PM નરેન્દ્ર મોદીના 75માં જન્મદિવસથી “સ્વસ્થ નારી, સશક્ત પરિવાર” અભિયાનનો ગુજરાત સહિત દેશભરમાં પ્રારંભ કરાશે

રાજ્યમાં અંદાજે કૂલ 1,41,037 જેટલા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પેટા આરોગ્ય કેન્દ્ર-આયુષ્માન આરોગ્ય મંદિર દ્વારા 1,00,854 પ્રાથામિક આરોગ્ય કેન્દ્ર દ્વારા 20007, શહેરી પ્રાથામિક આરોગ્ય કેન્દ્ર દ્વારા 5590, શહેરી આયુષ્માન આરોગ્ય મંદિર દ્વારા 9971 અને સામુહિક આરોગ્ય કેન્દ્ર દ્વારા 4615 જેટલા કેમ્પનો સમાવેશ થાય છે

PM નરેન્દ્ર મોદીના 75માં જન્મદિવસથી “સ્વસ્થ નારી, સશક્ત પરિવાર” અભિયાનનો ગુજરાત સહિત દેશભરમાં પ્રારંભ કરાશે
| Edited By: | Updated on: Sep 15, 2025 | 5:04 PM

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના 75 મા જન્મ દિવસ તા. 17 સપ્ટેમ્બરના રોજ ગુજરાત સહિત સમગ્ર દેશમાં “સ્વસ્થ નારી, સશક્ત પરિવાર” અભિયાનનો પ્રારંભ થશે. જેના અંતર્ગત વિવિધ આરોગ્ય વિષયક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગેની વિગતો આપતા ગુજરાત સરકારના પ્રવક્તા પ્રધાન ઋષિકેશ પટેલે કહ્યું કે, રાજ્યમાં અંદાજે કુલ 1.41 લાખ કરતાં વધુ હેલ્થ કેમ્પ યોજાશે. જેમાં 10,849 સ્પેશ્યાલિસ્ટ કેમ્પ અને 1.30,188 સ્ક્રીનીંગ કેમ્પ દ્વારા નાગરિકોને નિ:શુલ્ક આરોગ્ય સેવાઓનો લાભ અપાશે.

તેમણે વધુમાં કહ્યું કે, ગુજરાતમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તેમજ મહિલા-બાળ કલ્યાણ વિભાગ દ્વારા તા.17 સપ્ટેમ્બરથી તા. 02 ઓકટોબર, 2025 સુધી “સ્વસ્થ નારી, સશક્ત પરિવાર” અભિયાન હાથ ધરાશે. આ અભિયાન અંતર્ગત આરોગ્ય વિભાગ દ્વારા સબ સેન્ટરથી લઈને મેડિકલ કોલેજ હોસ્પિટલ સુધી સ્ત્રીઓ અને બાળકો માટે જુદા 14 જેટલા વિષયો સંબંધિત આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં આવશે. આ સેવાઓ માત્ર રોગ થયા પછીની સારવાર સુધી મર્યાદિત ન રહેતાં રોગ થતો અટકાવવા, આરોગ્ય સુધારવા અને રોગની સારવાર માટે પણ ઉપલબ્ધ કરવામાં આવશે.

કંઇ કંઇ સેવાઓનો લાભ મળશે ?

પૂર્વ પ્રસૂતિ અને પ્રસૂતા માતા સંબધિત સેવાઓ, રસીકરણ અને બાળ સ્વાસ્થ્ય સંબધિત સેવાઓ, કિશોરી સ્વાસ્થ્ય અંતર્ગત એનીમિયા અને માસિક સ્વચ્છતા સંબધિત સેવાઓ, ડાયાબિટીસ, બી.પી, જેવા બિન ચેપી રોગો , ઓરલ, સર્વાઇકલ અને બ્રેસ્ટ કેન્સરનું સ્ક્રીનિંગ અને સારવાર સંબધિત સેવાઓ, સિકલ સેલ રોગ માટેનું સ્ક્રીનિંગ અને સારવાર, ટીબી, માનસિક સ્વાસ્થય, આંખ, ENT સેવાઓ અને ડેન્ટલ સંબધિત સેવાઓ, મેદસ્વિતા જાગૃતિ, દેહદાન, અંગદાન જાગૃતિ, આયુષ સેવાઓને સાંકળીને જેરિયાટ્રિક (વયોવૃધ્ધ નાગરિકો માટે) કેર, આયુષ્યમાન ભારત અને વય વંદન કાર્ડ સંબધિત સેવાઓ, રક્તદાન શિબિરો અને જાગૃતિ વિગેરે જેવી સેવાઓ આપવામાં આવશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મ દિવસ નિમિત્તે રાજ્યમાં અંદાજે કૂલ 1,41,037 જેટલા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પેટા આરોગ્ય કેન્દ્ર-આયુષ્માન આરોગ્ય મંદિર દ્વારા 1,00,854 પ્રાથામિક આરોગ્ય કેન્દ્ર દ્વારા 20007, શહેરી પ્રાથામિક આરોગ્ય કેન્દ્ર દ્વારા 5590, શહેરી આયુષ્માન આરોગ્ય મંદિર દ્વારા 9971 અને સામુહિક આરોગ્ય કેન્દ્ર દ્વારા 4615 જેટલા કેમ્પનો સમાવેશ થાય છે

આમ રાજ્યમાં 10,849 સ્પેશ્યાલિસ્ટ કેમ્પ અને 1,30,188 સ્ક્રીનીંગ કેમ્પનું આયોજન કરીને નાગરિકોને નિ:શુલ્ક આરોગ્ય સેવાઓનો લાભ આપવામાં આવશે.

નરેન્દ્ર દામોદરદાસ મોદી (જન્મ: 17 સપ્ટેમ્બર 1950) ભારતના 14મા વડાપ્રધાન છે. તેઓ ગુજરાત રાજ્યના મુખ્ય પ્રધાન પણ રહી ચૂક્યા છે. ગુજરાતના મુખ્ય પ્રધાન બન્યા તે પહેલા તેઓ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહામંત્રી તરીકે પણ રહી ચૂક્યા છે.