મંદીના માહોલની વાતો વચ્ચે અમૂલ કંપની કરી રહી છે નફો, દૂધમાં ભાવમાં પણ નહીં થાય વધારો

|

Sep 12, 2019 | 10:08 AM

છેલ્લા ઘણા દિવસોથી જુદા જુદા માધ્યમોમાં દેશમાં મંદીનો માહોલ હોવાની વાત કરવામાં આવી રહી છે પણ શું ખરેખર ભારતમાં મંદીનો માહોલ છે, મંદી છે તો કયા ક્ષેત્રમાં જોવા મળી રહી છે, મંદીના માહોલ વચ્ચે પણ ભારતની સોથી મોટી ફૂડ કંપની કેવી રીતે કરી રહ્યું છે સફળ વેપાર. જુદા જુદા ક્ષેત્રોમાં મંદીનો માહોલ હોવાના વહેતા સમાચાર […]

મંદીના માહોલની વાતો વચ્ચે અમૂલ કંપની કરી રહી છે નફો, દૂધમાં ભાવમાં પણ નહીં થાય વધારો

Follow us on

છેલ્લા ઘણા દિવસોથી જુદા જુદા માધ્યમોમાં દેશમાં મંદીનો માહોલ હોવાની વાત કરવામાં આવી રહી છે પણ શું ખરેખર ભારતમાં મંદીનો માહોલ છે, મંદી છે તો કયા ક્ષેત્રમાં જોવા મળી રહી છે, મંદીના માહોલ વચ્ચે પણ ભારતની સોથી મોટી ફૂડ કંપની કેવી રીતે કરી રહ્યું છે સફળ વેપાર.

જુદા જુદા ક્ષેત્રોમાં મંદીનો માહોલ હોવાના વહેતા સમાચાર વચ્ચે ભારતના નાણાપ્રધાનનું એક નિવેદન આવ્યું કે પ્રાઇવેટ કેબને કારણે ઓટોમોબાઇલ ક્ષેત્રમાં વેચાણમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. જુદા જુદા સેક્ટરના નિષ્ણાંતો માની રહ્યા છે કે ભારતમાં મંદીનો માહોલ છે પણ આવા સમયે દેશની સૌથી મોટી ફૂડ કંપની ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (અમૂલ )પોતાનો વેપાર સફળતાથી કરી રહી છે અને બજેટ પછીના છેલ્લા 5 મહિનામાં અમુલે માર્કેટમાં વેપાર કરી 25 ટકા નફો કરી લીધો છે, મંદીની વાત પર ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના MD ડૉ.આર.એસ.સોઢીએ ટીવી9 સાથે ખાસ વાતચીત કરી હતી.

અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ડૉ.આર.એસ.સોઢી(MD,GCMMF અમુલ )ગયા વર્ષે અમૂલનું ટર્નઓવર 42 હજાર કરોડ રૂપિયા હતું, ચાલું વર્ષે 26 ટકાનો વધારો નોંધાયો છે, અમુલમાં કોઈ સ્લો ડાઉન નથી, બધી કેટેગરીમાં વધારો છે, મારા મત મુજબ, રિટેલરોમાં રૂપિયાની કટકી ચાલી રહી છે ,અમારા પર કોઈ ઈમ્પેક્ટ નથી આવ્યું લાંબાગાળાના વેપાર કરવા વાળા બોલી રહ્યા છે કે સેલ ઓછુ થઈ ગયું છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

પશુપાલકોની સતત એક બુમ આવી રહી છે કે પશુદાણના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. જેનું કારણ આપતા એમડી સોઢી દ્વારા જણાવવામાં આવ્યું છે કે ગયા વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે પશુદાણ બનાવવા માટે જે કાચા માલની જરૂર પડી રહી છે તેમાં સતત ભાવ વધતા હોવાને કારણે  પશુદાણના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે,જો કે અમૂલ દૂધ ખરીદતા ગ્રાહકો માટે રાહતના સમાચાર એ છે કે હાલના સમયમાં દુધના ભાવમાં કોઈ વધારો નહીં કરવામાં આવે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 9:42 am, Thu, 12 September 19

Next Article