વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી આગામી ચાર દિવસમાં છ રાજ્યોની મુલાકાત લેશે. પીએમ મોદી તેલંગાણા, તમિલનાડુ, ઓડિશા, પશ્ચિમ બંગાળ અને બિહારની મુલાકાત લેશે અને ત્યાં વિકાસ કાર્યોનો શિલાન્યાસ કરશે અને કરોડોની ભેટ આપશે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા મધ્યપ્રદેશના ગુના પહોંચશે. ભાજપે ગુનાથી કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાને ઉમેદવાર જાહેર કર્યા છે. મધ્યપ્રદેશમાં મોહન યાદવનું કેબિનેટ આજે અયોધ્યામાં રામલલ્લાના દર્શન કરશે. દેશ-દુનિયાના દરેક સમાચાર વાંચો અહીં.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ હિમાચલની રાજ્યસભા બેઠક પરથી રાજીનામું આપી દીધું છે, તેઓ ગુજરાતમાંથી રાજ્યસભાના સભ્ય જ રહેશે. મંગળવારે જ તેમણે પોતાનું રાજીનામું રાજ્યસભાના અધ્યક્ષને મોકલી આપ્યું હતું, જેને સ્વીકારી લેવામાં આવ્યું હતું.
બનાસકાંઠા જિલ્લાના દાંતામાં પોલીસે એસટી બસમાં ચેકિંગ કરતા દારુ સાથે બે શખ્શોને ઝડપ્યા હતા. અંબાજીથી રાજપીપળા જઇ રહેલી બસમાં પોલીસે ચેકિંગ હાથ ધર્યુ હતુ. અંબાજીમાં હાલમાં દારુને લઈ લોકોમાં રોષ વ્યાપી રહ્યો છે, જેને લઈ પોલીસ હાલમાં એક્શન મોડમાં દારુના સંદર્ભે જોવા મળી રહી છે. પોલીસે બે શખ્શોને ઝડપીને લઈને તપાસ શરુ કરી છે.
શિવરાત્રી પર તાજમહેલમાં પૂજાને લઈને કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. અરજી દ્વારા તાજમહેલ મુખ્ય સ્મારકમાં દુગ્ધા અભિષેક માટે કોર્ટ પાસે પરવાનગી માંગવામાં આવી છે. અરજી દાખલ કરનારાઓએ દાવો કર્યો છે કે, મુખ્ય સ્મારકની નીચે ભોંયરામાં શિવલિંગ બનાવવામાં આવ્યું છે. આ અરજી સિવિલ જજ સિનિયર ડિવિઝન કોર્ટમાં દાખલ કરવામાં આવી છે.
હિમાચલ પ્રદેશની સુખવિંદર સિંહ સુખુ સરકારે મોટી જાહેરાત કરી છે. સીએમ સુખુએ કહ્યું છે કે અમે આ નાણાકીય વર્ષમાં 18 વર્ષથી 80 વર્ષ સુધીની તમામ મહિલાઓને 1500 રૂપિયાનું માસિક પેન્શન આપવાની જાહેરાત કરીએ છીએ. આ યોજનાને ‘ઈન્દિરા ગાંધી પ્યારી બ્રાહ્મણ સુખ સન્માન નિધિ યોજના’ નામ આપવામાં આવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આજે દિલ્હીની કેજરીવાલ સરકારે રજૂ કરેલ અંદાજપત્રમાં, કેજરીવાલ સરકારે 18 વર્ષથી મોટી ઉંમરની તમામ મહિલાને પ્રતિ મહિને રૂપિયા 1000 આપવાની જાહેરાત કરી છે.
કોંગ્રેસના ધારાસભ્ય અર્જૂન મોઢવાડિયાએ ધારાસભ્ય પદેથી આજે, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું આપ્યું છે. અર્જૂન મોઢવાડિયા હવે આગામી ગણતરીના દિવસોમાં જ અર્જૂન મોઢવાડિયા ભાજપમાં જોડાશે. લોકસભાની આગામી ચૂંટણીની સાથેસાથે યોજાનાર વિધાનસભાની પેટા ચૂંટણીમાં અર્જૂન મોઢવાડિયા ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે.
અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ કોરિડોરમાં દોડતી મેટ્રો ટ્રેન, આવતીકાલ 5 માર્ચને મંગળવારથી કાંકરિયા ઇસ્ટ સ્ટેશન પેસેન્જર ઓપરેશન માટે શરૂ કરાશે. હાલમાં પૂર્વ અને પશ્ચિમ કોરિડોરમાં સવારે 6.20 થી રાતે 10 સુધી કાર્યરત છે. જેમાં સવારે 7 થી રાતે 10 સુધીના સમયગાળામાં દર 12 મિનિટના અંતરે મેટ્રો ઉપલબ્ધ હોય છે.
યુપીના બારાબંકીથી ભાજપના ઉમેદવાર ઉપેન્દ્ર સિંહ રાવતે પણ લોકસભા ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દીધો છે. રાવતે પોતે ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે. ગત શનિવારે જાહેર થયેલી ભાજપની પ્રથમ યાદીમાં, ભારતીય જનતા પાર્ટીએ બારાબંકીથી ઉપેન્દ્ર સિંહ રાવતને ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા. રાવત હાલમાં ત્યાંથી સાંસદ પણ છે.
