26 ફેબ્રુઆરીના મહત્વના સમાચાર : સિંધુભવન રોડ પર હોર્ન વગાડવા મુદ્દે ઝઘડાની અદાવતમાં વસ્ત્રાપુરમાં 10 ગુંડાઓએ ભેગા થઈને એક વ્યક્ત પર કર્યો હુમલો, પાંચ ઝડપાયા, પાંચ ફરાર

આજે 26 ફેબ્રુઆરીને ગુરુવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

26 ફેબ્રુઆરીના મહત્વના સમાચાર : સિંધુભવન રોડ પર હોર્ન વગાડવા મુદ્દે ઝઘડાની અદાવતમાં વસ્ત્રાપુરમાં 10 ગુંડાઓએ ભેગા થઈને એક વ્યક્ત પર કર્યો હુમલો, પાંચ ઝડપાયા, પાંચ ફરાર
| Edited By: | Updated on: Feb 26, 2026 | 8:54 PM

આજે 26 ફેબ્રુઆરીને ગુરુવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 26 Feb 2026 06:44 PM (IST)

    સિંધુભવન રોડ પર હોર્ન વગાડવા મુદ્દે ઝઘડાની અદાવતમાં વસ્ત્રાપુરમાં 10 ગુંડાઓએ ભેગા થઈને એક વ્યક્ત પર કર્યો હુમલો, પાંચ ઝડપાયા, પાંચ ફરાર

    વસ્ત્રાપુરમાં ગાડી હટાવવા બાબતે યુવકો પર જીવલેણ હુમલો મામલો. ઘટનાના CCTV આવ્યા સામે. આરોપીએ હથિયારો સાથે યુવક પર કર્યો જીવલેણ હુમલો હતો.આરોપી પરેશ રબારી, મોન્ટુ ભરવાડ, સુનિલ રબારી, જયેશ ભરવાડ અને ચિહોર ઉર્ફે ટાઈગર સહિત 10 થી વધુ લોકોએ કર્યો હતો હુમલો. વસ્ત્રાપુર પોલીસે પાંચ આરોપી કરી હતી ધરપકડ. પાંચ આરોપીઓ છરા, ધોકા ,પાઇપોથી યુવક મહાવીરસિંહ મોરી પર જીવલેણ હુમલો કર્યો હતો. 13 મી તારીખ મોડી રાત્રીનો બનાવ હતો. સિંધુભવન રોડ પર હોર્ન વગાડવા મુદ્દે થયેલા ઝઘડાની અદાવતને લઈને કર્યો હુમલો. વસ્ત્રાપુર પોલીસે આરોપી ધરપકડ કરી વોન્ટેડ આરોપી શોધખોળ શરૂ કરી.

  • 26 Feb 2026 05:02 PM (IST)

    મેઘરજ તાલુકા પંચાયતના કર્મચારી સામે લગ્નની લાલચ આપી શારીરિક સંબંધ બાંધ્યાની ફરિયાદ

    અરવલ્લીના મેઘરજમાં લગ્નની લાલચ આપી યુવતી સાથે તાલુકા પંચાયત કર્મી દ્વારા શારીરિક શોષણ કરવામાં આવ્યું હોવાનો કેસ નોંધાયો છે. હિંમતનગરના રાયગઢના યુવક વિરુદ્ધ નોંધાયો હતો ગુનો. લગ્નની લાલચ આપી અવારનવાર શારીરિક સંબંધ બાંધ્યાની ફરિયાદ. 27 દિવસ સુધી રાજસ્થાન, જમ્મુ અને કાશ્મીર, ઉત્તરાખંડ સહિતના વિસ્તારોમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું. આરોપી ભિલોડા તાલુકા પંચાયતમાં ટેકનિકલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવી રહ્યો હતો. લગ્નની વાત કરતાં ઇનકાર કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપ્યાનો આક્ષેપ કરાયો છે. મેઘરજ પોલીસે આરોપી મહેશ ઓડની કરી ધરપકડ. આરોપીને મેઘરજ કોર્ટમાં રજુ કર્યા બાદ મોડાસા સબજેલમાં મોકલાયો.


