
યુકે કોર્ટ દ્વારા પ્રત્યાર્પણના આદેશ સામે કાર્યવાહી ફરી શરૂ કરવાની નીરવ મોદીની અરજી આજે લંડનના કિંગ્સ બેન્ચ ડિવિઝનના હાઈકોર્ટ ઓફ જસ્ટિસ દ્વારા ફગાવી દેવામાં આવી હતી. ઉન પ્રોસિક્યુશન સર્વિસના એડવોકેટ દ્વારા આ મામલાની મજબૂત દલીલ કરવામાં આવી હતી, જેમાં સુનાવણી માટે લંડન ગયેલા તપાસ અધિકારીઓ સહિત સમર્પિત સીબીઆઈ ટીમનો પણ સમાવેશ થતો હતો.
નર્મદા નદી પર ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો છે. 2.2 કિલોમીટર લાંબા બ્રિજથી અનેક વાહન ચાલકોને ફાયદો થશે. ભરૂચ, અંકલેશ્વરનો 30 કિમીનો ફેરો ઘટ્યો. લોકોની 90 મિનિટ બચી જશે. 32 હજાર મેટ્રિક ટન સ્ટીલથી થયું બ્રિજનું નિર્માણ. બ્રિજ શરૂ થવાથી દિલ્લી અને મુંબઈ વચ્ચે 8થી 10 કલાકનો સમય ઘટશે. બ્રિજ ભૂકંપ અને પૂરનો સામનો કરે તેવો બનાવવામાં આવ્યો છે.
અમદાવાદના શેલામાં આવેલ સ્કાય સિટી ફ્લેટના સી બ્લોકમાં આગ છે. બહુમાળી ફ્લેટના ત્રીજા અને ચોથા માળે આગ લાગ્યાના સમાચાર મળતા જ, અમદાવાદ ફાયર બ્રિગેડના 12 વાહનોમાં ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોચીને આગને કાબુમાં લીધી હતી.
બનાસકાંઠાના પાલનપુરમાં મહિલાની હત્યા કરાયેલો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. હનુમાન ટેકરી નજીક મહિલાની કરપીણ હત્યા કરાઈ મહિલાનો મૃતદેહ મળ્યો છે. પાલનપુરના હનુમાન ટેકરી વિસ્તારમાં રહેતી મહિલાની ત્રણ દિવસથી હતી ગુમ. પાલનપુર પશ્ચિમ પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી.
પંચમહાલ : યાત્રાધામ શક્તિપીઠ પાવાગઢ મહાકાળી મંદિરે માતાજીના દર્શને ભક્તોની ભારે ભીડ જામી છે. નિજ મંદિર પરિસર અને પગથિયાં પર દર્શન માટે લાંબી કતારો જોવા મળી છે. ચૈત્રી નવરાત્રિના આઠમને લઈ પાવાગઢમાં વહેલી સવારથી ભક્તોનું અભૂતપૂર્વ ઘોડાપુર ઉંમટયું. ચૈત્રી નવરાત્રીના પર્વને લઈ વહેલી સવારે 5 વાગે નિજ મંદિરના દ્વાર ખોલવામાં આવ્યા. વહેલી સવારે મંગળા આરતીના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી. નિજ મંદિરના દ્વાર ખુલતાં જ માતાજીના જય ઘોષ સાથે મંદિર પરિસર ગુંજી ઉઠ્યું. માઈ ભક્તો મહાકાળી માતાજીના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા.
રમઝાન મહિના દરમિયાન પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે પાળવામાં આવેલ કામચલાઉ યુદ્ધવિરામ બુધવારે સમાપ્ત થયો. અહેવાલો દર્શાવે છે કે, બુધવારે સરહદ પારથી થયેલા ગોળીબારમાં ઓછામાં ઓછા બે નાગરિકો માર્યા ગયા હતા અને અનેક લોકો ઘાયલ થયા હતા. આ ઘટના બાદ, બંને દેશો વચ્ચેની સરહદ પર ફરી એકવાર હિંસા ભડકી ઉઠી હતી. અફઘાન અધિકારીઓના જણાવ્યા અનુસાર, કુનાર પ્રાંતના નારાય અને સરકાનો જિલ્લામાં અથડામણ થઈ હતી, જ્યાં પાકિસ્તાન તરફથી ભારે ગોળીબાર કરવામાં આવ્યો હતો.
કચ્છમાં ગઈકાલ બુધવારે વરસ્યો કમોસમી વરસાદ, માધાપરમાં ચાલી રહેલ કથામાં વરસાદ વિધ્ન બન્યો. કચ્છમાં સાંજે એકાએક હવામાન પલટાને કારણે નુકશાની સર્જાઈ. ભુજ તાલુકામાં પડેલા માવઠાથી માધાપર, ભુજોડી અને પદ્ધર સહિતના ગામોમાં કરા સાથે વરસાદ વરસ્યો હતો. હવામાન ખરાબ થતા માધાપરમાં ચાલતી કથામાં મંડપ ધ્વસ્ત થયો.
આજે 26 માર્ચને ગુરુવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
Published On - 7:12 am, Thu, 26 March 26