
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે, ગૂજરાત વિદ્યાપીઠના 72મો પદવીદાન સમારોહમાં સંબોધન કરતા વિદ્યાર્થીઓને કહ્યું કે, આઝાદી બાદ, દેશનું શિક્ષણ કેવુ હશે તે અહીં મહાત્માએ નક્કી કર્યું હતું. આ શિક્ષણ ક્ષેત્રે ગુજરાત મોડલ છે. આજકાલ યુવાઓના નવ નિર્માણને લઈને થઈ રહેલ વાતોને ધ્યાને લઈને, અમિત શાહે તેમના સંબોધનમાં એમ પણ કહ્યું કે, ગાંધીજીને વાંચશો તો ક્યારેય નવનિર્માણ શબ્દ નહીં મળે, હંમેશા પુનઃનિર્માણ વિશે જ વિચાર આપ્યા હતા.
પદવી લેનારા વિદ્યાર્થીઓને અમિત શાહે સંબોધન કરતા એવી અપીલ કરી હતી કે, ગુજરાત વિદ્યાપીઠનું પ્રાંગણ છોડતા પહેલા જીવનનું લક્ષ્ય નક્કી કરજો.તમે નક્કી કરેલ લક્ષ્ય સિદ્ધ થશે કે નહીં તેનો બોજ ના રાખતા, કામ થશે કે નહીં તે ના વિચારતા. કામ કરવા જેવું છે કે નહીં તે વિચારજો. લક્ષ્ય પોતાના માટે નહીં, દેશ માટે, સમાજ માટે, લોકો અને ગરિબ માટે નક્કી કરજો. જો લક્ષ્ય પરિવાર માટે નક્કી કરશો તો સિદ્ધ કરવામાં આવનારી તકલીફથી નિરાશ થશો.
અમિત શાહે વધુમાં એમ પણ કહ્યું કે, ગાંધીજીનો સંદેશ ગઈકાલે પણ અટલો જ સાર્થક હતો જેટલો આજે છે અને આવનારા 100 વર્ષે પણ રહેવાનો છે. ગાંધીજીએ આપેલા સંદેશનુ એક વાક્ય અહીં લખેલ છે. ગાંધીજી એ સંદેશ સ્વરૂપે કહ્યું હતુ કે મે કાંઈ નવું નથી કહ્યું જે સદીઓથી સાંભળતો આવ્યો છુ તે જ કહ્યું છે.
અમિત શાહે વધુમાં કહ્યું હતું કે, ગાંધીજીએ પોતાના જીવનમાં માપદંડ નક્કી કર્યા હતા. સાત સામાજીક પાપ નક્કી કર્યા હતા. વિદ્યાર્થીઓ આ સાત સિદ્ધાંત વિહીન રાજનીતિ પાપ છે. સ્વંય માટે હોય તે એક પ્રકારે પાપી છે. નૈતિકતા વિહીન ધંધો ઘનપશુ બની જશો. વિવેક વિહીન જ્ઞાન-ભોગ. ચરિત્ર વિહીન જ્ઞાન, માનવતા વિહીન વિજ્ઞાન. ત્યાગ વિનાની ઉપાસના પાપ સમાન છે. આ સાત સામાજીક પાપ યાદ રાખવા જોઈએ. આપણે મહાન વ્યક્તિ નથી કે આ સાત પાપમાંથી એક પણ ના કરીએ. થઈ જાય તો તેનુ પ્રાયશ્ચિત પણ દર્શાવ્યા છે.
Published On - 7:31 pm, Thu, 27 August 26