The liveblog has ended.
-
26 Dec 2025 09:00 PM (IST)
બનાસકાંઠાઃ નામ લીધા વગર વિપક્ષ પર હર્ષ સંઘવીના પ્રહાર
બનાસકાંઠાઃ નામ લીધા વગર વિપક્ષ પર હર્ષ સંઘવીએ પ્રહાર કર્યા . તેમણે કહ્યુ હાલ કિસાન નિધિના રૂપિયા સીધા ખેડૂતના ખાતામાં આવે છે. સહાય સીધી ખેડૂતોના ખાતામાં જમા થાય છે. પહેલાની સરકારમાં ખેડૂતો માત્ર ધક્કા ખાતા હતા. ખેડૂતોના નામે દલાલો રૂપિયા ખાઈ જતા હતા. ખેડૂતોના નામે રાજનીતિ કરનારાને આ સવાલ પૂછજો. બનાસકાંઠાના થરા અને ડીસામાં વિકાસ કાર્યોના લોકાર્પણ વખતે હર્ષ સંઘવીએ કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા
-
26 Dec 2025 08:45 PM (IST)
મ્યાનમારમાં ફસાયેલા ગુજરાતના યુવકોની વ્હારે આવ્યા સાવલીના ધારાસભ્ય
મ્યાનમાર ખાતે ફસાયેલા ગુજરાતના યુવકોની વ્હારે સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદાર આવ્યા છે. MLA કેતન ઇનામદારે કેન્દ્ર સરકાર પાસે મદદની માગ કરી છે.
કેતન ઇનામદારે PM મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને વિદેશમંત્રી એસ જયશંકરને રજૂઆત કરી છે. કેતન ઇનામદારે પત્ર લખી મ્યાનમારમાં ફસાયેલા ભારતીયોને વહેલી તકે પરત લાવવાની માગ કરી છે. ડેટા એન્ટ્રી અને નોકરીના બહાને 100 જેટલા ભારતીયો સાથે મ્યાનમારમાં છેતરપિંડી થઈ રહી છે. છેલ્લા 20 દિવસથી ભારતીયો સેફ હાઉસમાં આશરો લઈ રહ્યા છે.
મહત્વનું છે કે મ્યાનમારમાં ડેટા એન્ટ્રીની લાલચે ગયા બાદ ભારતીયોને અન્ય કામમાં જોડી દેવાનો આરોપ છે. તેમની પાસે રોજના 14થી 18 કલાક સુધી કામ કરાવાતું હોવાનો દાવો છે. પહેલા તો આ ભારતીયોને છેતરાયાનો અહેસાસ ન થયો પરંતુ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આ પ્રકારની છેતરપિંડીના વીડિયો વાયરલ કર્યા બાદ ભારતીયોને ખ્યાલ આવ્યો કે નોકરીની લાલચમાં તેઓ વિદેશની ધરતી પર ફસાઈ ગયા છે. મ્યાનમારમાં ફસાયેલા સાવલીના ગુંજન શાહ નામના યુવકે ઓડિયો ક્લિપમાં ત્યાં ફસાયેલા લોકોની વ્યથા રજૂ કરી છે. કઈ રીતે તેમને ત્યાં યાતના આપવામાં આવે છે અને તેઓ કઈ પરિસ્થિતિમાં ત્યાં દિવસો ગુજારી રહ્યા છે.
-
-
26 Dec 2025 08:30 PM (IST)
જુનાગઢઃ બગડુ ગામમાં બાળક પર દીપડાનો હુમલો
જુનાગઢઃ બગડુ ગામે બાળક પર દીપડાએ હુમલો કરતા ચકચાર મચી જવા પામી છે. ખેતરમાં કામ કરી રહેલા શ્રમજીવી પરિવારના બાળક પર દીપડાએ હુમલો કર્યો હતો. બાળકનો શિકાર કરી દીપડો ઢસડીને નદી કાંઠે લઈ ગયો. બાળકે બૂમાબૂમ કરતા પરિવારજનોએ બાળકને દીપડાની ચુંગાલમાંથી છોડાવ્યો હતો. જે બાદ ઈજાગ્રસ્ત બાળકને સારવાર માટે જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો. બાળકના પરિવારે દીપડાને પકડી સહાયની માગ કરી છે.
-
26 Dec 2025 08:12 PM (IST)
રાજ્યમાં હાલ ઠંડી વધવાના કોઈ અણસાર નહીં
રાજ્યમાં હજુ ઠંડી વધવાના કોઈ અણસાર જણાઈ રહ્યા નથી. આગામી 7 દિવસ તાપમાનમાં ફેરફાર થવાની શક્યતા નહીંવત છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઠંડીનું જોર ઘટ્યુ છે. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 15.3 ડિગ્રી છે. 9.5 ડિગ્રી તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુગાર શહેર છે.