  • 26 Feb 2026 05:00 PM (IST)

    પંજાબના ફરાર આરોપીને અમદાવાદના રખિયાલમાંથી ઝડપતી ગુજરાત ATS

    પંજાબના ક્રોસ બોર્ડર હેરોઇન અને ગ્રેનેડ-પિસ્ટલ સ્મગલીંગ કેસમાં મોટી સફળતા ગુજરાત એટીએસને મળી છે. ગુજરાત એ.ટી.એસ.એ વોન્ટેડ આરોપી રહેમતઅલી શેખને અમદાવાદથી ઝડપી લીધો છે. આરોપી પંજાબના અમૃતસર જિલ્લાના રાજાસાંસી પોલીસ સ્ટેશનના કેસમાં ફરાર હતો. 42.9 કિલો હેરોઇન, 4 હેન્ડ ગ્રેનેડ અને પિસ્તોલ સ્મગલીંગ કેસમાં હતો ફરાર. આરોપી પાકિસ્તાન બોર્ડરથી હથિયાર અને નશીલા પદાર્થ પંજાબ સુધી પહોંચાડતો હતો.
    કેસ બાદ આરોપી પંજાબથી નાસી નેપાલ અને બિહાર થઈ ગુજરાત પહોંચ્યો હતો. અમદાવાદના રખિયાલ વિસ્તારમાં એમ્બ્રોડરીના કારખાનામાં છુપાઈને રહેતો હતો આરોપી. ATSની ટીમે ચોક્કસ બાતમીના આધારે રખિયાલમાંથી આરોપીની અટકાયત કરી. ATS એ આરોપીને કાયદેસર પંજાબ પોલીસને સોંપવાની કાર્યવાહી હાથ ધરાઈ.

  • 26 Feb 2026 03:26 PM (IST)

    ભાવનગર રેન્જમાં ગુજરાત SMCની 10 દિવસમાં દારૂની ત્રીજી મોટી રેડ

    ભાવનગર રેન્જમાં ગુજરાત SMCની 10 દિવસમાં દારૂની ત્રીજી મોટી રેડ પાડવામાં આવી છે. રાજુલા તાલુકાના ભચાદર ગામ નજીક ઈંગ્લીશ દારૂનું કટિંગ ઝડપાયું. હોળી ધુળેટીના તહેવાર માટે ઈંગ્લીશ દારૂનો ટ્રક મંગાવવામા આવ્યો હતો. પીપાવાવ મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમા દારૂના કટિંગ થાય તે પહેલાં સ્ટેટ મોનીટરીંગ સેલના પીઆઈ આર.કે.કરમટાએ દરોડો પાડ્યો. ટ્રકનો ડ્રાઈવર ઝડપાયો, 8 આરોપી ફરાર થયા તપાસનો ધમધમાટ શરૂ.
    વિવિધ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ 15178 ઝડપી લેવામાં આવી. બોલેરો ટ્રક દારૂ સહિત મુદામાલ કુલ 68,65,710નો મુદામાલ જપ્ત કર્યો છે. ભાવનગર રેન્જમાં બોટાદ બાદ અમરેલી જિલ્લામાં દારૂનું દુષણ વધતા પોલીસની કામગીરી સામે સવાલો ઉઠ્યા. જિલ્લા પોલીસ બેડામાં સન્નાટો વ્યાપી ગયો.

  • 26 Feb 2026 02:41 PM (IST)

    મોરબીના સિરામિક એકમોને મોટો ઝટકો, EDC કેસમાં 337 યુનિટની અરજી નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે ફગાવી

    મોરબીના સિરામિક એકમોને મોટો ઝટકો મળ્યો છે. EDC કેસમાં 337 યુનિટની અરજી નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે ફગાવી છે. પર્યાવરણને નુકસાન બદલ ₹122.05 કરોડના દંડ વિરુદ્ધની અપીલ ફગાવાઈ. મે, 2025માં GPCBએ 606 એકમોને દંડ ફટકાર્યો હતો. કોલ ગેસિફાયરના ઉપયોગથી પર્યાવરણને નુકસાન બદલ દંડ ફટકાર્યો હતો. દંડ સામે મોરબી, વાંકાનેરના 337 એકમોએ NGTમાં અરજી કરી હતી. NGTએ અપીલ ફગાવતા સિરામિક એકમોએ દંડ ચુકવવો પડશે.

