Jamnagar ના જોડિયા પંથકમાં મુશળધાર વરસાદ, બે કલાકમાં પાંચ ઇંચ વરસાદ ખાબક્યો

|

Sep 23, 2021 | 9:32 AM

જામનગરના જોડીયા પંથકમા મુશળધાર વરસાદ વહેલી સવારથી શરૂ થયો છે. જેના પગલે જોડીયામાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે.

ગુજરાતના(Gujarat)હવામાન વિભાગની આગાહી અનુસાર સૌરાષ્ટ્રના(Saurashtra)અનેક વિસ્તારોમાં મેઘમહેર જોવા મળી રહી છે. જેમાં જામનગરના(Jamnagar) જોડીયા પંથકમા મુશળધાર વરસાદ વહેલી સવારથી શરૂ થયો છે. જેમાં બે કલાકમા 5 ઈંચ વરસાદ નોંધાયો છે. જેના પગલે જોડીયામાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. તેમજ હજુ પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જોડિયા પંથકમાં વરસાદ નોંધાતા નદી અને ડેમોમાં નવા નીર આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી ચાર દિવસ દરમિયાન વરસાદી માહોલ યથાવત્ રહેશે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં આગામી 24 કલાકમાં ભારે વરસાદની શક્યતા છે. વલસાડ, દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં ધોધમાર વરસાદ પડી શકે છે. તો ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે.

અમદાવાદમાં હળવા વરસાદી ઝાપટાં પડી શકે છે. રાજસ્થાન પર એક સર્ક્યુલેશન સર્જાયું છે. જ્યારે મધ્યપ્રદેશ પર એક સર્ક્યુલેશન સિસ્ટમ ઉભી થઈ હોવાથી સારા વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. ગુજરાતમાં હજી પણ 15 ટકા જેટલી વરસાદની ઘટ છે.

જ્યારે બુધવારે  ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક શહેરોમાં વરસાદ વરસ્યો હતો.દાહોદ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો અને નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. અંબાજીમાં વરસાદને પગલે માર્ગો પર પાણી ભરાયા હતા.

સાબરકાંઠા પંથકમાં પણ મેઘાએ જમાવટ બોલાવી.આ તરફ વડોદરાના ડભોઇ પંથકમાં પણ મેઘાએ ધમાકેદાર બેટિંગ કરી.જ્યારે મહીસાગર જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો.સુરતમાં મેઘાએ જમાવટ કરી હતી.

આ પણ વાંચો :અંબાજીમાં શુક્રવારે કરાશે મંદિર શુદ્ધિકરણ, નદીના પાણીથી મંદિર પરિસરને શુધ્ધ કરાશે

આ પણ વાંચો : વલસાડ જિલ્લાનો મધુબન ડેમ ભયજનક સપાટીએ, ડેમના 10 દરવાજા ખોલી નખાયા

Published On - 9:30 am, Thu, 23 September 21

Next Video