-
26 Dec 2025 07:51 PM (IST)
નર્મદાઃ 75 લાખના કથિત તોડકાંડમાં સૌથી મોટો ખુલાસો
નર્મદાઃ 75 લાખના કથિત તોડકાંડમાં સૌથી મોટો ખુલાસો થયો છે. જિલ્લા કલેક્ટર સંજય મોદીએ ઘટસ્ફોટ કર્યો કે ધારાસભ્ય ચૈતર વસાવાએ રૂપિયાની માંગણી કરી હતી. તોડકાંડ મામલે સાંસદ મનસુખ વસાવા કલેક્ટર કચેરીએ પહોંચ્યા. કલેક્ટર ઓફિસમાં સાંસદ અને જિલ્લા પ્રમુખે બેઠક યોજી હતી
આ પહેલા પણ સાંસદ મનસુખ વસાવાએ ચૈતર વસાવાએ 75 લાખ રૂપિયાની માગણી કરી હોવાનો આરોપ લગાવ્યો હતો, જે બાદ ચૈતર વસાવાએ કલેક્ટર સાથે મુલાકાત કરી હતી. ત્યારે કલેક્ટરે પૈસાની માગણી કરી હોવાની વાતને ખોટી ગણાવી હતી, ત્યારે આજે કલેક્ટરે ચૈતર વસાવાએ પૈસા માગ્યા હોવાનું કલેક્ટરે સ્વીકાર્યુ હોવાનું મનસુખ વસાવાએ નિવેદન આપ્યુ. સાથે કહ્યું કે રાજપીપળા નહીં પરંતુ કેવડિયા હેલિપેડ પણ તેમણે પૈસાની માગણી કરી હતી. આ વાતનો કલેક્ટરે આજે સ્વીકાર કર્યો છે.
-
26 Dec 2025 07:30 PM (IST)
રાજકોટ: વિરાણી હાઈસ્કૂલ જમીન વિવાદમાં વકીલનો ખૂલાસો
રાજકોટ: વિરાણી હાઈસ્કૂલ જમીન વિવાદમાં ટ્રસ્ટના વકીલ પરેશ ઠાકરનું નિવેદન સામે આવ્યું છે. જમીન વેચાણ માટે ન કાઢી હોવાનો વકીલે ખુલાસો કર્યો છે. ટ્રસ્ટની જમીન વેચી શકાય નહીં, ટ્રસ્ટનું વેચાણ ન થઈ શકે જમીન બદલાઈ શકે તેવુ વકીલે જણાવ્યુ છે. શાળાની જમીનના કપાત અંગે 90 લાખ રૂપિયા મળ્યા છે. જમીન વેચાણ અંગે પુરૂષોત્તમ પીપળીયાની અરજી ફગાવાઈ છે. શામજી વેલજી ટ્રસ્ટ શૈક્ષણિક સંકુલમાં વધારો કરશે તેવુ વકીલે જણાવ્યુ છે.
-
26 Dec 2025 07:11 PM (IST)
અમદાવાદ શહેર પોલીસ કમિશનરે લીધી ભદ્ર પ્લાઝાની મુલાકાતે
અમદાવાદ શહેર પોલીસ કમિશનરે ભદ્ર પ્લાઝાની મુલાકાત લીધી હતી. ભદ્ર વિસ્તારની ટ્રાફીકની સમસ્યાનુ જાત નિરીક્ષણ કર્યુ હતુ. હાઇકોર્ટના આદેશ બાદ મનપાએ પાથરણાવાળાને ભદ્રથી કિલ્લાથી દૂર ખસેડ્યા છે. પાથરણાવાળાને દૂર કર્યા બાદ ટ્રાફીકની સમસ્યા નહીવત છે. ભદ્ર વિસ્તારના લોકોને ટ્રાફીકની સમસ્યાથી મુક્તિ મળી છે. પાથરણાવાળાની પણ વૈકલ્પિક વ્યવસ્થા કરાઈ છે.
-
26 Dec 2025 06:50 PM (IST)
અમદાવાદ: જમાલપુરની સુમન જ્વેલર્સમાં ચોરી
અમદાવાદ: જમાલપુરની સુમન જ્વેલર્સમાં જ્વેલર્સની નજર ચુકવી ચોરીની ઘટનાને અંજામ અપાયો છે. ગ્રાહક બનીને આવેલા અજાણ્યા લોકોએ વેપારીની નજર ચૂકવીને લાખોના દાગીનાની ચોરી કરી. દાગીનાની કિંમત આશરે 9 લાખ હોવાનું સામે આવ્યું છે. બાળક, બે મહિલા અને અજાણ્યો પુરુષ સહિતના દુકાનમાં પ્રવેશ્યા હતા અને શોકેસમાંથી સોનાની 100થી 110 ગ્રામની ચૂનીના 7 પેકેટની ચોરી કરી હતી. વેપારીએ સ્ટોક તપાસતા ચોરી થઈ હોવાનો ભાંડો ફૂટ્યો છે. વેપારીએ હાલ પોલીસ ફરિયાદ નોંધાવતા આ અંગે વધુ તપાસ હાથ ધરાઈ છે.
