ફકરો: જમ્મુ-કાશ્મીરના ગાંદરબલ જિલ્લાના હરિગણીવન નજીક અમરનાથ યાત્રાળુઓને લઈ જતી બસ અકસ્માતનો ભોગ બની ખીણમાં ખાબકી હતી. બસમાં કુલ 50 યાત્રાળુ સવાર હતા, જેમાંથી અકસ્માતમાં આશરે 30 જેટલા યાત્રાળુઓ ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં જ આર્મી, CRPF અને ITBPની ટીમોએ તાત્કાલિક બચાવ અને રાહત કામગીરી શરૂ કરી હતી. તમામ ઘાયલોને સારવાર માટે કંગન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યારે અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા પોલીસે તપાસ શરૂ કરી છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી દિવસોમાં ગુજરાતમાં વરસાદનું જોર નોંધપાત્ર રીતે વધવાની શક્યતા છે. રાજ્ય પર એકસાથે પાંચ વરસાદી સિસ્ટમ સક્રિય બનતાં 30 જુલાઈથી ભારેથી અતિભારે વરસાદનો વધુ એક તીવ્ર રાઉન્ડ શરૂ થઈ શકે છે. અપર એર સર્ક્યુલેશન, બે સક્રિય મોન્સૂન ટ્રફ, સાયક્લોનિક સર્ક્યુલેશન તેમજ બંગાળની ખાડીમાં સર્જાયેલા ડીપ ડિપ્રેશનના સંયુક્ત પ્રભાવથી અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
આજે 28 જુલાઈને મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
Published On - 7:47 am, Tue, 28 July 26