IIM અમદાવાદના મેઈન કેમ્પસમાં આવેલી લુઈસ કહાન ડોર્મેટરી બિલ્ડીંગ તેના આર્કિટેકચરલ કામને લઈને જાણીતી છે. જર્જરિત હોવાના કારણે આ ઐતિહાસિક આ બિલ્ડીંગને તોડવાનો આઈઆઈએમ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો. પરંતુ ભારે વિવાદના કારણે આખરે આઈઆઈએમ દ્વારા આ નિર્ણયને પાછો ખેંચી લેવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે આઈઆઈએમમાં કુલ 18 ડોર્મેટરી લુઈસ કહાન બિલ્ડીંગ આવેલી છે. ત્યારે આ 18માંથી 14 બિલ્ડીંગ તોડી નવું બાંધકામ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને તે માટે આઈઆઈએમ અમદાવાદ દ્વારા ટેન્ડર અરજીઓ પણ મંગાવવામાં આવી હતી અને આઈઆઈએમ અમદાવાદના ડાયરેક્ટર દ્વારા પૂર્વ વિદ્યાર્થીઓને પણ પત્ર લખી આ અંગે જાણકારી આપવામાં આવી હતી.પરંતુ અનેક લોકો દ્વારા વિવાદ થતાં આ નિર્ણયને પાછો ખેંચવામાં આવ્યો, ઉલ્લેખનીય છે કે બોર્ડ ચેરમેન તેમજ ડિરેક્ટરને પત્ર લખી પ્રકિયા રોકવા માગ કરવામાં આવી હતી.