-
26 Dec 2025 06:30 PM (IST)
અમદાવાદ: ઉત્તરાયણમાં પ્રતિબંધિત વસ્તુઓના વેચાણ અંગે HCનો આદેશ
અમદાવાદ: ઉત્તરાયણમાં પ્રતિબંધિત વસ્તુઓના વેચાણ અંગે HCએ ચાઈનીઝ દોરી, કાચ વાળી દોરી, ટુક્કલ સહિતની વસ્તુઓ પર પ્રતિબંધનો આદેશ કર્યો છે. ઉત્તરાયણમાં ઉપયોગમાં લેવાતી વસ્તુઓ અંગે માર્ગદર્શિકા જાહેર કરાઈ છે. પ્રતિબંધિત વસ્તુઓનું વેચાણ કરતાં લોકો સામે કડક કાર્યવાહી કરવાનો હુકમ કરાયો છે.
આ વસ્તુઓનો સંગ્રહ કરતાં વેપારીઓ સામે પણ લાલ આંખ કરાઈ છે.
ઉત્તરાયણના તહેવારને લઈને હમણાં સુધી કરાયેલી કામગીરીનો અહેવાલ પણ કોર્ટમાં રજૂ કરાયો છે. સાથે જ 21 નવેમ્બરથી 10 ડિસેમ્બર સુધી 56 FIR નોંધી પોલીસે 36.80 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. મહત્વનું છે કે ઉત્તરાયણની ઉજવણીને પગલે કેવા પ્રકારની વસ્તુઓનું વેચાણ કરવું તે માટેની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. તદઉપરાંત દરેક જિલ્લા પોલીસ વડા અને સંબધિત અધિકારીઓને ડે ટુ ડે રિપોર્ટ કરવા પણ કોર્ટે નિર્દેશ આપ્યા છે.
-
26 Dec 2025 06:07 PM (IST)
વાવ-થરાદ: મંથર ગતિએ ચાલતી રોડની કામગીરી સામે ખેડૂતોએ માંડ્યો મોરચો
વાવ-થરાદ જિલ્લામાં મંથર ગતિએ ચાલતી રોડની કામગીરી સામે ખેડૂતોએ મોરચો માંડ્યો છે. આગથળા-ધાનેરા રોડની કામગીરી ગોકળ ગતિ થતા ખેડૂતો અને સ્થાનિકોએ ધરાણાં કરીને વિરોધ નોંધાવ્યો છે. ધીમી કામગીરીથી કંટળાની સ્થાનિકોએ જાતે જ પાવડા-તગારા લઈને રોડના ખાડા પુરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે પોલીસે તમામ સ્થાનિકોને અટકાવી દીધા હતા. 25 લોકોની અટકાયત કરી હતી. સ્થાનિકોનો દાવો છે કે દોઢ વર્ષથી રસ્તાનું કામ ચાલે છે તેમ છતાં કામગીરી પૂર્ણ થઈ નથી અને ઠેર-ઠેર રસ્તો ખોદી નંખાતા સ્થાનિકોને અવર-જવર કરવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. આગથળા-ધાનેરા રોડની ધીમી કામગીરીથી 30 જેટલા ગામના લોકોને અસર પહોંચી છે. ઠેર-ઠેર રસ્તો ખોદી નાખ્યો હોવાથી ખેડૂતોને ખેતરમાં વાહન સાથે જવામાં ભારે મુશ્કેલી પડે છે. ઘણીવાર અકસ્માતો પણ થાય છે. સ્થાનિકોને દાવો છે કે વારંવાર અધિકારીઓ અને આગેવાનોને રજૂઆત કરવા છતાં તંત્રના પેટનું પાણી પણ હલતુ નથી. મંગળવાર સુધીમાં રસ્તાની કામગીરી પૂર્ણ નહીં થાય તો સ્થાનિકોએ રસ્તા પર ચક્કાજામ કરવાની ચીમકી ઉચ્ચારી છે.
-
26 Dec 2025 05:48 PM (IST)
ભરૂચઃ ટ્રકની અડફેટે મોપેડ ચાલક, ચમત્કારિક બચાવ
ભરૂચઃ ટ્રકની અડફેટે આવેલા મોપેડ ચાલકનો ચમત્કારિક બચાવ થયો છે. શક્તિનાથ વિસ્તારમાં બેફામ ટ્રકે ટક્કર મારી હતી. ટ્રકની ટક્કરથી મોપેડચાલક રોડ પર પડકાયા. ટ્રકના પૈડા નીતે મોપેડનો કચ્ચરઘાણ નીકળી ગયો. ભયંકર અકસ્માતમાંચ ચાલકનો આબાદ બચાવ થયો છે.