  • 26 Feb 2026 02:23 PM (IST)

    ગાંધીનગર: મહિલા બાળ કલ્યાણ વિભાગને બજેટમાં મોટી ફાળવણી

    ગાંધીનગર: મહિલા બાળ કલ્યાણ વિભાગને બજેટમાં મોટી ફાળવણી કરવામાં આવી છે.  વિવિધ યોજનાઓને આગળ વધરાવા ₹7680 કરોડ ફાળવવામાં આવ્યા., ઓછું વજન ધરાવતા બાળકોના પોષણ માટે વિશેષ બજેટની ફાળવણી કરવામાં આવી. પોષણ સંગમ યોજના અંતર્ગત ₹16 કરોડ ફાળવાયા. રાજ્યમાં હાલ 11 ટકા બાળકો ઓછું વજન ધરાવતા હોવાનો ખુલાસો થયો છે. કુપોષિત બાળકોને બહાર લાવવા સરકાર પ્રયત્નશીલ હોવાનો કરાયો દાવો છે. સરકારના દાવા વચ્ચે ગત વર્ષના આંકડાઓએ સવાલ ઉઠાવ્યા છે. કુપોષિત બાળકો માટે ગત વર્ષના બજેટમાંથી 64 ટકા બજેટ વપરાયું નથી. આંકડાઓ માત્ર ડિસેમ્બર મહિના સુધીના જ હોવાનો મહિલા અને બાળ વિકાસ મંત્રીનો દાવો છે.

  • 26 Feb 2026 02:22 PM (IST)

    અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીમાં NSUIનું વિરોધ પ્રદર્શન

    અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીમાં NSUIએ વિરોધ પ્રદર્શન કર્યુ. NSUI કાર્યકરો સામે યુનિવર્સિટીએ કરેલી કાર્યવાહીનો વિરોધ કર્યો.NSSIના 9 કાર્યકરોને સસ્પેન્ડ કરવા મામલે વિરોધ દર્શાવ્યો. ગુજરાત યુનિવર્સિટીમાં પ્રવેશબંધી અને એડમિશન રદ કરવા મુદ્દે નારાજગી જોવા મળી રહી છે. RSSની પ્રદર્શનીમાં વિરોધ કરનારા સામે યુનિવર્સિટીએ કાર્યવાહી કરી હતી. વિરોધ પ્રદર્શનમાં હાજર ન હોય તેવા વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી ન કરવા માગણી કરવામાં આવી છે.

  • 26 Feb 2026 02:11 PM (IST)

    ગુજરાતની મુલાકાતે આવશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવશે. દેશને પ્રથમ ‘મેડ ઈન ઈન્ડિયા’ સેમિકન્ડક્ટર ચિપની ભેટ આપશે. સાણંદ ખાતે તૈયાર થયેલ સેમિકન્ડક્ટર ચિપ દેશને સમર્પિત કરશે. 28 ફેબ્રુઆરીએ બપોરે 3.30 કલાકે અમદાવાદ એરપોર્ટ પર આગમન થશે. સાણંદ સ્થિત માઈક્રોનના પ્લાન્ટ પર PM મોદી પહોંચશે. માઈક્રોન દ્વારા તૈયાર સેમિકન્ડક્ટર ચિપના લોકાર્પણને યાદગાર બનાવશે. સાણંદમાં હેલિપેડથી માઈક્રોન સુધી PM મોદીનો 3.5 કિ.મી. લાંબો રોડ શો યોજાશે.

  • 26 Feb 2026 02:04 PM (IST)

    સુરતઃ હજીરાની AMNS કંપનીમાં કામદારોની હડતાળ,બેકાબૂ કામદારો પર 70 ટિયર ગેસના સેલ છોડવામાં આવ્યા

    સુરતઃ હજીરાની AMNS કંપનીમાં કામદારોએ હડતાળ પાળી છે. મોટી સંખ્યામાં કામદારોનો ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે. કંપનીના ગેટ પાસે કારમાં તોડફોડ કરી. કામદારોએ કામના કલાકો ઘટાડવા માગણી કરી છે. સ્થિતિ ગંભીર બનતા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો છો. બેકાબૂ કામદારો પર 70 ટિયર ગેસના સેલ છોડવામાં આવ્યા. કામના કલાક 12ના બદલે 8 કલાક કરવા કામદારો માગણી કરી રહ્યા છે. ઓવર ટાઈમના નાણાં ન મળતા હોવાનો આરોપ પણ કામદારોએ લગાવ્યો છે. પગાર પણ સમયસર ન થતો હોવાનો કામદારોએ આરોપ લગાવ્યા છે.

