નેપાળમાં ભોટેકોશી નદીમાં હજુ પણ વિનાશક પૂરનો ખતરો યથાવત છે. નદીના ઉપરવાસમાં બનેલા નવા તળાવને કારણે અચાનક પાણીનો પ્રવાહ વધવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ભોટેકોશી નદી નજીક પાણીનું સ્તર ફરી વધવા લાગતા આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ સર્જાયો છે. તંત્ર દ્વારા નદી કાંઠાના વિસ્તારોમાં લોકોને સાવચેત રહેવા અને સુરક્ષિત સ્થળે ખસેડવા માટે જરૂરી તકેદારી રાખવામાં આવી રહી છે.
નેપાળમાં પૂરના તાંડવથી તબાહીની સ્થિતિ સર્જાઈ છે અને કુલ 92 હજાર લોકો પ્રભાવિત થયા હોવાના અહેવાલ છે. પૂરના કારણે 13 હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સ સંપૂર્ણપણે તબાહ થઈ ગયા છે, જ્યારે પ્રોજેક્ટમાં કામ કરતા આશરે 933 કામદારો ગુમ થયા હોવાની માહિતી સામે આવી છે. ગુમ થયેલા કામદારોમાંથી 254 લોકોને બચાવી લેવાયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે, જોકે હજુ પણ અનેક લોકો સુરંગોમાં ફસાયેલા હોવાની આશંકા છે. ઉપલા ત્રિશુલી-1 હાઇડ્રોપાવર પ્રોજેક્ટના 576 કામદારો હજુ ગુમ હોવાની માહિતી છે. બીજી તરફ, ચીનની સીમા પાસે તિબેટ તરફ આશરે 400 ભારતીયો સલામત હોવાના અહેવાલથી રાહત મળી છે.
આજે 29 ઓગસ્ટને શનિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
Published On - 7:51 am, Sat, 29 August 26