મહત્વનું છે કે, ગોદી રોડ પર RCC રોડ બનાવવાની કામગીરીના કારણે ભારે વાહનોને શહેરમાંથી અવર-જવર કરવા તંત્રએ જાહેરનામું બહાર પાડ્યું છે. જો કે, જાહેરનામાની આડમાં ભારે વાહનો શહેરમાં બેફામ દોડી રહ્યા છે. જેના કારણે અકસ્માતોની સંખ્યા વધી છે.
-
26 Dec 2025 05:03 PM (IST)
અમદાવાદઃ ક્ષતિગ્રસ્ત સુભાષ બ્રિજ અંગે સૌથી મોટા સમાચાર
અમદાવાદઃ ક્ષતિગ્રસ્ત સુભાષ બ્રિજ અંગે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. સુભાષ બ્રિજનું સુપર સ્ટ્રક્ચર દૂર કરી નવો બ્રિજ બનાવાશે. હાલના બ્રિજની બંને બાજુએ નવો બ્રિજ બનશે.હાલના બ્રિજનું રિસ્ટ્રક્ચરનું કામ 9 મહિનામાં પૂર્ણ કરાશે. ત્યારબાદના બે વર્ષમાં બંને બાજુ બે લેનના બ્રિજનું કામ પૂર્ણ કરાશે. સોમવારથી જ ટેન્ડરની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. રિસ્ટોરેશનની 9 મહિનાની કામગીરી પૂર્ણ થતા બ્રિજ લોકો માટે ખુલ્લો મુકાશે. 52 વર્ષ જૂના બ્રિજના લાંબા સ્પાનને નાના કરવામાં આવશે. હાલના બ્રિજના હયાત પિલર જાળવી રાખી 7 નવા પિલર બનાવાશે. નવા પિલર તૈયાર થઈ ગયા પછી ઉપર સ્પાનનું કામ શરૂ કરાશે. 250 કરોડમાં રિસ્ટોરેશન અને નવા બ્રિજ બંનેનું કામ પૂર્ણ કરાશે
-
26 Dec 2025 04:49 PM (IST)
ગીરસોમનાથ: તલાટી અને ખેડૂતની રકઝકનો વીડિયો વાયરલ
ગીરસોમનાથમાં તલાટી અને ખેડૂતની રકઝકનો વીડિયો વાયરલ થયો છે. વાવેતરના દાખલો વિશે પૂછપરછ કરવા આવેલા ખેડૂતને કડવો અનુભવ થયો છે. મહિલા તલાટી એ ખેડૂત સાથે ગેરવર્તુનક કરતો વીડિયો ખેડૂતે વાયરલ કર્યો. સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયો તાલાલા તાલુકાના આંબળાશ ગામનો અને મહિલા તલાટી નું નામ માધુરી બેન ઠાકોર હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
-
26 Dec 2025 04:45 PM (IST)
ઉન્નાવ રેપ કેસના આરોપી કુલદીપસિંહ સેંગરને જામીન મળતા NSUI એ કર્યા દેખાવો
દિલ્હી હાઈકોર્ટે ઉન્નાવ રેપ કેસના દોષિત ભૂતપૂર્વ ધારાસભ્ય કુલદીપસિંહ સેંગરની સજા સ્થગિત કરી દીધી અને તેને જામીન મળી ગયા છે. . કોર્ટે ચુકાદો આપ્યો હતો કે સેંગર ટેકનિકલી ટેકનિકલી જાહેર સેવક નથી. ભારતીય ન્યાય સંહિતા અને પોક્સો ની વર્તમાન પરિભાષા મુજબ સાંસદ કે ધારાસભ્ય સરકારી કર્મચારીની કેટેગરીમાં ગણવામાં આવતા નથી. આથી તેને જાહેર સેવકો માટે નિર્ધારિત કડક સજાનો નિયમ તેના પર લાગુ નહીં થાય. આ નિર્ણયથી કાયદાની વ્યાખ્યા અને જવાબદારી અંગે વિવાદ શરૂ થઈ ગયો છે. આ જ મામલે અમદાવાદમાં NSUI ના કાર્યકર્તાઓએ ચાંદલોડિયા વિસ્તારમાં દેખાવો કર્યા. કુલદીપ સેંગરને ફાંસી આપવાની માંગ સાથે દેખાવો કરવામાં આવ્યા. જેમા પોલીસે દેખાવો કરી રહેલ NSUI-યુથ કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરી હતી. આપને જણાવી દઈએ કે સગીરા સાથે રેપના આરોપમાં કુલદીપ સેંગરને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.