  • 26 Feb 2026 01:53 PM (IST)

    ગુજરાત રાજ્યનું કુલ બાકી જાહેર દેવું રૂ. 3 લાખ 99 હજાર 633 કરોડ રૂપિયા

    ગુજરાત સરકારે વિધાનસભા સત્રમાં લખિત જવાબમાં જણાવ્યું કે રાજ્યનું કુલ બાકી જાહેર દેવું રૂ. 3,99,633 કરોડ છે; કેન્દ્રીય દેવું 7 થી 50 વર્ષની મુદત માટે વર્ષ 2000-01થી 2024-25 સુધી લેવામાં આવ્યું છે અને N.S.S.F. લોન 10 થી 25 વર્ષની મુદત માટે વર્ષ 1999-00થી 2015-16 સુધી લઈ રહ્યું છે; સરકાર સ્વીકારે છે કે નાણાકિય સંસ્થાઓ તથા બજાર લોન પણ લેવામાં આવી છે; ગુજરાત સરકારે વર્ષ 2023-24માં કેન્દ્રીય દેવાનું રૂ. 510 કોર્ડ વ્યાજ અને રૂ. 1177 કોર્ડ મુદ્દલ ચૂકવ્યું અને વર્ષ 2024-25માં રૂ. 579 કોર્ડ વ્યાજ તથા રૂ. 835 કોર્ડ મુદ્દલ ચૂકવ્યું; N.S.S.F. લોન પર વર્ષ 2023-24માં રૂ. 2390 કોર્ડ વ્યાજ તથા રૂ. 3629 કોર્ડ મુદ્દલ ચૂકવ્યા અને વર્ષ 2024-25માં રૂ. 2038 કોર્ડ વ્યાજ અને રૂ. 3629 કોર્ડ મુદ્દલ ચૂકવ્યા છે; બજાર લોન પર વર્ષ 2023-24માં રૂ. 21,305 કોર્ડ વ્યાજ અને રૂ. 18,551 કોર્ડ મુદ્દલ ચૂકવ્યા અને વર્ષ 2024-25માં રૂ. 22,440 કોર્ડ વ્યાજ તથા રૂ. 21,922 કોર્ડ મુદ્દલ ચૂકવાયા છે.

  • 26 Feb 2026 01:46 PM (IST)

    ગાંધીનગર: અડાલજ પાસે ગૌ તસ્કરીનો પ્રયાસ અને તસ્કરોના પલાયનની ઘટના

    ગાંધીનગરના અડાલજ વિસ્તારમાં ગૌ/પશુઓને લઇ શંકાસ્પદ હવાને લઈ એક ગંભીર ઘટના સર્જાઈ હતી. અડાલજ શનિદેવ મંદિરની નજીક કેટલીક વ્યક્તિઓએ વાછરડાને પકડવા માટે કારમાં આવી ગયા હતા અને તેમની પશુઓ સાથેની હરકતો દરમ્યાન બૂમાબૂમ જેવા અવાજો સંભળાયા હતા. ગુજ્જરની અવાજ અને પશુઓની આક્રંદ અને ચીસો સાંભળી મંદિરના પૂજારે જાગી જતા, તસ્કરો પૂજારીને દેખાતાં તરત પોતાની કાર લઇ નાસા છૂટ્યા.

  • 26 Feb 2026 01:24 PM (IST)

    રાજકોટઃ બટેકાની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ

    રાજકોટઃ બટેકાની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો છે. જેતપુરના પીઠડિયા ટોલ પ્લાઝા નજીક સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડ્યા. બટેકાની આડમાં વાહનમાં દારૂ છુપાવ્યો હતો. 25 હજારથી વધુ દારૂની બોટલો જપ્ત કરવામાં આવી છે. 51 લાખ 90 હજારની કિંમતનો દારૂ ઝડપાયો. 2 વાહન, 5 મોબાઇલ સહિત કુલ 86.33 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. રાજસ્થાન, હરિયાણા, કચ્છ અને રાજકોટના 5 આરોપી ઝડપાયા. પ્રાથમિક તપાસમાં ચંડીગઢથી દારૂ સપ્લાય થતો હોવાનો ખુલાસો થયો છે. મુખ્ય સપ્લાયર સહિત 3 આરોપી વોન્ટેડ જાહેર થયા છે.