मेरा एक एडिटेड वीडियो वायरल किया जा रहा है जो DeepFake AI तकनीक द्वारा जेनरेटेड है, जिसकी FIR मैंने दर्ज करा दी है,इसके संदर्भ में मैंने मा॰ राष्ट्रीय अध्यक्ष जी से निवेदन किया है कि इसकी जाँच करवायी जाये। जबतक मैं निर्दोष साबित नहीं होता सार्वजनिक जीवन में कोई चुनाव नहीं लड़ूँगा
— Upendra Singh Rawat (@upendrasinghMP) March 4, 2024
રાવતે સોમવારે ટ્વીટ કરીને કહ્યું, ‘મારો એક એડિટેડ વીડિયો વાયરલ થઈ રહ્યો છે જે ડીપફેક AI ટેક્નોલોજી દ્વારા જનરેટ કરવામાં આવ્યો છે, જેના માટે મેં એફઆઈઆર નોંધાવી છે. આ સંદર્ભે, મેં રાષ્ટ્રીય અધ્યક્ષને તેની તપાસ કરાવવા વિનંતી કરી છે. જાઓ. જ્યાં સુધી હું નિર્દોષ સાબિત ન થઈ જાઉં ત્યાં સુધી હું જાહેર જીવનમાં કોઈ ચૂંટણી લડીશ નહીં.
જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં સેનાના એક હેલિકોપ્ટરે ઈમરજન્સી લેન્ડિંગ કર્યું છે. હેલિકોપ્ટરને ખુલ્લા મેદાનમાં ઉતારવામાં આવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે ટેક્નિકલ ખામી બાદ હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.
જે અંબરીશ ડેર ભાજપ સામે વિકાસમાં અન્યાયની ફરિયાદ સાથે મોરચો માંડતા હતા, તે અંબરીશ ડેર હવે ભાજપમાં જોડાવા જઇ રહ્યા છે. અંબરીશ ડેરે કોંગ્રેસમાંથી રાજીનામિં આપી દીધુ છે અને આવતીકાલે ભાજપમાં જોડાવાની સત્તાવાર જાહેરાત કરી દીધી છે.
ભાજપના તમામ અગ્રણી નેતાઓ તેમના નામની આગળ મોદી પરિવાર લખશે. તેની તમામ સોશિયલ મીડિયા પ્રોફાઇલ પર ‘મારો પરિવાર મોદીનો પરિવાર’ લખશે. આ દરમિયાન જેપી નડ્ડાએ X પર તેમનો બાયો બદલ્યો છે.
ભાજપની બીજી યાદીમાં મહિલા ઉમેદવારોની સંખ્યા વધુ હોઈ શકે છે
પ્રથમ યાદીમાં 2 જ બેઠકો પર મહિલા ઉમેદવાર જાહેર કરાયા છે
ત્યારે બીજી યાદીમાં 4 થી વધુ બેઠકો પર મહિલા ઉમેદવાર હોઈ શકે છે
અત્યારે મહેસાણા,ભાવનગર,વડોદરા, છોટાઉદેપુર, સુરતમાં છે મહિલા પ્રતિનિધિત્વ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેલંગાણાના આદિલાબાદમાં રૂપિયા 56,000 કરોડથી વધુના મૂલ્યની અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું છે.
અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાંથી 19 વર્ષીય યુવક ગુમ થયા બાદ તેની લાશ મહેસાણા જિલ્લાના કડી નજીકથી મળી આવ્યો છે. 29 ફેબ્રુઆરીથી મિલન સુથાર નામનો યુવક ગુમ થયો હતો. જેને લઈ સ્થાનિક પોલીસે તપાસ શરુ કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં મામલો હત્યાનો હોવાને લઈ તપાસ શરુ કરાઈ છે.
કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું કે, દેશના યુવાનોએ એક વાતનું ધ્યાન રાખવું જોઈએ, નરેન્દ્ર મોદીનો ઈરાદો રોજગાર આપવાનો નથી. નવી જગ્યાઓ બનાવવાની વાત તો દૂર, તેઓ કેન્દ્ર સરકારની ખાલી પડેલી જગ્યાઓ પર પણ બેઠા છે. કેન્દ્ર સરકાર દ્વારા સંસદમાં રજૂ કરાયેલા આંકડાઓ પર વિચાર કરીએ તો 78 વિભાગોમાં 9 લાખ 64 હજાર પદ ખાલી છે.
देश के युवाओं एक बात नोट कर लो!
