જામનગરમાં ત્રણ માળની ઇમારત ધરાશાયી, 3 ના મોત 5 લોકો ઇજાગ્રસ્ત, જુઓ Video

જામનગરમાં 3 માળની બિલ્ડીંગ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. કાટમાળમાં 11 જેટલા ફસાયા હતા. ઘટનાની જાણ ફાયર વિભાગનને થતાં પોલીસ સહિતની ટિમ ઘટના સ્થળે પહોંચી હતી. રેસક્યું કામગીરી કરવામાં આવી હતી. જેમાં 3 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે.

| Edited By: | Updated on: Jun 23, 2023 | 9:33 PM

જામનગરમાં સાધના કોલોનીમાં ઈમારત ધરાશાયી થવાનો બનાવ સામે આવ્યો છે. આગતનાને લઈ આસપાસના વિસ્તારોમાં અફરતફરીનો માહોલ છ્વયો હતો. રેસ્ક્યુ ટીમે 8 લોકોને ઇમારત માથી બહાર કાઢ્યા હતા. હજુ પણ ફાયર વિભાગ દ્વારા લોકોની શોધખોળ કરવામાં આવી રહી છે. ઇમારતના કાટમાળમાં કુલ 11 લોકો ફસાયા હોવાની માહિતી પણ સામે આવી છે જેમાં 3 લોકોના મોત નિપજ્યાં છે. પોલીસ, ફાયર બ્રિગેડ અને રેસ્ક્યુ ટીમ દ્વારા શોધખોળ હાલ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : સુરતની વીર નર્મદ ગુજરાત યુનિવર્સિટી ફરી વિવાદમાં, ઉત્તરવહીનું ઓનલાઇન ચેકિંગનું કામ વગર ટેન્ડરે પુણેની કંપનીને સોંપ્યું હોવાનો આક્ષેપ

સાંસદ પૂનમ માડમ અને ધારાસભ્ય રિવાબા જાડેજા સ્થળ પહોંચી ચૂક્યા છે. 25 વર્ષથી વધુ જૂની ઇમારત હોવાનું સામે આવ્યું છે. સાધના કોલોનીમાં ત્રણ માળની ઈમારત ધરાશાયી થઈ હતી. 8 લોકોને બાહર કાઢી સારવાર હેઠળ ખસેડાયા હતા. જેમાં 3 લોકોના મોત થયા હોવાનું તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે.

જામનગર  સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 9:19 pm, Fri, 23 June 23