-
26 Dec 2025 04:38 PM (IST)
કોંગ્રેસની જન આક્રોશ રેલીમાં બબાલ
કોંગ્રેસની જન આક્રોશ રેલીમાં બબાલના દૃશ્યો સામે આવ્યા છે. જેમા ભાજપ કોંગ્રેસના કાર્યકરો સામસામે આવ્યા હતા. છાણી ગામમાં ભાજપ નેતા દક્ષેશ ગાંધી અને કોંગ્રેસ કાર્યકરો વચ્ચે માથાકૂટ થઈ. આખરે પોલીસે વચ્ચે પડી મામલો થાળે પાડ્યો.
-
26 Dec 2025 04:37 PM (IST)
હોટલ અને રેસ્ટોરન્ટમાં થઇ રહેલા અન્નના બગાડને અટકાવવા ફેડરેશન મેદાને
હોટલ અને રેસ્ટોરન્ટમાં થઇ રહેલા અન્નના બગાડને અટકાવવા ગુજરાત રાજ્ય હોટલ ફેડરેશન અભિયાન ચલાવશે. જે અંતર્ગત અન્નનો બગાડ ના કરનાર ગ્રાહકને 5% ડિસ્કાઉન્ટ આપવા અપીલ કરાઈ છે. શરૂઆતમાં ગુજરાત રાજ્ય હોટલ ફેડરેશન કમિટીના સભ્યો ડિસ્કાઉન્ટ આપશે. પ્રાથમિક તબક્કામાં દર રવિવારે 5% ડિસ્કાઉન્ટ અમલમાં મુકાશે. અભિયાનને યોગ્ય પ્રતિસાદ મળતાં નિયમિત ધોરણે ડિસ્કાઉન્ટ લાગુ કરાશે. દરેક હોટલ અને રેસ્ટોરન્ટમાંના ગેટ પર તથા મેનું પર ડિસ્કાઉન્ટની સુચના લગાડાશે. છેલ્લા ઘણા સમયથી હોટલ રેસ્ટોરન્ટ્સ અને બેંકવેટમાં થઇ રહેલા અન્નના બગાડને અટકાવવા અભિયાન હાથ ધરાયુ છે.
-
26 Dec 2025 02:42 PM (IST)
શિક્ષણ વિભાગના 200 ક્લાસ 2 અધિકારીઓની બદલીઓ
શિક્ષણ વિભાગમાં બદલીઓનો દોર શરૂ થયો છે. શિક્ષણ વિભાગના 200 ક્લાસ 2 અધિકારીઓની બદલીઓ કરવામાં આવી. DEO કચેરીના શિક્ષણ નિરીક્ષકો અને આચાર્યોની સામુહિક બદલી. જાહેરહિતમાં તાત્કાલિક બદલીઓના ઓર્ડર અપાયા.
-
26 Dec 2025 01:56 PM (IST)
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ફરી આવશે ગુજરાત
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ 27 અને 28 ડિસેમ્બરે અમદાવાદમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. 28 ડિસેમ્બરે શેલામાં મહત્વપૂર્ણ ડ્રેનેજ પાઈપલાઈનનું લોકાર્પણ કરશે, જે થોડા સમય પહેલા સ્થાનિક રહીશોએ રજૂ કરેલી માંગના અનુસંધાનમાં 600 કરોડ રૂપિયાના ખર્ચે ઝડપથી પૂર્ણ કરવાની ખાતરી તેમણે આપી હતી. આ સાથે સાબરમતી નદી વિસ્તારના રહીશોને પુનર્વસન અને સર્ટિફિકેશન પણ આપવામાં આવશે. અમિત શાહ પકવાન સર્કલ ખાતે તૈયાર થયેલા આઈકોનિક એસ.જી. હાઈવે પ્રોજેક્ટની પણ મુલાકાત લેશે. તેમની મુલાકાત દરમિયાન બપોરે 2 વાગ્યે ગુરુદ્વારા ગોવિંદધામના દર્શન કરશે, સાંજે 6 વાગ્યે નમોત્સવમાં હાજરી આપશે અને સાંજે 7 વાગ્યે વિશ્વ ઉમિયાધામ ખાતે યોજાનારા યુવા બિઝનેસ મહાસંમેલનમાં હાજરી આપશે.
