કાશ્મીરમાં કલમ 370 હટાવ્યા બાદ પાકિસ્તાન બેબાકળું અને ડરી ગયું છે. કાશ્મીર પરથી ધ્યાન હટાવવા માટે પાકિસ્તાન હવે નવું ષડયંત્ર રચી રહ્યું છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે પાકિસ્તાને ગુજરાતની સરહદ નજીક એસએસજી(ssg) કમાન્ડો તૈનાત કર્યાં છે. પાકિસ્તાનના ઈકબાલ બાવજા પોસ્ટ ઉપર પોતાના કમાન્ડોને તૈનાત કર્યાં છે.
આ પણ વાંચો: અનુરાગ કશ્યપ ફરી એક વખત સપડાયા વિવાદમાં, sacred games-2ને લઈને નોંધાઈ ફરિયાદ
સુત્રોનું માનવું છે કે, કમાન્ડોનો ઉપયોગ ત્યાં તૈનાત ભારતીય સુરક્ષા દળો સામે ઓપરેશન કરવા થઇ શકે છે. મળતી માહિતી પ્રમાણે પાકિસ્તાનની સેનાની હરકતના પગલે ભારતીય સેના પણ હરકતમાં આવી ગઇ છે. અને આ વિસ્તારમાં સુરક્ષા પણ વધારી દીધી છે.. ઉલ્લેખનીય છે કે, ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલા સરક્રિક વિસ્તારમાં અવાનર નવાર શંકાસ્પદ પાકિસ્તાની લોકોને પકડવામાં આવ્યા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
[yop_poll id=”1″]
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો