
મોરબી: ગેરકાયદે દબાણો પર મનપાનું બુલડોઝર ફરી વળ્યું. ‘વન વીક વન રોડ’ હેઠળ દબાણ હટાવવાની કાર્યવાહી કરાઇ. નાની કેનાલ રોડ અને પંચાસર રોડપાસે દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે.
દ્વારકા: ભરશિયાળે જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલટો. ખંભાળિયાના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસ્યો. ઠંડી વચ્ચે માવઠું પડતા ફરી ખેડૂતોમાં ચિંતાનો માહોલ ફેલાયો છે. માવઠાથી રવિ પાકને નુકસાનની ભીતિ છે.
સુરતઃ કોસંબા નજીક હીટ એન્ડ રનની ઘટનામાં 2 મોત થયા છે. મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે 48 પર અકસ્માત સર્જાયો. બાઇક પર સવાર બન્ને યુવકો રોડ પર પટકાયા. ગંભીર ઈજાઓને કારણે બન્ને લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. અકસ્માત સર્જી અજાણ્યો વાહનચાલક ફરાર થયો.
ઇન્દોરના ભગીરથપુરામાં દૂષિત પાણી પીવાથી અત્યાર સુધીમાં આઠ લોકોના મોત થયા છે, જ્યારે 66 થી વધુ લોકો બીમાર પડીને હોસ્પિટલમાં દાખલ થયા છે. સ્થાનિક લોકોનો દાવો છે કે મૃત્યુઆંક ઘણો વધારે છે. મુખ્યમંત્રી મોહન યાદવે તપાસના આદેશ આપ્યા છે અને અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે. કોંગ્રેસ પાર્ટીએ સરકાર પર બેદરકારીનો આરોપ લગાવ્યો છે.
નવી દિલ્હી અને તેની આસપાસ દોડતી 104 થી વધુ ટ્રેનો મોડી પડી છે, જ્યારે બે ટ્રેનોને ડાયવર્ટ કરવામાં આવી છે.
રાજકોટમાં આંગણવાડી કેન્દ્રમાં અપાતા પોષણ અનાજને સગેવગે કરવાની શંકા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. CDPO દ્વારા સમયસર કાર્યવાહી કરીને આંગણવાડી કેન્દ્રમાંથી અનાજ લઈ જતી એક રિક્ષાને પકડી લેવામાં આવી હતી. શાળા નંબર 78માં આવેલા આંગણવાડી કેન્દ્ર બહાર થયેલી કાર્યવાહીમાં બાળશક્તિની 17 બોરી, માતૃશક્તિની 7 બોરી અને પૂર્ણાની 12 બોરી સહિત કુલ 26 હજાર રૂપિયાથી વધુ કિંમતનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. અનાજ સગેવગે કરવાના સંભવિત કૌભાંડમાં કોણ સંડોવાયેલું છે તે અંગે વિગતવાર તપાસ હાથ ધરવામાં આવી છે.
ગાંધીનગર: આજે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળશે. લગ્ન નોંધણીના સુધારેલા નિયમો કેબિનેટમાં મૂકાઈ શકે છે. કેબિનેટમાં લગ્ન નોંધણીના સુધારેલા નિયમોને અપાઈ શકે મંજૂરી. PM મોદીના ગુજરાતના પ્રવાસની તૈયારીઓ અંગે બેઠકમાં થશે ચર્ચા. કચ્છ-સૌરાષ્ટ્ર રીજનલ વાયબ્રન્ટ સમિટમાં ઉપસ્થિત રહેશે PM. આગામી બજેટની તૈયારીઓ અને સમીક્ષા અંગે થશે ચર્ચા. ચાલુ બજેટનાં પડતર નાણાં અંગે કેબિનેટમાં સમીક્ષા થશે. રવિ સીઝનમાં પાક વાવેતર અને સિંચાઈના પાણી અંગે ચર્ચા થઈ શકે.
સરકારે જણાવ્યું છે કે 4.18 ટ્રિલિયન યુએસ ડોલરના અર્થતંત્ર સાથે ભારત જાપાનને પાછળ છોડીને વિશ્વનું ચોથું સૌથી મોટું અર્થતંત્ર બન્યું છે. તે 2030 સુધીમાં જર્મનીને પાછળ છોડીને ત્રીજા ક્રમની સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાના માર્ગ પર છે. સતત મજબૂત વૃદ્ધિના આંકડાઓ સાથે, ભારત વિશ્વનું સૌથી ઝડપથી વિકસતું મુખ્ય અર્થતંત્ર પણ છે. 2025-26 ના બીજા ત્રિમાસિક ગાળામાં ભારતનો વાસ્તવિક GDP 8.2 ટકા વધ્યો છે, જે પ્રથમ ત્રિમાસિક ગાળામાં 7.8 ટકા અને પાછલા નાણાકીય વર્ષના ચોથા ત્રિમાસિક ગાળામાં 7.4 ટકા હતો.
નવા વર્ષની ઉજવણી માટે જમ્મુ-કાશ્મીરના પહલગામમાં પ્રવાસીઓ ઉમટ્યા છે. પહલગામ હાલ પ્રવાસીઓના થનગનાટથી ગુંજી ઉઠ્યું છે. બરફવર્ષા અને ઠંડીને માણવા માટે દેશ-વિદેશમાંથી પ્રવાસીઓ આવી રહ્યા છે. ગુલમર્ગ સહિતના પહાડી વિસ્તારો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ પ્રવાસને ફટકો પડ્યો હતો અને માહોલ ગમગીન હતો પરંતુ નવા વર્ષ પહેલા પ્રવાસીઓની ભીડ ઉમટતા હવે પ્રવાસન ક્ષેત્ર સારા સંકેત મળી રહ્યા છે. પહલગામનો નજારો જોઈને પ્રવાસીઓએ કંઈક આ રીતે પોતાની ખુશી વ્યક્ત કરી હતી.
સમગ્ર ગુજરાતમાં વાયુ પ્રદુષણનું ભયાનક સ્તર પર પહોંચ્યુ. અમદાવાદમાં AQI 339 પર પહોંચ્યો. અનેક વિસ્તારોમાં AQI ખરાબ કક્ષાએ પહોંચ્યો. જુહાપુરામાં AQI 463 પર પહોંચ્યો. ધુમ્મસની સાથે સાથે વાયુ પ્રદુષણને કારણે વિઝીબિલીટી પણ ઘટી.
આ નવા વર્ષમાં ઓનલાઈન ડિલિવરી સંકટનો સામનો કરી રહી છે. આજે સમગ્ર ભારતમાં ગિગવર્કર્સ હડતાળ પર રહેશે.
આજે 31 ડિસેમ્બરને બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
Published On - 7:30 am, Wed, 31 December 25