-
26 Dec 2025 01:37 PM (IST)
અમિત શાહના હસ્તે ડ્રેનેજ લાઇનનું થશે લોકાર્પણ
અમદાવાદનો સૌથી વધુ ઝડપથી વિકસી રહેલો વિસ્તાર એટલે કે શેલા અને બોપલ વિસ્તાર. હાલમાં આ વિસ્તારમાં 20 લાખથી વધુ રહે છે. આ તમામ લોકો પાછલા કેટલાય વર્ષોથી ડ્રેનેજ અને વરસાદી પાણી સહિતની સમસ્યાથી હાલાકી ભોગવી રહ્યા છે. ત્યારે સાંસદ અમિત શાહે નાગરિકોને આ સમસ્યાનો અંત આવશે. જે બાદ AMC કામે લાગ્યુ અને કોર્પોરેશન દ્વારા અહીં નવી ડ્રેનેજ લાઈન નાખવાનું કામ પૂર્ણ કરવામાં આવ્યુ. જેનું રવિવારે અમિત શાહના હસ્તે તેનું લોકાર્પણ કરવામાં આવશે.
-
26 Dec 2025 01:08 PM (IST)
કચ્છ: ભચાઉમાં મીઠા માફિયાઓના દબાણ સામે તંત્રની કાર્યવાહી
કચ્છના ભચાઉમાં મીઠા માફિયાઓના દબાણ સામે તંત્ર પગલાંમાં આવ્યું છે. વોંધ અને ચીરઈ નજીક ડિમોલિશન કામગીરીમાં લગભગ 100 પોલીસ કર્મીઓ અને અધિકારીઓની હાજરીમાં મીઠાના પાળા અને પ્લોટ સહિતના તમામ દબાણો દૂર કરવામાં આવ્યા છે. આ પગલાં પછી દિનદયાલ પોર્ટ હસ્તકની જમીન ખુલ્લી કરી તંત્રએ વ્યવસ્થાપન સુનિશ્ચિત કર્યું છે.
-
26 Dec 2025 12:44 PM (IST)
પાટણ: ખારેડા ગામમાં SMCનો સપાટો
પાટણ: ખારેડા ગામમાં SMCનો સપાટો. વિદેશી દારૂના કટિંગ દરમિયાન SMCએ રેડ કરી. 29 લાખના વિદેશી દારૂ સાથે 54 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. દારૂના કટિંગ દરમિયાન ઝડપાયેલા ઈસમો સામે ફરિયાદ દાખલ. સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલ ઉઠ્યો.
-
26 Dec 2025 12:37 PM (IST)
ભાવનગર: ડુંગળીના ભાવ તળિયે જતા ખેડૂતોની હાલત કફોડી
ભાવનગરમાં ડુંગળીના ભાવ તળિયે જતા ખેડૂતોની હાલત કફોડી બની છે. મહુવાના તરેડ ગામના ખેડૂતો પોતાના તૈયાર ડુંગળીના પાકને પશુને ચરાવવા માટે મજબૂર થયા છે. માર્કેટિંગ યાર્ડમાં હરાજીમાં ડુંગળીના ખૂબ ઓછા ભાવ બોલાતા ખેડૂતોમાં નિરાશા વ્યાપી ગઈ છે. ચાર વિઘામાં ડુંગળીનું વાવેતર પાછળ અંદાજે એક લાખ રૂપિયાનું ખર્ચ થયું હતું, જેમાં મોંઘા બિયારણ, દવા અને મજૂરીનો ખર્ચ પણ સામેલ છે. ઓછી કિંમતોને લઈને ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે અને તેઓ યોગ્ય ભાવની માંગ લઈને સરકાર સમક્ષ રજૂઆત કરવા માટે આગળ આવ્યા છે.
-
26 Dec 2025 11:59 AM (IST)
અમદાવાદઃ ક્ષતિગ્રસ્ત સુભાષબ્રિજને લઈને એક્શનમાં AMC
અમદાવાદમાં ક્ષતિગ્રસ્ત સુભાષબ્રિજના પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા એએમસી એક્શનમાં આવી છે. વડોદરાની એજન્સી બાદ હવે સુભાષબ્રિજ પર ડ્રોન સરવે કરવામાં આવ્યો છે, જે ઝારખંડ અને બિહારના બ્રિજ સર્વેના અનુસંધાનમાં કરવામાં આવે છે. આસરવે AI ટેકનોલોજીની મદદથી બ્રિજની 3D ઈમેજ તૈયાર કરવામાં આવશે. સેન્સર દ્વારા બ્રિજની તિરાડ, સ્પાન અને ઉપરના હિસ્સાનું રેકોર્ડિંગ લેવામાં આવશે. ત્રણ દિવસ સુધી ડ્રોન સર્વે ચાલુ રહેશે અને 10 દિવસમાં 3D મેપિંગ રિપોર્ટ તૈયાર કરીને AMCને રજૂ કરવામાં આવશે.
