મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સરકારના પારદર્શક વહીવટની સિદ્ધીઓ વર્ણવી છે. અમદાવાદમાં પ્રોપર્ટી શૉને સંબોધતા મુખ્યપ્રધાને કહ્યું કે રાજ્યમાં 200 TP અને 12 DPના કામ ઝડપથી મંજૂર કરવામાં આવ્યા છે. સરકારી સિસ્ટમની જટિલતા દૂર કરીને પારદર્શક બનાવી હોવાથી એક પણ રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો નથી.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
મુખ્યપ્રધાને પોતાની પારદર્શક છબી રજૂ કરતા કહ્યું કે મારી પાસે એક ઈંચ જમીન નથી કે હું કોઈ ધંધામાં ભાગીદાર પણ નથી. સરકારી વિભાગમાં યોગ્ય માળખું ગોઠવાઈ જતાં હવે બિલ્ડરોને 15 દિવસ કે 1 મહિનામાં કામ પૂર્ણ થવાનો વિશ્વાસ છે. કામમાં વિલંબને કારણે થતો ભ્રષ્ટાચાર હવે બંધ થઈ ગયો છે.
મુખ્યપ્રધાને વિરોધીઓને ઉદ્દેશીને કહ્યું કે હું વન-ડે નહીં પરંતુ ટી-20 રમવા આવ્યો છુ. વધુમાં મુખ્યપ્રધાન રૂપાણીએ ઈમાનદાર કબૂલાત કરતાં જણાવ્યું કે સરકારી કચેરીમાં જેટલા ટેબલ એટલા અવરોધ, સરકારી કચેરીઓમાં કામમાં વિલંબ થાય છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો