જામનગરમાં ત્રણ માળની ઇમારત ધરાશાયી, 3 ના મોત 5 લોકો ઇજાગ્રસ્ત, જુઓ Video

|

Jun 23, 2023 | 9:33 PM

જામનગરમાં 3 માળની બિલ્ડીંગ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. કાટમાળમાં 11 જેટલા ફસાયા હતા. ઘટનાની જાણ ફાયર વિભાગનને થતાં પોલીસ સહિતની ટિમ ઘટના સ્થળે પહોંચી હતી. રેસક્યું કામગીરી કરવામાં આવી હતી. જેમાં 3 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે.

જામનગરમાં સાધના કોલોનીમાં ઈમારત ધરાશાયી થવાનો બનાવ સામે આવ્યો છે. આગતનાને લઈ આસપાસના વિસ્તારોમાં અફરતફરીનો માહોલ છ્વયો હતો. રેસ્ક્યુ ટીમે 8 લોકોને ઇમારત માથી બહાર કાઢ્યા હતા. હજુ પણ ફાયર વિભાગ દ્વારા લોકોની શોધખોળ કરવામાં આવી રહી છે. ઇમારતના કાટમાળમાં કુલ 11 લોકો ફસાયા હોવાની માહિતી પણ સામે આવી છે જેમાં 3 લોકોના મોત નિપજ્યાં છે. પોલીસ, ફાયર બ્રિગેડ અને રેસ્ક્યુ ટીમ દ્વારા શોધખોળ હાલ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : સુરતની વીર નર્મદ ગુજરાત યુનિવર્સિટી ફરી વિવાદમાં, ઉત્તરવહીનું ઓનલાઇન ચેકિંગનું કામ વગર ટેન્ડરે પુણેની કંપનીને સોંપ્યું હોવાનો આક્ષેપ

સાંસદ પૂનમ માડમ અને ધારાસભ્ય રિવાબા જાડેજા સ્થળ પહોંચી ચૂક્યા છે. 25 વર્ષથી વધુ જૂની ઇમારત હોવાનું સામે આવ્યું છે. સાધના કોલોનીમાં ત્રણ માળની ઈમારત ધરાશાયી થઈ હતી. 8 લોકોને બાહર કાઢી સારવાર હેઠળ ખસેડાયા હતા. જેમાં 3 લોકોના મોત થયા હોવાનું તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે.

અનંત-રાધિકાના લગ્નમાં પરફોર્મ કરશે જસ્ટીન બીબર, 7 વર્ષ બાદ ભારત આવ્યો-Video
Knowledge : કેટલા સમય પછી ચેક કરવું જોઈએ વજન? જાણો તેની સાથે જોડાયેલી વાતો
આજનું રાશિફળ તારીખ : 04-07-2024
ગંભીરને ફરી આવ્યો ગુસ્સો? પાછળથી આવીને એક વ્યક્તિનું ગળું દબાવી દીધું
કયા વિટામીનની કમીને કારણે પેટ ખરાબ થાય છે?
ગૌતમ સિંઘાનિયા પર આવ્યા આ મોટા સમાચાર...રોકેટ બન્યા Raymond Share

જામનગર  સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 9:19 pm, Fri, 23 June 23

Next Article