Gujarati NewsGujaratMehsana yuvane india ane pakistan vachche na tanav mate un security council ne lakhyo latter
ભારત અને પાકિસ્તાનના તણાવ વચ્ચે મહેસાણાના યુવકે કેમ UN સિક્યુરીટી કાઉન્સિલને લખ્યો પત્ર ?
ભારત પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલી તણાવભરી સ્થિતીમાં વિસનગરના એક યુવકે યુનાઈટેડ નેશન સિક્યુરીચટી કાઉન્સિલને પત્ર લખીને તેવી માગણી કરી છે કે દેશમાં થતાં આતંકી હુમલાઓને અટકાવે તથા તેમની વિરૂધ્ધ જરૂરી પગલા લઈને કાર્યવાહી કરવી જોઈએ. હાલમાં ભારત પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલી તણાવભરી સ્થિતિમાં વિસનગર તાલુકાના ભાન્ડુ ગામના વરુણ પટેલે યુનાઈટેડ નેશન સિક્યુરીટી કાઉન્સિલને અંગ્રેજીમાં પત્ર […]
Follow us on
ભારત પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલી તણાવભરી સ્થિતીમાં વિસનગરના એક યુવકે યુનાઈટેડ નેશન સિક્યુરીચટી કાઉન્સિલને પત્ર લખીને તેવી માગણી કરી છે કે દેશમાં થતાં આતંકી હુમલાઓને અટકાવે તથા તેમની વિરૂધ્ધ જરૂરી પગલા લઈને કાર્યવાહી કરવી જોઈએ.
હાલમાં ભારત પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલી તણાવભરી સ્થિતિમાં વિસનગર તાલુકાના ભાન્ડુ ગામના વરુણ પટેલે યુનાઈટેડ નેશન સિક્યુરીટી કાઉન્સિલને અંગ્રેજીમાં પત્ર લખીને અપીલ કરી છે કે, યુનાઈટેડ નેશન સિક્યુરીટી કાઉન્સિલ સંસ્થા ની જવાબદારી છે કે આવા આતંકી હુમલાઓ થતા અટકાવે તથા નક્કર પગલાં લઈને આવી ઘટનાઓ બંધ કરવા માટે કાર્યવાહી કરવી જોઈએ
ભારત પર હુમલાના વિરોધને લઇને યુનાઈટેડ નેશન સિક્યુરીટી કાઉન્સિલ દ્વારા પાકિસ્તાન અને બીજા આતંકી સંગઠનોને આશરો આપતા દેશોમાં ભારતીય ગુપ્તચર એજન્સીઓને સર્ચ ઓપરેશન માટે પરવાનગી આપવી જોઈએ અને તે શક્ય ના હોય તો ભારતની સેના દ્વારા કરવામાં આવતા ઓપરેશન કે સર્જીકલ સ્ટ્રાઈકને રોકવા માટે દબાણ ન કરવું જોઈએ.