  • 26 Feb 2026 12:56 PM (IST)

    ગાંધીનગર: વિધાનસભામાં વિરોધ પક્ષનો વૉકઆઉટ અને હોબાળો

    ગાંધીનગરમાં ગ્રામ્ય અને રાજ્ય મામલાઓ ઉપર ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર અને પ્રશ્નોત્તરી વચ્ચે આજે હંગામો જોવા મળ્યો હતો. સત્ર દરમિયાન વિપક્ષના ધારાસભ્યો રોમાંચિત મુદ્દા ઉપર સૂત્રોચ્ચાર કરતાં અને તમામ પ્રશ્નો અંગે યોગ્ય જવાબ ન મળતા તેણે જવાબ આપવા મંચ છોડતા વિધાનસભામાં વિરોધી પક્ષ વૉકઆઉટ કર્યું હતું. આ દરમ્યાન પ્રધાન મનીષા વકીલ દ્વારા આપવામાં આવતા જવાબો દરમિયાન વિધાનસભામાં હોબાળો ફરી ઉભો થયો હતો, તે અંગે સત્તાવાળાઓ અને વિપક્ષ વચ્ચે ઉશ્કેરાયેલા પઢા-વાતચીત જોવા મળી હતી. વિપક્ષે જણાવ્યું કે પ્રધાન તરફથી લેતા જવાબો સંતોષકારક નહીં હતા અને તેઓ પોતાની ફરિયાદ વહીવટી જવાબમાં ઉઠાવી રહ્યા છે. આ સત્ર દરમિયાન ઘણા મુદ્દાઓ ઉપર તાજેતરના વિવાદ અને સવાલ ઉત્થાપિત થયા હતા, જેના કારણે ગૃહમાં ગરમાશ થયેલી હતી.

  • 26 Feb 2026 12:48 PM (IST)

    રાજકોટ-ભાવનગરમાં વરઘોડા બાબતે ગોપાલ ઇટાલિયાના સવાલ

    રાજકોટ અને ભાવનગરમાં છેલ્લા બે વર્ષમાં નોંધાયેલા ગુનાઓ અને તેના અનુસંધાને ‘વરઘોડા’ (રી-કન્સ્ટ્રક્શન) મામલે AAP ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ સવાલ ઉઠાવ્યો છે અને પ્રાથમિક સંખ્યાઓ રજૂ કરતા જણાવ્યું છે કે છેલ્લા બે વર્ષમાં મોટા પાયે 96,221 જેટલા ગુનાઓ બંને જિલ્લામાં નોંધાયા છે, પરંતુ તેમાં રિકન્સ્ટ્રક્શન ફાળવણીમાં ખૂબ ઓછું પ્રમાણ જ પડતું દેખાય છે. આ સૂત્ર દ્વારા જણાવ્યું છે કે ઉચ્ચ આંકડામાં નોંધાયેલા ગુનાઓમાંથી માત્ર 251 મામલામાં જ રિ-કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યો છે. તે અનુસાર, રાજકોટ શહેરમાં 25,890 કેસ નોંધાયા ત્યાં માત્ર 49 જ રિ-કન્સ્ટ્રક્શન થયા છે અને રાજકોટ જિલ્લામાં 28,825 ગુનાઓ પૈકી માત્ર 48નું રિ-કન્સ્ટ્રક્શન થયું છે. ગોપાલ ઈટાલિયાના દાવા પ્રમાણે ભાવનગરમાં 41,506 ગુનાઓ નોંધાયા છે જેમાં 154 રી-કન્સ્ટ્રક્શન થયા છે. તેઓ કહે છે કે નિયમ મુજબ ‘વરઘોડો’ (શિક્યારાઓનું રીફ લેવું કે ફિર દોષિતોને ખુલ્લા કરવો) તો થવો જ જોઈએ, પરંતુ ગરીબ, લાચાર અને નાના લોકો માટે જ થઈ રહ્યો છે જ્યારે મોટા લોકો માટે તે લાગુ થઈન નથી. આ પરિસ્થિતિ બદલવાની જરૂર હોવાનું તેમના નિવેદનમાં ઉલ્લેખ છે.

