નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના રાનકુવા નજીક શૈક્ષણિક પ્રવાસે નીકળેલી બસને અકસ્માત નડયો હતો. અંકલેશ્લર તાલુકાની અમ્રતપુરા શાળાના બાળકોની બસને અકસ્માત નડ્યો છે. જેમા 30થી વધુ બાળકોને ઈજાઓ થઈ છે.
આ પણ વાંચો: શાહીનબાગમાં પ્રદર્શનોની વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટમાં આજે થશે સુનાવણી
જેમને ચીખલી રેફરલ હોસ્પિટલ અને નવસારી સિવિલ હોસ્પીટલમા ખસેડીને સારવાર કરવામા આવી રહી છે. બાળકો ભરેલી બસ સાપુતારા જઈ રહી હતી તે દરમ્યાન અકસ્માત સર્જાયો હતો. વળાંક લેતી વખતે ડ્રાઈવરે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હોવાનું હાલમાં જાણવા મળી રહ્યું છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો