Junagadh: ગાંઠિલા ઉમિયાધામ પાટોત્સવમાં નરેશ પટેલની હાજરી, લેઉવા-કડવા પાટીદારને એક કરવાની માતાજીને પ્રાર્થના કરી

મહત્વનું છે કે નરેશ પટેલ સિદસરની જેમ આ કાર્યક્રમમાં પણ મુખ્યમંત્રીના કાર્યક્રમથી અંતર જાળવ્યું હતું,આ અંગે નરેશ પટેલે અન્ય કાર્યક્રમમાં વ્યસ્તતાનું બહાનું આગળ ધર્યું હતું. માતાજીના દર્શન આરતી કરી તરત રવાના થઈ ગયા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 10, 2022 | 1:03 PM

જૂનાગઢ (Junagadh) ગાંઠિલા ઉમિયાધામ (Umiyadham) ખાતે 14માં પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.આજે પાટોત્સવના દિવસે ખોડલધામ (Khodaldham) ના ચેરમેન નરેશ પટેલ (Naresh patel) ઉપસ્થિત રહ્યા હતા.નરેશ પટેલે માતાજીના દર્શન આરતી કરી હતી.આ કાર્યક્રમમાં નરેશ પટેલે લેઉવા અને કડવા પાટીદારને એક થવાની વાત કરી હતી.નરેશ પટેલે કહ્યું હતું કે ઉમા-ખોડલ એક એટલે કે લેઉવા પાટીદાર અને કડવા પાટીદાર એક પાટીદાર તરીકે ઓળખાય અને એક થાય તેવી માતાજીને પ્રાર્થના કરી હતી.મહત્વનું છે કે નરેશ પટેલ સિદસરની જેમ આ કાર્યક્રમમાં પણ મુખ્યમંત્રીના કાર્યક્રમથી અંતર જાળવ્યું હતું,આ અંગે નરેશ પટેલે અન્ય કાર્યક્રમમાં વ્યસ્તતાનું બહાનું આગળ ધર્યું હતું.

ઉલ્લેખનીય છે કે આ 14 મા મહા પાટોત્સવના કાર્યક્રમમાં મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ મુખ્ય મહેમાન તરીકે હાજર રહેશે અને પીએમ મોદી બપોરે 1 વાગ્યે વીડિયો કોન્ફરન્સથી પાટીદારોને સંબોધશે. ચૂંટણી પહેલા રાજકીય નેતાઓના ગુજરાત પ્રવાસમાં એકાએક વધારો જોવા મળી રહ્યો છે. કેન્દ્રના નેતાઓ સતત અનેક કાર્યક્રમમાં હાજરી તેમજ ખાતમુર્હુત અને લોકાર્પણના આયોજનમાં સહભાગી થઈ રહ્યા છે.

નરેશ પટેલે ખોડલધામ ખાતે દલિત સમાજ સાથે બેઠક કરી હતી. સૌરાષ્ટ્રભરના દલિત સમાજના અગ્રણીઓ સાથે બેઠક કરી હતી. બપોરે 12 વાગ્યે દલિત સમાજના આગેવાન સુરેશ બથવારની આગેવાનીમાં આવેલા પ્રતિનિધિમંડળ સાથે બેઠક કરી હતી. જોકે આ બેઠક કયા મુદ્દા પર યોજવામાં આવી હતી તે અંગે કોઇ ચોખવટ કરવામાં આવી નથી.

આ પણ વાંચોઃ અમિત શાહના હસ્તે સીમા દર્શન પ્રોજેક્ટનું લોકાર્પણઃ કહ્યું, નડાબેટની પરિકલ્પના વડાપ્રધાન મોદીને કારણે સાકાર થઈ

આ પણ વાંચોઃ Porbandar : રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે આજથી માધવપુરના મેળાનો થશે પ્રારંભ, મેળાને લઈ ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Follow Us:
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
g clip-path="url(#clip0_868_265)">