 ઉમેદવારોની યાદી જાહેર થઇ છે ત્યારે કોંગ્રેસ પોતાની સંપૂર્ણ યાદી જાહેર કરી શકી નથી. ત્યારે આજે એક આશ્ચર્યજનક સમાચાર મળી રહ્યા છે. ગાંધીનગર બેઠક પરથી અમિત શાહના નામની જાહેરાત કરી હતી, ત્યારે અમિત શાહ સામે શંકરસિંહ બાપુએ જંગ […]

દેશના રાજકરણમાં સૌથી મહત્વની બનશે ગાંધીનગર બેઠક, અમિત શાહ સામે ઉતરી શકે છે શંકર સિંહ વાઘેલા મેદાનમાં
Follow Us:
| Updated on: Mar 25, 2019 | 6:07 AM

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને લઈને નવા નવા સમીકરણો સામે આવી રહ્યા છે. જ્યાં એક તરફ ભાજપના હજી 15 ઉમેદવારોની યાદી જાહેર થઇ છે ત્યારે કોંગ્રેસ પોતાની સંપૂર્ણ યાદી જાહેર કરી શકી નથી. ત્યારે આજે એક આશ્ચર્યજનક સમાચાર મળી રહ્યા છે. ગાંધીનગર બેઠક પરથી અમિત શાહના નામની જાહેરાત કરી હતી, ત્યારે અમિત શાહ સામે શંકરસિંહ બાપુએ જંગ છેડી દીધો છે.

હાલ અહેવાલ મળી રહ્યા છે કે, એનસીપી ગાંધીનગર બેઠક પર પૂર્વ સીએમ શંકરસિંહ વાઘેલા અમિત શાહ સામે ચૂંટણી લડી શકે છે. રાજનીતિ સાથે જોડાયેલા સૂત્રોનું માનીએ તો ગુજરાત એનસીપીએ દિલ્હી હાઇકમાન્ડ સમક્ષ રજૂવાત કરી છે કે શંકરસિંહ વાઘેલા લોકસભા ચૂંટણીમાં મેદાનમાં ઉતારે.

આ એક કામ માટે 6.2 કરોડ રૂપિયા, તમન્નાહ ભાટિયા પાસે કેટલી સંપત્તિ છે?
દુનિયાની 10 સૌથી શક્તિશાળી intelligence agencies નું લિસ્ટ
ભારતના 8 સૌથી આલીશાન રેલવે સ્ટેશનમાં ગુજરાતનું આ સ્ટેશન, જાણો નામ
જો બ્લડ પ્રેશર અચાનક ઓછું થઈ જાય તો શું કરવું?
પત્નીએ બોલિવુડમાં આપી છે હિટ ફિલ્મો, આવો છે પરિવાર
શનિ જયંતિ પહેલા સૂર્યનું નક્ષત્ર બદલાશે, આ 3 રાશિઓનું ભાગ્ય ચમકશે

આ તરફ એવી પણ વાતો સામે આવી રહી છે કે, કોંગ્રેસનાં નેતા ડો. સી.જે. ચાવડા અમિત શાહ વિરુદ્ધ ગાંધીનગર મતવિસ્તારમાં ચૂંટણી લડી શકે છે. ગાંધીનગર સીટ પરથી શંકરસિંહ મેદાનમાં આવતા જ રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. તો બીજી બાજુ એવું પણ કહી શકાય છે કે, શંકરસિંહ ગાંધીનગર સિવાય સાબરકાંઠા બેઠક ઉપરથી પણ ચૂંટણી લડી શકે છે. શંકરસિંહ વાઘેલા મેદાનમાં આવતા હોવાની વાતથી રાજકારણમાં નવા સમીકરણ હાલ બંધાઇ રહ્યા છે.

આ પણ વાંચો : દુનિયાના સૌથી શક્તિશાળી હેલિકોપ્ટરમાં સ્થાન ધરાવતાં ‘ચિનૂક’ને આજે મળશે ભારતીય વાયુસેનામાં સ્થાન, પાકિસ્તાનમાં અત્યારથી જ ફફડાટ

ખાસ વાત એ છેકે શંકરસિંહે પોતાની રાજકીય સફર રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘથી શરૂ કરી હતી. તેમણે 1995માં ભાજપને સત્તા મળે તે માટે ઘણી મહેનત કરી હતી પરંતુ સત્તાનું સુકાન કેશુભાઇ પટેલને આપવામાં આવતા બાપુએ બળવો કર્યો હતો. જે પછી તેમણે રાષ્ટ્રીય જનતા પાર્ટી બનાવી મુખ્યમંત્રી બનીને ભાજપની સરકાર ઉથલાવી હતી. જે પછી તેઓ 1998માં કોંગ્રેસમાં જોડાયા હતાં.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

g clip-path="url(#clip0_868_265)">