  • 26 Feb 2026 12:45 PM (IST)

    વિધાનસભા ગૃહમાં ગાજ્યો AI સમિટ વિરોધનો મુદ્દો

    અમદાવાદ: વિધાનસભા ગૃહમાં AI Summit વિરોધ પ્રકરણને લઈને ગર્ભિય ચર્ચા શરૂ થઈ છે. રાજ્યના ઊર્જા અને પંચાયત મંત્રી રૂશિકેશ પટેલે વિધાનસભામાં વિરોધ પક્ષ પર સીધી હુમલો કરતા જણાવ્યું કે કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરના AI Impact Summit દરમિયાન કરવામાં આવેલ વિરોધ “દેશ માટે નિંદનીય અને શર્મજનક” છે. તેમણે કહ્યું કે દેશનાં ડંખે જોવા મળતા આ પ્રકારના પ્રદર્શનોથી વૈશ્વિક સ્તરે ભારતની છબી ખરાબ થાય છે અને તે સમયકાળમાં જે તકો યુવાનો માટે ખુલ્લી थीं, તેમાં એવી નકારાત્મકતા સામેલ કરવી યોગ્ય નથી. ગુરુત્વાકર્ષણના સમયે આંતરિયાજિક મહેમાનોની અસ્થા વચ્ચે આવી હંગામી પ્રદર્શન કરવામાં આવ્યું હતું તે આંતરરાષ્ટ્રીય સર્વસંમતિ માટે ગેરશિસ્તબદ્ધ હોવાનું મંત્રીશ્રીએ ટાંક્યું. આજે વાણીમાં તેમણે ઉલ્લેખ કર્યો કે એક પરિવારમાં મહેમાન આવે ત્યારે પોતાના આંતરિક વિવાદને બહાર બતાવવાની જરૂર નથી, અને કોંગ્રેસે જે કર્યું તે નિંદનીય છે.

  • 26 Feb 2026 11:52 AM (IST)

    રાજકોટઃ જેતપુરમાં હાર્ટએટેકથી આધેડનું મોત

    રાજકોટના જેતપુરમાં હાર્ટ એટેકે આધેડનો જીવ લીધો. જેતપુરના નવાગઢ વિસ્તારમાં ટ્રાન્સપોર્ટેની ઓફિસમાં ગયેલા આધેડના અચાનક ગભરામણ થઈ અને કોઈ કંઈ સમજે તે પહેલા જ આધેડ ઢળી પડ્યા હતા. આઘેડ ઓફિસમાં ઉભા-ઉભા વાતચીત કરી રહ્યા હતા એ જ વખતે હાર્ટ એટેક આવતા અચાનક જમીન પર ઢળી પડ્યા હતા અને ઘટનાસ્થળે જ તેમનું મોત થયું..મૃતક રિક્ષા ચલાવી પોતાના પરિવારનું ગુજરાતન કરતા હતા.

  • 26 Feb 2026 10:49 AM (IST)

    અમદાવાદઃ બૉમ્બ થ્રેટને લઈને વાલીઓને DEOનું આશ્વાસન

    અમદાવાદ સહિત રાજ્યભરમાં બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઈ છે ત્યારે અમદાવાદના DEOએ વાલીઓ ચિંતા દૂર કરતા કહ્યું છે કે બૉમ્બ થ્રેટને લઈને વાલીઓ કે વિદ્યાર્થીઓએ ચિંતા કરવાની જરૂર નથી.દરેક શાળામાં એક વિશેષ કમિટી બનાવવામાં આવી છે, જે સતત પરિસ્થિતિ પર નજર રાખશે, સાથે પરીક્ષા શરૂ થાય તે પહેલાં અને પૂર્ણ થયા બાદ સમગ્ર બિલ્ડિંગ અને ક્લાસરૂમનું ઝીણવટભર્યું ચેકિંગ કરવામાં આવશે.