-
26 Dec 2025 11:33 AM (IST)
સુરતઃ પાલ વિસ્તારમાં દેશી દારૂના અડ્ડા પર જનતા રેડ
સુરત પાલ વિસ્તારમાં મહાદેવ ફળિયામાં ચાલી રહેલા ખુલ્લા દેશી દારૂના અડ્ડા પર સ્થાનિક લોકોએ જનતા રેડ કરી પોલીસની નિષ્ક્રિયતાને સવાલો ઊભા કર્યા હતા. મહિલા અને પુરુષો સહિતના લોકો જાહેરમાં દારૂ વેચાતા જોઈને જાતે કાર્યવાહી હાથ ધરી અને મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ઝડપી લીધો. લોકોનું સવાલ હતું કે જો તેઓ અડ્ડા પર રેડ કરી શકે છે તો પોલીસ કેમ લાપરવાહી કરે છે? જનતા રેડથી સ્થાનિક પોલીસની કામગીરી સામે જાગૃત પ્રશ્નો ઉઠ્યાં છે.
-
26 Dec 2025 10:54 AM (IST)
વડોદરા: ઠંડીને કારણે શ્રમજીવીનું મોત થયાની આશંકા
વડોદરા: ઠંડીને કારણે શ્રમજીવીનું મોત થયાની આશંકા છે. સંગમ ચાર રસ્તા પર ફૂટપાથ પર સુઈ રહેલા શ્રમજીવીનું મોત થયુ. મૃતક શ્રમજીવીને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયો. મોતનું ચોક્કસ કારણ જાણવા પોસ્ટમાર્ટમ કરાશે.
-
26 Dec 2025 10:31 AM (IST)
મહેસાણા: 20થી 22 વિદ્યાર્થીને ફૂડ પોઈઝનિંગની અસર
મહેસાણા: 20થી 22 વિદ્યાર્થીને ફૂડ પોઈઝનિંગની અસર થઇ છે. સતલાસણાના ગોરીયાપુરમાં આવેલી મોડેલ સ્કૂલમાં હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગની અસર થઇ. વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગ અસર થતા સિવિલ ખસેડાયા. રાત્રે ભોજન લીધા બાદ વિદ્યાર્થીઓની તબિયત અચાનક લથડી. તમામ વિદ્યાર્થીઓની તબિયત સુધારા પર છે. શિક્ષણ અને આરોગ્ય વિભાગ દ્વારા ઘટના અંગે તપાસ શરુ કરી છે.
-
26 Dec 2025 10:24 AM (IST)
સુરતઃ સ્પોર્ટસ બાઈકને કારણે વધુ એકનો ગયો જીવ
સુરતઃ સ્પોર્ટસ બાઈકને કારણે વધુ એકનો જીવ ગયો છે. સુરતના પુણાગામમાં ફુલઝડપે બાઈક ચલાવવાથી બેના મોત થયા છે. રોંગ સાઈડમાં ઓવરસ્પીડમાં જતા અકસ્માત થયો. BRTSમાં સામેથી આવતા બાઈકચાલકને અડફેટે લીધા. ઘટનાસ્થળે જ બે લોકોના મોત થયા. સ્પોર્ટસ બાઈક ચાલક રોંગ સાઈડમાં ફુલ ઝડપે જઈ રહ્યો હતો.
-
26 Dec 2025 10:09 AM (IST)
સુરત: પાલ ઉમરા બ્રિજ પર યુવકને આપઘાત કરતા બચાવાયો
સુરત: પાલ ઉમરા બ્રિજ પર યુવકને આપઘાત કરતા બચાવાયો. ભાઈ અને દાદી સતત પૈસાની માગણી કરી પરેશાન કરતા હતા. પૈસાની પરેશાનીથી કંટાળી યુવકનો આપઘાતનો પ્રયાસ કર્યો. એક જાગૃત નાગરિકે પોલીસને જાણ કરતા પોલીસ મદદે આવી.અડાજણ પોલીસે યુવકને બચાવી કાઉન્સિલિંગ માટે મોકલ્યો.
-
26 Dec 2025 09:25 AM (IST)
મોરબી: આધેડ બન્યા હનીટ્રેપનો શિકાર
મોરબી: આધેડ હનીટ્રેપનો શિકાર બન્યા છે. એક મહિલા સહિત 8 લોકોએ શિકાર બનાવ્યા. પોતાની વાડી માટે શ્રમિકની શોધમાં રહેલા પ્રૌઢ ફસાયા. મહિલા શ્રમિકે નિર્વસ્ત્ર થઈ વીડિયો બનાવ્યો. મહિલાએ દુષ્કર્મની ધમકી આપી લાખોની ઠગાઈ કરી. સોનાના 4 બિસ્કિટ સહિત સોનાનો ચેઈન અને રોકડની ઠગાઈ કરી. આરોપીઓએ કુલ 53.50 લાખનો મુદ્દામાલ પડાવ્યો. પોલીસે એક મહિલા સહિત 8 આરોપીઓ સામે ફરિયાદ નોંધી.
