ઉત્તરાખંડમાં ફસાયેલા ગુજરાતીઓ સલામત, યાત્રાળુઓને પરત લાવવા સરકાર કાર્યરત

સીએમ ભૂપેન્દ્ર પટેલે ઉત્તરાખંડમાં ફસાયેલા ગુજરાતીઓ અંગે ઉત્તરાખંડના સીએમ સાથે વાત કરી હતી. સીએમે આ વાતચીત બાદ ટ્વિટ કર્યુ કે ઉત્તરાખંડમાં થયેલી ભારે હિમવર્ષાને કારણે રાજ્યના યાત્રિકો ફસાયા છે તેના માટે તત્કાલ વ્યવસ્થા શરુ કરવામાં આવેલ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 19, 2021 | 1:37 PM

ચારધામ યાત્રામાં ગુજરાતના હજારો પ્રવાસીઓ જુદા-જુદા સ્થળે અટવાયા છે. આ ફસાયેલા યાત્રાળુ અંગે ગુજરાત સરકાર ત્વરિત એક્શનમાં આવી છે. રાજ્યના મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી અને યાત્રાધામ પ્રધાન પૂર્ણેશ મોદીએ ઉત્તરાખંડના સ્થાનિક અધિકારીઓ સાથે સંપર્ક કર્યો, જે બાદ ગુજરાત સરકારે ઈમરજન્સી ઓપરેશન સેન્ટરનો હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે, આ ઈમરજન્સી નંબર પરથી યાત્રાળુઓના ચિંતિત સ્વજનોને તમામ માહિતી મળી રહેશે, મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ દાવો કર્યો કે ગુજરાતના પ્રવાસીઓને સલામત સ્થળોએ આશરો અપાયો છે, ઉત્તરાખંડ સરકારે યાત્રાળુઓની રહેવા, જમવાની વ્યવસ્થા કરી છે, કેટલાક રસ્તામાં ફસાયેલા યાત્રાળુઓને પણ સલામત સ્થળે ખસેડાયા છે, ગુજરાત સરકાર તમામ યાત્રાળુઓને સહી-સલામત પરત ફરવા લાવવા કટિબદ્ધ છે.

સીએમ ભૂપેન્દ્ર પટેલે ઉત્તરાખંડમાં ફસાયેલા ગુજરાતીઓ અંગે ઉત્તરાખંડના સીએમ સાથે વાત કરી હતી. સીએમે આ વાતચીત બાદ ટ્વિટ કર્યુ કે ઉત્તરાખંડમાં થયેલી ભારે હિમવર્ષાને કારણે રાજ્યના યાત્રિકો ફસાયા છે તેના માટે તત્કાલ વ્યવસ્થા શરુ કરવામાં આવેલ છે.ઉત્તરાખંડના મુખ્યપ્રધાન પુસ્કર ધામીજી સાથે સતત ટેલીફોનીક સંપર્ક ચાલુ છે.આ ઉપરાંત કેન્દ્ર સરકાર પણ પડખે રહી સૌની સલામતી માટે સતત પ્રયાસ કરી રહી છે.

“ઉત્તરાખંડમાં ફસાયેલા ગુજરાતના યાત્રીકોને પરત લાવવા માટે સરકાર તાબડતોબ કાર્યવાહી કરશે” આ નિવેદન આપ્યું છે કૃષિમંત્રી રાઘવજી પટેલે. જીહા. ઉત્તરાખંડમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનથી ચારધામ યાત્રા અટકાવવામાં આવી છે. અને તેમાં ગુજરાતના ઘણા યાત્રાળુઓ ફસાયા છે.અને ઉત્તરાખંડમાં ફસાયેલા ગુજરાતના યાત્રીકોને તમામ સુવિધાઓ આપી પરત ગૂજરાત લાવવા રાજ્ય સરકાર કટિબદ્ધ થઈ છે.

 

Follow Us:
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">