  • 26 Feb 2026 10:34 AM (IST)

    સુરતઃ બોર્ડના પરીક્ષાર્થીઓની મદદે આવી પોલીસ

    સુરતમાં બોર્ડ પરીક્ષામાં સુરત પોલીસ પરીક્ષાર્થીઓની મદદ જોવા મળી છે. પરીક્ષા કેન્દ્ર સુધી થોડો માર્ગ અટવાતા વિદ્યાર્થીઓને ટ્રાફિકમાંથી પસાર કરાવવા માટે પોલીસે વિશેષ વ્યવસ્થા ગોઠવાવી છે અને કેટલીક સ્થિતિઓમાં બાઈક પર બેસાડી તેમણે સમયસર તેમના કેન્દ્ર સુધી પહોંચવામાં મદદ કરી છે. પોલીસ જવાનો આ વિસ્તારમાં, જેમ કે અઠવા ગેટ અને ઉધના વિસ્તારમાં કામગીરી કરતા નજરે આવ્યા છે, જેથી ટ્રાફિક સમસ્યાને કારણે કોઈ વિદ્યાર્થી પરીક્ષા સમયસર ન પહોંચી રહે. આ પ્રકરણ અંતર્ગત પોલીસ હેલ્પલાઇન અને માર્ગદર્શન પણ આપી રહી છે જેથી વિદ્યાર્થીઓને મુશ્કેલી ન પડે.

  • 26 Feb 2026 10:21 AM (IST)

    સુરતઃ શહેરના જાણીતા ગ્રુપ પર ITની કાર્યવાહી

    Surat શહેરમાં જાણીતા ગ્રુપ પર આવકવેરા વિભાગ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શહેરના મીરીખ અને ઓપેરા ગ્રુપ સાથે સંકળાયેલા 20થી વધુ સ્થળોએ IT વિભાગે દરોડા પાડી તપાસ શરૂ કરી છે. વસંત ગજેરા એન્ડ કંપનીની તપાસ દરમિયાન જમીનના સોદામાં સંડોવાયેલા લોકો સુધી પણ તપાસનો વ્યાપ વિસ્તર્યો છે. આશરે 80 અધિકારી અને કર્મચારીઓની ટીમ આ કાર્યવાહી માં જોતરાઈ છે. પ્રાથમિક માહિતી મુજબ મોટી કરચોરીનો પર્દાફાશ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

  • 26 Feb 2026 09:40 AM (IST)

    પાટણઃ દેશી દારૂના અડ્ડા પર જનતા રેડ

    પાટણ જિલ્લામાં દેશી દારૂના અડ્ડા પર જનતા રેડની ઘટના સામે આવી છે. Siddhpur તાલુકાના મુડવાડા ગામમાં સ્થાનિક લોકોએ ગેરકાયદે ચાલતા દેશી દારૂના ધંધા વિરુદ્ધ રોષ વ્યક્ત કરી અચાનક રેડ પાડી હતી. અહીં મહિલા બુટલેગરે લોકો સાથે દાદાગીરી કરતાં તણાવનું વાતાવરણ સર્જાયું હતું. સ્થળ પરથી દેશી દારૂ બનાવવાના સામાનનો મોટો જથ્થો ઝડપાયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક પહોંચી તપાસ હાથ ધરી અને આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

  • 26 Feb 2026 08:57 AM (IST)

    ગુરૂગ્રામઃ માર્ગ અકસ્માતમાં એકનું મોત

    ગુરગ્રામમાં માર્ગ અકસ્માતની દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. ગવાલપહાડી વિસ્તારમાં એક કારચાલકે સિગ્નલ પર ઊભેલી બાઈકને પાછળથી જોરદાર ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં એક બાઈક સવારનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ બન્યો હતો અને તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. સમગ્ર અકસ્માતની ઘટના ડેશ કેમમાં કેદ થઈ ગઈ છે, જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

  • 26 Feb 2026 08:27 AM (IST)

    આજથી રાજ્યભરમાં બોર્ડની પરીક્ષાનો પ્રારંભ

    આજથી રાજ્યભરમાં બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે, જેમાં કુલ 15,27,724 વિદ્યાર્થીઓ પરીક્ષામાં હાજર રહેશે. પરીક્ષા પ્રક્રિયા નિષ્પક્ષ અને સુચારુ રીતે પૂર્ણ થાય તે માટે રાજ્યભરમાં 140 સ્ટ્રોંગ રૂમ સજ્જ કરવામાં આવ્યા છે તથા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર પર એક કલાક વહેલા પહોંચવા સૂચના આપવામાં આવી છે તેમજ સેન્ટર શોધવામાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે લોકેશન પણ મોકલવામાં આવ્યા છે. ગેરરીતિને ડામવા તમામ પરીક્ષા કેન્દ્રોને CCTV કેમેરાથી સજ્જ કરવામાં આવ્યા છે. સાથે જ ચાલુ પરીક્ષા દરમિયાન બોમ્બની ધમકી જેવી પરિસ્થિતિ ઊભી થાય તો પોલીસની SOP મુજબ કાર્યવાહી કરવા તથા અફરાતફરીનો માહોલ ન સર્જાય તે રીતે સ્થિતિ સંભાળવા સૂચનાઓ અપાઈ છે.

