બનાસકાંઠા સહિતના વિસ્તારમાં તીડના આક્રમણથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે તીડના નિયંત્રણ માટે હેલિકોપ્ટરના ઉપયોગની વાત કહી છે. નીતિન પટેલે કહ્યું કે, જરૂર પડશે તો, હેલિકોપ્ટરથી દવાનો છંટકાવ કરવામાં આવશે. છેલ્લા 5 દિવસથી બનાસકાંઠામાં તીડનો ફેલાવો થયો છે. જેને લઈને ખેતીવાડી વિભાગ તીડના નાશ માટે સક્રિય બન્યું છે. પરંતુ લાખોની સંખ્યામાં […]
Follow us on
બનાસકાંઠા સહિતના વિસ્તારમાં તીડના આક્રમણથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે તીડના નિયંત્રણ માટે હેલિકોપ્ટરના ઉપયોગની વાત કહી છે. નીતિન પટેલે કહ્યું કે, જરૂર પડશે તો, હેલિકોપ્ટરથી દવાનો છંટકાવ કરવામાં આવશે. છેલ્લા 5 દિવસથી બનાસકાંઠામાં તીડનો ફેલાવો થયો છે. જેને લઈને ખેતીવાડી વિભાગ તીડના નાશ માટે સક્રિય બન્યું છે. પરંતુ લાખોની સંખ્યામાં તીડના આક્રમણ માટે એકાએક કામગીરી મુશ્કેલ બની છે. જેનું સૌથી મોટું નુકસાન ખેડૂતોને થઈ રહ્યું છે.