-
26 Dec 2025 09:13 AM (IST)
વડોદરાઃ PIના નામે લાંચ લેતો વચેટિયો પકડાયો
વડોદરાઃ PIના નામે લાંચ લેતો વચેટિયો પકડાયો. આરોપી સુરેશ તોલાણી 2.5 લાખની લાંચ લેતા ઝડપાયો. જમીનના કેસમાં ફરિયાદ દાખલ કરાવવા માટે લાંચ માંગી હતી. ફરિયાદના બદલામાં નાણાની માંગણી કરાઈ હતી. અનુભવ એન્ટરપ્રાઈસની દુકાનમાં ACBએ છટકું ગોઠવ્યુ હતું.
-
26 Dec 2025 09:11 AM (IST)
મહેસાણા: ઊંઝાના વૈજનાથ મંદિરમાં ચોરી
મહેસાણા: ઊંઝાના વૈજનાથ મંદિરમાં ચોરી થઇ છે. તસ્કરોએ દાનપેટીને નિશાન બનાવી. 3 ગોલખ અને 15 હજાર રોકડની ચોરી કરી. ચોરીની ઘટના મંદિરના CCTV કેમેરામાં કેદ થઇ છે. સંચાલકોએ પોલીસ ફરિયાદ નોંધાવી.
-
26 Dec 2025 08:29 AM (IST)
કચ્છમાં વેપારી સાથે 28 લાખની ઠગાઇ
કચ્છ જિલ્લાના ભુજમાં વેપારી સાથે 28 લાખ રૂપિયાની છેતરપિંડીના કેસમાં પોલીસે ગણતરીના કલાકોમાં ઠગ ત્રિપુટી પૈકીના એક આરોપીને ઝડપી પાડ્યો છે. ત્રણ આરોપીએ વેપારીને સસ્તુ સોનું આપવાની લાલચ આપીને છેતરપિંડી આચરી હતી.એક આરોપીએ ફેસબુક મેસેન્જરથી વેપારીને મેસેજ કરી પોતે ગોલ્ડ બિસ્કિટના વેપારી સાથે સંકળાયેલ છે તેવું કહ્યું હતું અને વેપારીને બજાર કિંમત કરતા 15 ટકા ઓછા ભાવે સસ્તું સોનું આપવાનો વાયદો કર્યો હતો.જ્યારે અન્ય બે આરોપીએ ખોટા નામ ધારણ કરીને વેપારી સાથે સોના અંગે મિટિંગ કરી હતી અને વેપારીનો વિશ્વાસ જીતવા માટે આરોપીએ સોનાન ત્રણ બિસ્કીટ પણ બતાવ્યા હતા અને વેપારી પાસેથી 28 લાખ રૂપિયા પડાવી લીધા હતા.
-
26 Dec 2025 08:01 AM (IST)
નાઇઝીરિયામાં ISISના ઠેકાણા પર અમેરિકાની એર સ્ટ્રાઇક
નાઇઝીરિયામાં ISISના ઠેકાણા પર અમેરિકાએ એર સ્ટ્રાઇક કરી. અમેરિકાએ એર સ્ટ્રાઇકનો વીડિયો જાહેર કર્યો. ટ્રમ્પે નાઇઝીરિયામાં ISIS વિરૂદ્ધ ઘાતક હુમલો કહ્યો. ISISને કત્લેઆમ બંધ કરવાની ચેતવણી આપી હતી. કહ્યુ આતંકીઓ નિર્દોષ ઇસાઇઓને નિશાન બનાવી રહ્યા હતા. કટ્ટરપંથી ઇસ્લામી આતંકવાદને પોષવા નહીં દેવાય એમ જણાવ્યુ.
-
26 Dec 2025 07:46 AM (IST)
કચ્છઃ રાપરમાં 4.6ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો
કચ્છઃ રાપરમાં 4.6ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો. વહેલી સવારે 4.30 કલાકે અનુભવાયો ભૂકંપનો આંચકો. ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપરથી 22 કિમી દૂર નોંધાયું. ગેડી ગામ નજીક 9 કિમી ઉંડાઇએ આંચકો નોંધાયો. વાગડ પંથકમાં ભૂકંપના આંચકાથી લોકો ભયભીત થઇ ગયા.
-
26 Dec 2025 07:28 AM (IST)
પીએમ મોદી આજે રાષ્ટ્રીય બાળ પુરસ્કાર વિજેતાઓ સાથે વાતચીત કરશે
પ્રધાનમંત્રી મોદી આજે દિલ્હીમાં વીર બાળ દિવસ કાર્યક્રમમાં હાજરી આપશે. તેઓ ભારત મંડપમ ખાતે કાર્યક્રમને સંબોધિત કરશે. આ દિવસ શ્રી ગુરુ ગોવિંદ સિંહના પુત્રો “સાહિબજાદાઓ” ની શહાદતની યાદમાં ઉજવવામાં આવે છે.