  • 26 Feb 2026 08:13 AM (IST)

    રાજકોટમાં આગની ઘટનામાં બે લોકોના મોત

    રાજકોટ શહેરમાં આગની દુર્ઘટનામાં બે લોકોના કરુણ મોત નિપજ્યા હતા. પેલેસ રોડ પર આવેલા મનમંદિર એપાર્ટમેન્ટના ચોથા માળે આવેલા એક ફ્લેટમાં ભીષણ આગ ભભૂકી ઉઠતાં અફરાતફરી મચી ગઈ હતી. આગમાં ગૂંગળાઈ જવાથી 92 વર્ષીય પ્રભાબેન પુજારા અને તેમના 63 વર્ષીય પુત્ર નરેન્દ્ર પુજારાનું દુખદ અવસાન થયું હતું. પ્રાથમિક તારણ મુજબ શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. સમગ્ર મામલે A ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

  • 26 Feb 2026 07:56 AM (IST)

    AMCએ એડવાન્સ ટેક્સ રિબેટ યોજના જાહેર કરી

    અમદાવાદ શહેરના જે નાગરિકો સમયસર ઈમાનદારીથી ટેક્સ ચૂકવે છે, તેમના માટે AMCએ એડવાન્સ ટેક્સ રિબેટ યોજના જાહેર કરી છે. શહેરીજનો 9 એપ્રિલથી 31 મે સુધી આ એડવાન્સ ટેક્સ રિબેટ યોજનાનો લાભ મેળવી શકશે. જેમાં 12 ટકાથી લઈ 15 ટકા સુધી રાહત આપવામાં આવશે. એડવાન્સ ટેક્સ ભરનારને 12 ટકા રાહત અપાશે. તેમજ સળંગ ત્રણ વર્ષ સુધી એડવાન્સ ટેક્સ ચૂકવનારને 12 ટકાની સાથે વધુ 2 ટકાની રાહત મળશે. તેમજ એડવાન્સ ટેક્સનું ઓનલાઈન પેમેન્ટ કરવા પર વધુ એક ટકાની રાહત આપવામાં આવશે.. આ સાથે અમદાવાદ મનપાએ શહેરીજનોને વધુમાં વધુ આ યોજનાનો લાભ લેવા અપીલ કરી છે.

  • 26 Feb 2026 07:36 AM (IST)

    અમદાવાદમાં 9 સ્થળોએ ઈડીના દરોડા

    ઈડી દ્વારા ફેમા કાયદા હેઠળ અમદાવાદમાં અનસ ગ્રુપ અને તેના ભાગીદારોના કુલ ૯ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન એમ્બર ટોબેકો અને ઉમદા ટોબેકો બ્રાન્ડ હેઠળ ઉત્પાદન તથા સમા ફિલ્ટર ખૈની બ્રાન્ડ હેઠળ પેકેજિંગ કરતી એકમો પર તપાસ હાથ ધરાઈ હતી. દરોડા દરમિયાન ED ને 1.01 કરોડ રૂપિયા રોકડ, 33.34 લાખ રૂપિયાની વિદેશી ચલણી નોટો, 1.6 કિલો વજનના વિદેશી ચિન્હવાળા 16 સોનાના બાર (અંદાજિત કિંમત આશરે 2.5 કરોડ રૂપિયા) અને 80 કિલો વજનના 168 ચાંદીના બાર (અંદાજિત કિંમત આશરે 2 કરોડ રૂપિયા) જપ્ત કર્યા હતા. તપાસમાં અનસ ગ્રુપના ભાગીદારો અને તેમના પરિવારજનોની દુબઈમાં મિલકતો હોવાની માહિતી સામે આવી છે તેમજ ગુનાહિત દસ્તાવેજો અને અન્ય પુરાવાઓ પણ મળ્યા હોવાનું ED દ્વારા જણાવાયું છે.

Published On - 7:34 am, Thu, 26 February 26

Follow Us