AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jamnagar : કાબુલથી ભારતીયોને લઇને જામનગર એરબેઝ પર પહોંચ્યુ વાયુદળનું C-17 ગ્લોબ માસ્ટર

Jamnagar : કાબુલથી ભારતીયોને લઇને જામનગર એરબેઝ પર પહોંચ્યુ વાયુદળનું C-17 ગ્લોબ માસ્ટર

Divyesh Vayeda
| Edited By: | Updated on: Aug 17, 2021 | 2:04 PM
Share

અફઘાનિસ્તાનમાં સર્જાયેલી તાલીબાની શાસનની સ્થિતિને પગલે ભારતીય લોકોને પરત લાવવામાં આવી રહ્યાં છે. ભારતના 120 લોકોને લઇને ભારતીય વિમાન c-17 જામનગર એરબેઝ પર પહોંચ્યું છે.

Jamnagar : અફઘાનિસ્તાનમાં સર્જાયેલી તાલીબાની શાસનની સ્થિતિને પગલે ભારતીય લોકોને પરત લાવવામાં આવી રહ્યાં છે. ભારતના 150 લોકોને લઇને ભારતીય વિમાન c-17 જામનગર એરબેઝ પર પહોંચ્યું છે. અફઘાનિસ્તાનમાં વિકટ પરિસ્થિતિ વચ્ચે ભારતીયોને વતન લાવવાની સરકારે કાર્યવાહી આરંભી છે. જેના ભાગરૂપે વિમાન જામનગર એરબેઝ પર પહોંચ્યું છે.

ભારતીય નાગરિકોની સુરક્ષા માટે કેન્દ્ર સરકાર હંમેશા ચિંતિત અને તત્પર હોય છે. વિદેશમાં વસતા ભારતીય નાગરિકોની સુરક્ષા પણ કેન્દ્ર સરકાર માટે ભારતમાં વસતા નાગરિકો જેટલી જ અગ્રતા ધરાવતી હોય છે. આજરોજ અફઘાનિસ્તાનથી ભારતીય નાગરિકોને એલિફન્ટ કરી પ્લેન જામનગર એરફોર્સ બેઝ પર સવા 11 કલાકની આસપાસ પહોંચ્યું હતું.

અફઘાનિસ્તાનમાં રહેલા ભારતીય નાગરિકોને તાલિબાનથી સુરક્ષિત રાખવા વતન પરત લાવવા કેન્દ્ર સરકારે તત્કાલ ભારતીય વાયુસેનાનું પ્લેન મોકલી ત્યાં વસતા ભારતીય નાગરિકોને એરલિફટ કરાવી વતન પરત લાવવાની વ્યવસ્થા કરી હતી. જેમાં ગઈકાલે એક હેલિકોપ્ટર દિલ્હી ખાતે પહોંચ્યું હતું, સાથે જ આજે એરફોર્સના વિમાન C-17 દ્વારા મોટી સંખ્યામાં અફઘાનિસ્તાનથી ભારતીય નાગરિકોને સુરક્ષિત ભારત પરત લાવવામાં આવ્યા છે.

જામનગર ખાતે આ વિમાન પહોંચતા અફઘાનિસ્તાનથી પરત આવેલ નાગરિકોની આંખોમાં હર્ષાશ્રુ ઉમટ્યા હતા, સુરક્ષિત વતન પર પહોંચતા જ ભારતીયોને હાશકારો થયો હતો. કેન્દ્ર સરકારે સતત મોનીટરીંગ કરીને આ સમગ્ર મિશન ઉપર સ્વંય દેખરેખ રાખી હતી. જામનગર ખાતે પહોંચેલા અધિકાંશ લોકો અફઘાનિસ્તાન સ્થિત ભારતની સરકારી કચેરીઓના કર્મચારીઓ અને સરકારના વિવિધ પ્રોજેકટ્સમાં કામ કરનારા કર્મીઓ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોનાના પ્રથમ તબક્કામાં પણ વિદેશોમાં વસતા ભારતીય નાગરિકોને એરલિફ્ટ કરી સુરક્ષિત ભારત લાવવામાં આવ્યા હતા તેમજ હાલ અફઘાનિસ્તાનમાં તાલિબાનોએ અરાજકતા સર્જતા ભારતીય નાગરિકોને કોઈ તકલીફ ન રહે તે માટે તત્કાલ પ્રધાનમંત્રીશ્રીએ ભારતીય નાગરિકોની સુરક્ષા હેતુ ભારતીયોને એરલિફટ કરવા મિશન મોડમાં કામગીરી હાથ ધરી હતી. જેમાં આજરોજ આશરે ૧૫૦ભરીથી વધુ ભારતીય નાગરિકો સુરક્ષિત વતન પરત ફર્યા છે.

વાયુસેના એરબેઝ ખાતે પહોંચેલું વિમાન જામનગર ખાતે ઇંધણ ભરીને દિલ્હી જવા રવાના થશે. આ સમયે જામનગર એરપોર્ટ ખાતે અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, મેયર બીનાબેન કોઠારી, ડેપ્યુટી મેયર તપનભાઇ પરમાર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન મનીષભાઈ કટારીયા, દંડક કેતનભાઈ ગોસરાણી, શાસક પક્ષના નેતા કુસુમબેન પંડ્યા, શહેર ભાજપ પ્રમુખ વિમલભાઈ કગથરા, મહામંત્રીઓ પ્રકાશભાઈ બાંભણિયા, મેરામણભાઈ ભાટુ, વિજયસિંહ જેઠવા, કલેકટર સૌરભ પારઘીએ કર્મચારીઓનું ફુલહારથી સ્વાગત કર્યું હતું.

આ તકે, પ્રાંત અધિકારી જામનગર શહેર આસ્થા ડાંગર, ડેપ્યુટી ડી.ડી.ઓ પાર્થ કોટડીયા, મામલતદાર અક્ષર વ્યાસ વગેરે અધિકારીઓ, પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા.

 

 

Published on: Aug 17, 2021 11:22 AM
g clip-path="url(#clip0_868_265)">