Kheda: ડાકોરમાં અષાઢ સુદ બીજે ભગવાન જગન્નાથજીની 250મી રથયાત્રા નીકળશે

|

Jun 23, 2022 | 2:16 PM

દર વર્ષ રથયાત્રામાં પ્રભુનું ચાંદી અને પિત્તળના રથમાં વિચરણ કરાય છે. જયારે કાષ્ટનો રથ મંદિરમાં મૂકવામાં આવે છે અને તે રથ પર શ્રીજીનું અધિવાસન થાય છે.

Kheda: ડાકોરમાં અષાઢ સુદ બીજે ભગવાન જગન્નાથજીની 250મી રથયાત્રા નીકળશે
Dakor Mandir

Follow us on

છેલ્લા બે વર્ષથી કોરોનાના ગ્રહણના કારણે ડાકોર (Dakor) માં રથયાત્રા (Rathyatra) ની ઉજવણી સીમિત રહી હતી. જેથી આ વર્ષે ખેડા (Kheda) જિલ્લાના ડાકોરમાં રાજા રણછોડજીની શાહી સવારી નીકળનાર છે ત્યારે રણછોડરાય મંદિર દ્વારા પૂરજોશમાં તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. આ વર્ષ 250મી રથયાત્રા નીકળશે. જેમા પ્રભુને દૈદિપ્યમાન શ્રૃંગાર, વસ્ત્રો ધારણ કરાવવામા આવનાર છે . પ્રભુના અવર્ણનીય સ્વરુપના દર્શન કરવા રથયાત્રામાં હજારોની સંખ્યામાં ભાવિકજનો ઉમટી પડતા હોય છે ત્યારે ડાકોર મંદિરની રથયાત્રામાં ત્રણ પૈકી ચાંદી, પિત્તળ અને કાષ્ટનો રથ મુખ્ય છે. રથના મરામત અને રંગકામની કામગીરી હાલમાં કરવામાં આવી રહી છે. ભગવાનના વિચરણ કરવાના રથ ઉપરાંત રથયાત્રામાં ઉપયોગમાં લેવાતા સાધનો, ઓજારોને પણ રંગકામ કરવામાં આવી રહ્યું છે. દર વર્ષ રથયાત્રામાં પ્રભુનું ચાંદી અને પિત્તળના રથમાં વિચરણ કરાય છે. જયારે કાષ્ટનો રથ મંદિરમાં મૂકવામાં આવે છે અને તે રથ પર શ્રીજીનું અધિવાસન થાય છે. રથયાત્રાની પૂર્વતૈયારીનું મંદિરમાં શ્રદ્વા અને આનંદભેર કામગીરી થઇ રહ્યાનું જોવા મળી રહ્યું છે.

ડાકોરમાં રથયાત્રાના દિવસે સૌ પ્રથમ સવારે ભગવાન રાજા રણછોડજીની મંગળા આરતી થશે, મંગળા આરતી બાદ ભગવાનને કેસર સ્નાન કરાવવામાં આવશે, કેસર સ્નાન પછી ભગવાનને ભોગ ધરાવવામાં આવે છે. ત્યારબાદ નવ વાગ્યાના અરસામાં રણછોડરાયજીનું બાળ સ્વરૂપ ગોપાલ ગોપાલલાલજી મહારાજનું ઘુમ્મટમાં રથ લાવી કરવામાં આવશે. ત્યારબાદ ભગવાનને ઘુમ્મટમાં જ 11 પરિક્રમા કરાવવામાં આવશે, દસ વાગ્યાના અરસામાં ભગવાન નગરચર્યાએ નીકળશે, જેમાં સૌપ્રથમ ભગવાન તેમની ગૌશાળા એટલે કે લાલબાગે પહેલો પડાવ કરી ત્યાં ભગવાનની આરતી કરવામાં આવશે અને ભોગ ધરાવવામાં આવશે. ત્યારબાદ ભગવાનના રથ ત્યાંથી નીકળી વડા બજારમાં થઈ ભરત ભુવનવાળા રસ્તેથી નરસિંહ ટેકરી પહોંચશે. ત્યાં પણ ભગવાનનો બીજો પડાવ કરવામાં આવશે. ત્યાં ગોપાલલાલજીની આરતી થશે અને પ્રસાદ ધરાવવામાં આવશે.

ત્યારબાદ ભગવાન રાધાકુંડે પહોંચી ત્યાં રાધાજીની મુલાકાત લેશે. ત્યાં પણ ભગવાનને આરતી અને ભોગ ધરાવવામાં આવશે. ત્યારબાદ ભગવાન ત્યાંથી હાથી પર બિરાજમાન થઈ દશામાતાના મંદિરે થઈ મુખાતલાવડી પહોંચશે. અહીં પણ ભગવાનનો એક પડાવ કરવામાં આવશે. ભગવાનની આરતી અને પ્રસાદ ધરાવી ત્યાંથી ભગવાન ગાયોના વાડા જવા નીકળશે. મુખા તલાવડીથી ગાયોના વાળા ભગવાન રથમાં બિરાજીને જશે. ત્યાં આગળ ભગવાન તેમની ગાયોની મુલાકાત લેશે. ત્યારબાદ ત્યાં ભગવાનની આરતી અને પ્રસાદ ધરાવવામાં આવશે. ત્યાંથી રથમાં નીકળી ભગવાન રણછોડપુરા પહોંચશે.

વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?

રણછોડપુરા પણ એક પડાવ કરી આગળ વધી ભગવાન માખણીયા આરે પહોંચી ભગવાન ત્યાં પણ બિરાજમાન થઈ ભગવાનની આરતી થશે. ત્યાંથી કેવડેશ્વર મહાદેવ પહોંચી કેવડેશ્વર મહાદેવથી ભગવાનને હાથી પર બિરાજમાન કરી વેરાઈ માતાના મંદિરે થઈ ભગવાન લક્ષ્મીજી મંદિરે પહોંચી લક્ષ્મીજીની મુલાકાત લઇ પોતાના નિવાસ સ્થાન એટલે કે નિજ મંદિરમાં આવશે. મંદિરે આવી સૌપ્રથમ ભગવાનની ઇન્ડિ પિંડી એટલે કે નજર ઉતારવામાં આવશે.

Next Article