સૌરાષ્ટ્રમાં ખાસ કરીને રાજકોટમા કોરોનાનો કહેર દિન પ્રતિદિન વકરી રહ્યો છે. વિતેલા 24 કલાકમાં કોરોનાની ફરિયાદને લઈને દાખલ થયેલા દર્દીઓ પૈકી 31ના મોત થયા હોવાનું બહાર આવ્યું છે. જો કે આ 31 દર્દી પૈકી કયા દર્દીનું મૃત્યુ કોરોનાને કારણે થયુ છે કે ડેથ ઓડીટ કમિટી તપાસ કરીને જાહેર કરશે.
રાજકોટમાં કોરોનાનું સંક્રમણ પણ ઝડપથી વધી રહ્યુ છે. ખુદ આરોગ્ય વિભાગના અગ્ર સચિવે રાજકોટમાં ધામા નાખીને કોરોનાને કાબૂમાં લેવા માટે તંત્ર ઉપર ભીસ વધારી હતી. આમ છતા સ્થિતિમાં કોઈ ફેર પડ્યો હોય તેવુ લાગતુ નથી.
આ પણ વાંચોઃVIDEO: રાજકોટ દાણાપીઠમાં આજથી આંશિક લોકડાઉન, 7 દિવસ દાણાપીઠમાં રહેશે લોકડાઉન
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Published On - 10:45 am, Mon, 14 September 20