
ગુજરાત વિધાનસભામાં ગુજરાત જાહેર પરીક્ષા વિધેયક- 2023 સર્વ સંમતિથી પસાર કરવામાં આવ્યું છે. વારંવાર ફૂટતા પેપરે ગુજરાતની પરીક્ષા પધ્ધતિ પર અનેક સવાલો અને વિવાદો ઊભા કર્યા, જોકે હવે સરકારે તેની પર નો ટોલરન્સ નીતિ અપનાવી છે .ભરતી પરિક્ષામાં ગેરરીતિ અટકાવવા વિધાનસભામાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ રજૂ કરેલું વિધેયક પસાર થઈ ગયું છે. જેમાં પેપર ફોડનાર સામે કોઈ ચોક્કસ કાયદો ના હોવાના કારણે તેઓને છૂટવાનો અવસર મળતો હતો. જેના લીધે ભવિષ્યમાં કોઈ પેપર ફોડવાની હિંમત કરશે તો 10 વર્ષની સજા અને એક કરોડનો દંડ થશે
ગુજરાતમાં અવારનવાર સરકારી ભરતીના પેપરલીક થતા સરકારની ટીકા થઈ રહી હતી અને તેમાં પણ છેલ્લે જૂનિયર ક્લાર્કની પરિક્ષાનું પેપર ફૂટતા સરકાર પર દબાણ વધ્યુ. જોકે આરોપીઓેને તાબડતોડ કાર્યવાહી કરતા ઝડપી લેવામાં આવ્યા. સરકાર પર વિપક્ષે દબાણ વધાર્યુ અને સાથે જ પરિક્ષાર્થીઓના રોષને સમજતા સરકારે વિધાનસભામાં વિધેયક રજૂ કર્યુ હતું.
ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ રજૂ કર્યુ હતુ અને સાથે જ તેઓએ કહ્યુ હતુ કે તેઓ સ્વીકારે છે કે પેપર ફૂટ્યુ હતુ પરંતુ હવે આવુ ના થાય અને પરિક્ષાર્થીઓને ફાયદો થાય તેવો કાયદો બનશે. સાથે જ કહ્યુ કે સરકારે અન્ય રાજ્યોના વિધેયકોનો અભ્યાસ કરીને આ વિધેયક બનાવ્યુ હોવાની વાત કરી હતી. સરકારનું માનવું છે કે પેપરલીક મામલે હવે કાયદો બન્યો છે કોઈપણ પેપરલીક કરતા વિચારશે.
કોંગ્રેસ આ મામલે ઉગ્ર વિરોધ કરી રહી છે કોંગ્રેસના આરોપ છે કે રાજ્ય સરકારે અન્ય રાજ્યોના વિધેયકની નકલ કરી, હરિયાણા અને રાજસ્થાનના વિધેયકની કોપી કરી છે. હરિયાણા અને રાજસ્થાન સરકારે ભરતી પરીક્ષા શબ્દ વાપર્યો છે જ્યારે કે ગુજરાત સરકારે જાહેર પરીક્ષા શબ્દ જ વાપર્યો છે કોંગ્રેસ કહી રહી છે કે વિધેયક ડ્રાફ્ટ કરવામાં સરકારની ક્ષતિ રહી ગઈ છે સાથે જ સવાલ કર્યો હતો કે બોર્ડ અને કોલેજમાં ગેરરીતિ કરનારને શું પોલીસને હવાલે કરશો ?
આ પણ વાંચો : Rajkot: બજેટ પૂર્વે ચેમ્બર ઓફ કોમર્સે વેપાર ઉદ્યોગોને બુસ્ટ મળે તે માટે નવી યોજનાઓ લાગુ કરવા કરી માંગ
Published On - 9:10 pm, Thu, 23 February 23