સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. નર્મદા ડેમની જળસપાટી હાલમાં 136.10 મીટર પહોંચી છે. ડેમના ઉપરવાસમાંથી હાલ 2 લાખ 90 હજાર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જેના પગલે ડેમના 12 દરવાજા 2.5 મીટર સુધી ખોલી દેવામાં આવ્યા છે. ડેમમાંથી 2 લાખ 90 હજાર ક્યુસેક પાણી છોડાતા નર્મદા નદી બે કાંઠે વહેવા લાગી છે. કેવડિયાના ગોરા બ્રિજ પાણી ફરી વળતા રાહદારીઓ માટે બંધ કરી દેવામાં આવ્યો છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: SBIની ગ્રાહકોને મોટી ભેટ! હોમ લોનમાં વ્યાજ દરમાં કર્યો ઘટાડો