नरेंद्र मोदी की नीयत ही रोज़गार देने की नहीं है। नए पद निकालना तो दूर वह केंद्र सरकार के खाली पड़े पदों पर भी कुंडली मार कर बैठे हैं।
अगर संसद में पेश किए गए केंद्र सरकार के आंकड़ों को ही मानें तो 78 विभागों में 9 लाख 64 हज़ार पद खाली हैं।…
— Rahul Gandhi (@RahulGandhi) March 4, 2024
(Credit Sourec : @RahulGandhi)
2022માં અમેરિકામાં ઘૂસણખોરીના પ્રયાસમાં 4 ગુજરાતીઓના મોતનો કેસમાં મોટી કાર્યવાહી કરવામમાં આવી છે. ડિંગુચા પરિવારના 4 સભ્યોના મોત કેસમાં તપાસ તેજ કરવામાં આવી છે. ગુજરાતના અલગ અલગ 29 સ્થળોએ ED વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે.
આજે સોમવારે સપ્તાહના પહેલા કારોબારી દિવસે શેરબજારમાં લીલા નિશાનમાં શરૂઆત થઈ છે. મિશ્ર વૈશ્વિક સંકેતોની અસર ભારતીય બજાર પર જોવા મળી શકે છે. ગિફ્ટ નિફ્ટીએ 22500નું રેકોર્ડ સ્તર પાર કર્યું છે. એશિયન અને અમેરિકન ફ્યુચર્સ માર્કેટમાં મિશ્ર એક્શન છે. આ પહેલા શનિવારે ખાસ ટ્રેડિંગ ડે પર સેન્સેક્સ 60 પોઈન્ટના વધારા સાથે 73,806 પર બંધ થયો હતો.
ફરી એક વખત કારમાં જઇ રહેલા એક પરિવારને ગોઝારો અકસ્માત નડ્યો છે. વડોદરામાં નેશનલ હાઇવે પરથી જઇ રહેલા એક પરિવારની કારને અકસ્માત નડ્યો છે. આ અકસ્માતમાં એક જ પરિવારના 5 સભ્યોના મોત થયા છે. આ પાંચ મૃતકોમાં એક વર્ષના બાળકનો પણ સમાવેશ થાય છે. ઘટના કઇક એવી છે કે જાંબુઆનો એક પરિવાર કારમાં વડોદરા નેશનલ હાઇવે પર થઇને તરસાલી તરફ જઇ રહ્યો હતો. આ દરમિયાન કાર રોડની સાઈડમાં ઉભેલા કન્ટેનર પાછળ જોરથી અથડાઇ હતી. સુરતથી વડોદરા તરફ આવી રહેલા આ પરિવારને ખૂબ ગંભીર અકસ્માત નડ્યો હતો. આ ઘટનામાં એક જ પરિવારના 5 લોકોના મોત થયા છે. મૃતકોમાં બે મહિલા, બે પુરુષ અને 1 બાળકનો સમાવેશ થાય છે. જ્યારે 4 વર્ષની અસ્મિતા નામની બાળકીનો આબાદ બચાવ થયો છે.
એક તરફ BTPના નેતા છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવા ભાજપમાં જોડાશે તેવી ચર્ચાઓ ચાલી રહી છે અને મહેશ વસાવા પાટીલ સાથે મુલાકાત પણ કરી ચૂક્યા છે. પુત્ર મહેશ વસાવાના નિર્ણય સામે પિતા છોટુ વસાવાએ નારાજગી વ્યક્ત કરી છે. આદિવાસી મસીહા છોટુ વસાવાએ સુરતના એક લગ્ન પ્રસંગ દરમિયાન મહેશ વસાવાના નિર્ણયને લઇ નિવેદન આપ્યું છે.વસાવાએ કહ્યું કે, મહેશ નાસમજ છે અને તેમને મિસગાઇડ કરવામાં આવ્યા છે. ભાજપ કે બીજે ક્યાંય જોડાવાથી સમાજનું ભલું નહીં થાય તેવી વાત કરી હતી. આ ઉપરાંત છોટુ વસાવાએ કહ્યું કે, તેઓ RSSના વિરોધી છે.પુત્ર ભાજપમાં જાય કે બીજે ક્યાંય જોડાય તે વિરોધ કરતા રહેશે.
સ્મૃતિ ઈરાનીએ હજ સુવિધા એપ લોન્ચ કરી. મુસાફરોની સુવિધા માટે 10 ભાષાઓમાં માર્ગદર્શન ઉપલબ્ધ થશે.
યુએસ વાઈસ પ્રેસિડેન્ટ કમલા હેરિસે ગાઝામાં યુદ્ધવિરામ માટે હાકલ કરી હતી અને પેલેસ્ટિનિયનોમાં ‘અમાનવીય’ પરિસ્થિતિઓ અને ‘માનવતાવાદી આપત્તિ’ને હળવી કરવા માટે મદદ વધારવા માટે ઈઝરાયેલ પર દબાણ કર્યું હતું,
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી આગામી ચાર દિવસમાં છ રાજ્યોની મુલાકાત લેશે. પીએમ મોદી તેલંગાણા, તમિલનાડુ, ઓડિશા, પશ્ચિમ બંગાળ અને બિહારની મુલાકાત લેશે અને ત્યાં વિકાસ કાર્યોનો શિલાન્યાસ કરશે અને કરોડોની ભેટ આપશે.
Published On - 6:29 am, Mon, 4 March 24