ઉત્તર ગુજરાતમાં પોસ્ટ વિભાગે 4.50 લાખ સુકન્યા સમૃદ્ધિ ખાતા ખોલ્યા, 487 ગામોને સુકન્યા સમૃદ્ધિ ગ્રામ બનાવ્યા

|

Sep 22, 2024 | 5:44 PM

Sukanya Samriddhi Yojana : 'બેટી બચાવો, બેટી પઢાવો' અંતર્ગત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલ 'સુકન્યા સમૃદ્ધિ યોજના' હેઠળ, ઉત્તર ગુજરાતના 487 ગામને સુકન્યા સમૃદ્ધિ ગ્રામમાં પરિવર્તિત કરાયા છે. ઉત્તર ગુજરાતની વિવિધ પોસ્ટ ઓફિસ મારફતે દીકરીઓના 4.50 લાખ ખાતાઓ ખોલવામાં આવ્યા છે.

ઉત્તર ગુજરાતમાં પોસ્ટ વિભાગે 4.50 લાખ સુકન્યા સમૃદ્ધિ ખાતા ખોલ્યા, 487 ગામોને સુકન્યા સમૃદ્ધિ ગ્રામ બનાવ્યા

Follow us on

ઉત્તર ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં, 10 વર્ષ સુધીની દીકરીઓના ઘણા ખાતા પોસ્ટ ઓફિસમાં ખોલવામાં આવ્યા છે, તો ઘણા ગામોમાં તમામ પાત્રતા ધરાવતી દીકરીઓના ખાતા ખોલવામાં આવ્યા છે અને તેમને સંપૂર્ણ સુકન્યા સમૃદ્ધિ ગ્રામ બનાવવામાં આવ્યા છે. આજે ‘રાષ્ટ્રીય દીકરી દિવસ’ નિમિત્તે ઉત્તર ગુજરાત ક્ષેત્ર, અમદાવાદના પોસ્ટ માસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં ઉત્તર ગુજરાત ક્ષેત્રના લગભગ 500 ગામડાઓ સુકન્યા સમૃદ્ધિ ગ્રામમાં પરિવર્તિત થયા છે.

આ ગામોમાં દસ વર્ષ સુધીની તમામ પાત્રતા ધરાવતી છોકરીઓના સુકન્યા ખાતા પોસ્ટ ઓફિસમાં ખોલવામાં આવ્યા છે. આટલું જ નહીં આ ગામડાઓમાં જો કોઈ ઘરમાં દીકરીના જન્મની જાહેરાત થાય છે તો પોસ્ટમેન તરત જ તેનું સુકન્યા ખાતું ખોલાવવા ત્યાં પહોંચી જાય છે.

પોસ્ટ માસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું હતું કે દીકરીઓના આર્થિક સશક્તિકરણ તરફ લેવાયેલા આ પગલા અંતર્ગત ઉત્તર ગુજરાત પ્રદેશની પોસ્ટ ઓફિસોમાં સુકન્યા સમૃદ્ધિ યોજનાના 4.50 લાખથી વધુ ખાતા ખોલવામાં આવ્યા છે, જ્યારે સમગ્ર ગુજરાતમાં 15.22 લાખ ખાતા ખોલવામાં આવ્યા છે. ગામડાઓમાં ડાક ચૌપાલથી લઈને વિવિધ શાળાઓ સુધી ઝુંબેશ ચલાવીને તમામ પાત્રતા ધરાવતી દીકરીઓને તેની સાથે જોડવામાં આવી રહી છે.

જાણીતા ગુજરાતી ગાયક વિજય સુવાળા વિશે જાણો
50 રૂપિયાની નોટ પર મોટું અપડેટ, જાણો વિગત
સીડી વગર એક્ઝોસ્ટ ફેનમાંથી ધૂળ સાફ કરવાનો જુગાડ
ખાલી પેટ લવિંગનું પાણી પીવાથી જાણો શું થાય છે?
સારા પ્રસંગમાં દરેકના ઘરે બનતો ઘઉંના લોટનો કંસાર આ રીતે બનાવો
શું વાત કરતા કરતાં તમારો ફોન કોલ ડિસ્કનેક્ટ થઈ જાય છે? જાણો કારણ

ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાન્યુઆરી 2015 માં ‘બેટી બચાવો, બેટી પઢાવો’ અભિયાન હેઠળ સુકન્યા સમૃદ્ધિ યોજના શરૂ કરી હતી. આ હેઠળ, સુકન્યા સમૃદ્ધિ ખાતું કોઈપણ પોસ્ટ ઓફિસમાં દસ વર્ષ સુધીની છોકરીઓ માટે ઓછામાં ઓછા રૂ. 250 માં ખોલી શકાય છે.

પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું હતું કે નાણાકીય વર્ષમાં ઓછામાં ઓછા રૂ. 250 અને વધુમાં વધુ રૂ. 1.5 લાખ જમા કરી શકાય છે. આ સ્કીમમાં ખાતું ખોલાવ્યા ના 15 વર્ષ સુધી જ પૈસા જમા કરાવવાના રહેશે. જ્યારે દીકરી 18 વર્ષની થાય ત્યારે જમા રકમના 50 ટકા ઉપાડી શકાય છે અને ખાતું ખોલાવ્યાની તારીખથી 21 વર્ષ થાય પછી આખી રકમ ઉપાડી શકાય છે.. હાલમાં વ્યાજ દર 8.2 ટકા છે અને જમા રકમ પર આવકવેરા મુક્તિની પણ જોગવાઈ છે.

પોસ્ટ માસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું હતું કે સુકન્યા સમૃદ્ધિ યોજના માત્ર રોકાણનું માધ્યમ નથી, પરંતુ તે દીકરીઓના ઉજ્જવળ અને સમૃદ્ધ ભવિષ્ય સાથે પણ જોડાયેલી છે. આ યોજનાના આર્થિક, સામાજિક પરિમાણો પણ મહત્વપૂર્ણ છે. આમાં જમા રકમ ફક્ત દીકરીઓ માટે જ હશે, જે તેમના શિક્ષણ, કારકિર્દી અને લગ્નમાં ઉપયોગી થશે. આ યોજના દીકરીઓના સશક્તિકરણ દ્વારા ભવિષ્યમાં મહિલા સશક્તિકરણ અને આત્મનિર્ભર ભારતને પણ પ્રોત્સાહન આપશે.

Published On - 5:42 pm, Sun, 22 September 24

Next Article