મગફળી, તુવર અને હવે ખાતરમાં સામે આવેલા કૌભાંડ બાદ તપાસનો ધમધમાટ આગળ વધ્યો છે. રાજકોટ, અમરેલી અને વડોદરામાં ખાતરમાં થતી ઘટને લઈ તપાસની કાર્યવાહી તેજ બની છે. રાજકોટના જેતપુરમાં તોલમાપ વિભાગે GSFCના અધિકારીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરી. કૌભાંડનો રિપોર્ટ ગાંધીનગર મોકલ્યો છે. તોલમાપ વિભાગની તપાસમાં એક ગુણીએ સરેરાશ 585 ગ્રામ ઘટ આવી છે. તો આ તરફ અમરેલીના બાબરામાં રસાયણિક ખાતર ડેપોમાં કોંગ્રેસે ખેડૂતોને સાથે રાખી ખેતરોની ગુણીઓનું ચેકિંગ કર્યું. જ્યાં સરદારની DAPની થેલીઓમાં 500 ગ્રામ ખાતરનો ઘટાડો જોવા મળ્યો.
તો આ તરફ વડોદરાના પાદરામાં પણ ખાતરની ગુણીઓનું ચેકિંગ કરાયું. જ્યાં 200 થી300 ગ્રામ વજન પ્રત્યેક ગુણીએ ઓછું આવ્યું. પાદરા કિસાન સુવિધા કેન્દ્ર પર પોલીસ અને મુખ્ય અધિકારીઓની હાજરીમાં ચેકિંગ હાથ ધરાયું હતું. જ્યાં ઓછુ વજન ધરાવતી ગુણીઓને અલગ નંબર મારીને એતત્રીત કરવામાં આવી. ચેકિંગ દરમિયાન કોઈ અરાજક્તા ના સર્જાય તે માટે ગોડાઉન બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ખડકી દેવાયો હતો.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]