Mata Laxmiને પ્રસન્ન કરવા કરો આ 6 ઉપાય, ઘરમાં રેહશે સુખ- સમૃદ્ધિ સદાય

|

Jan 27, 2021 | 4:57 PM

કહેવાય છે Mata Laxmi ની પૂજા અર્ચના કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘરમાં સુખ-શાંતિ બની રહે છે.

Mata Laxmiને પ્રસન્ન કરવા કરો આ 6 ઉપાય, ઘરમાં રેહશે સુખ- સમૃદ્ધિ સદાય

Follow us on

કહેવાય છે Mata Laxmi ની પૂજા અર્ચના કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘરમાં સુખ-શાંતિ બની રહે છે. માતા લક્ષ્મી જેના પર પ્રસન્ન થાય છે તેના ઘરમાં સકારાત્મક ઉર્જા બની રહે છે જેના લીધે ઘરનું વાતાવરણ એક દમ સુખ-શાંતિ વાળુ બની રહે છે. ઘરની સ્ત્રીઓને ઘરની લક્ષ્મી કહેવાય છે, જો સ્ત્રીઓ દ્વારા આ કામ કરવામાં આવે તો ઘરમાં હમેશા લક્ષ્મીનો વાસ રહે છે. ચાલો જાણીએ આ વિશેષ કામ વીશે..

Mata Laxmi

ઘરની સ્ત્રીઓએ કરવું જોઈએ આ કામ-
1. ઘરના મંદિરમાં સ્ત્રીઓએ રાત્રે દિપક પ્રજ્વલિત રાખવો જોઈએ . માન્યતા છે કે જે ઘરમાં રાત્રે દિપક પ્રજ્વલિત રહે છે તે ઘરમાં હમેશા Mata Laxmi વાસ રહે છે અને ક્યારેય તે ઘરમાં ધનની કમી રહેતી નથી.
2. રાત્રે જે સમયે તમે જ્યાં સૂવો છો ત્યાં કપૂરનો ધૂપ કરી દેવો જોઈએ. આમ કરવાથી નકારાત્મક ઉર્જા ખતમ થાય છે અને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. આમ થવાથી માતા લક્ષ્મી પ્રસન્ન રહે છે સાથે સાથે પરવિવારના લોકોમાં સારો મન મેળ રહે છે.
3. મહિલાઓએ રાત્રે સુતા પહેલા તેમના ઘરના બધા વડીલોનો આશીર્વાદ લેવો જોઈએ. આને કારણે ઘરનું વાતાવરણ પણ મધુર બને છે અને માતા લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે.
4. મહિલાએ રાત્રે સરસવના દીવાને દક્ષિણ દિશામાં પ્રજ્વલિત રાખીને સૂવુ જોઈએ. આ દક્ષિણ દિશા પૂર્વજોની દિશા છે. આમ કરવાથી પૂર્વજો પ્રસન્ન થાય છે અને સ્વર્ગમાંથી તેઓ આશીર્વાદ આપે છે. જો ત્યાં દિપક પ્રગટાવો શક્ય ના બને તો ત્યાં એક નાનો બલ્બ પણ ચાલુ રાખી શકાય છે.
5. સૂતા પહેલાં ઘરને સાફ-સુફ કરવું અત્યંત જરૂરી છે. ઘરનો સામાન અસ્તવ્યસ્ત પડ્યો ન રહે તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. આમ થવાથી નકારાત્મક ઉર્જા વધે છે.
6. કેટલીય વાર એવું થાય છે કે ઘરના લોકો મેઇન ગેટ પર બુટ ચપ્પલ મૂકીને જતાં રહે છે. સૂતા પહેલાં બુટ-ચપ્પલ શુ-રેકમાં રાખી જ સૂવું જોઈએ

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

 

Next Article