
આજે 22 ફેબ્રુઆરીને શનિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
રાજકોટમાં સમૂહલગ્ન વિવાદને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રતિક્રિયા આપી છે. હર્ષ સંઘવીએ રાજકોટ પોલીસે કરેલ કામગીરીને નવાજી છે. હર્ષ સંઘવી કહ્યું રાજકોટ પોલીસની કામગીરીએ સોશિયલ પોલીસિંગનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ગૃહ વિભાગની સૂચના પહેલા જ રાજકોટ પોલીસના કોન્સ્ટેબલથી લઈ DCP સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી 6 યુગલોના લગ્ન કરાવ્યા. અમને ખેદ છે કે તમામ યુગલોની લગ્ન વિધિ ન કરાવી શક્યા. રાજકોટ પોલીસની ભૂમિકા અને કાર્યવાહીની સરાહના. સમૂહલગ્નના આયોજકો વિરુદ્ધ ગંભીરતાથી તપાસ કરી કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.
વડોદરા શહેરમાં જુલાઈ અને ઓગસ્ટમાં આવેલા પૂરમાં લોકોને ભારે નુકસાન પહોંચ્યું હતું. ત્યારબાદ પુર નિયંત્રણના આયોજન માટે રાજ્ય સરકારે એક કમિટીનું ગઠન કર્યું હતું. કમિટિએ પૂર નિવારણ અંગેનો રિપોર્ટ સબમિટ કર્યો છે. એટલે હવે પાલિકા આગામી 5 માર્ચથી વિશ્વામિત્રી નદીને ઊંડી અને પહોળી કરવાની કામગીરી કરશે. જેને લઈને માટી કાઢીને તેને ખાલી કરવાની જગ્યા પણ નક્કી છે. જો મગર સહિતના જળચર પ્રાણીઓ નીકળે તો તેને આજવા અને સયાજીબાગ ખાતે સ્થળાંતર કરાશે. પ્રાણીઓને રેસક્યુ કરવા માટે ફોરેસ્ટ વિભાગના વિભાગની ટીમ, વોલિયન્ટર્સ સહિત તબીબોને સાથે રાખવામાં આવશે.
હવામાન વિભાગે ગરમીના પ્રમાણમાં વધારો થવાની આગાહી કરી છે. રાજ્યવાસીઓએ ગરમી માટે રહેવું પડશે તૈયાર.
આગામી બે દિવસ બાદ 2-3 ડિગ્રી વધારો થવાની શક્યતા. અમદાવાદમા મહત્તમ તાપમાન 33.7 ડિગ્રી રહ્યું.
રાજકોટમાં સૌથી વધુ 36.7 ડિગ્રી રહ્યું. 24 ફેબ્રુઆરીએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા ગરમીનો અનુભવ થશે. રાજ્યમાં વાદળ છાયું વાતાવરણ રહેશે.
બાંગ્લાદેશમાં ફરી એકવાર હિન્દુઓ વિરુદ્ધ હિંસા ભડકી ઉઠી છે. ઘણા શહેરોમાં હિન્દુઓના ઘરો સળગાવવામાં આવ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે એટલે કે રવિવારે બાગેશ્વર ધામની મુલાકાત લેશે. અહીં તેઓ કેન્સર હોસ્પિટલનો શિલાન્યાસ કરશે. પીએમની મુલાકાતને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.
હવામાનના જાણકાર અંબાલાલ પટેલે, ગુજરાતના હવામાનને લઈને મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં બે વખત વરસાદી વાતાવરણ સર્જાવાની શકયતાઓ વર્ણાવી છે. પ્રથમ વખત 24 થી 28 ફેબ્રુઆરી દરમિયાન કમોસમી વરસાદ પડી શકે છે. જ્યારે ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદની શકાયાતો વર્ણાવી છે. રાજ્યના કેટલાક ભાગોમાં વાદળ છાયું વાતાવરણ અને વરસાદી છાંટાઓ પડશે.
માર્ચ મહિનાની શરૂઆતમાં પણ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. 7 થી 10 માર્ચ દરમિયાન ફરી એક વખત કમોસમી વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યના છુટાછવાય વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે. માર્ચ મહિનાથી રાજ્યમાં આકરી ગરમીની શરૂઆત થશે.
રાજ્યમાં હાઇકોર્ટ પ્રત્યેનાં અધિકારીઓ વલણ સામે હાઇકોર્ટે સખ્ત નારાજગી વ્યકત કરી છે. ક્લાસ- 1 થી લઈને અનેક કેડરના અધિકારીઓ હાઇકોર્ટના હુકમનું ધરાર અપમાન કરતા હોય તેવું હાઇકોર્ટનું મૌખિક અવલોકન. માત્ર ફેબ્રુઆરી માસમાં 10 વધુ બનાવ સામે આવ્યા છે જેમાં રાજ્યનાં અધિકારીઓએ કોર્ટના હુકમનું પાલન ન કર્યું હોય તેવુ હાઇકોર્ટે અવલોકન કર્યું છે. તમામ અધિકારીઓને હાઇકોર્ટની ગરિમા જાળવવા કોર્ટનો મૌખિક આદેશ કર્યો છે. હાઇકોર્ટનું રાજ્ય સરકારને સૂચન, જો અધિકારીઓને કાયદા ખ્યાલ ન હોય તો ક્લાસ આપી કાયદા શીખવાડો.
વાસ્મોનો એન્જિનિયર લાંચ લેતા ACBના છટકામાં ઝડપાયો છે. એન્જિનિયર રવિ દરજીને ACBએ રુપિયા એક લાખની લાંચ લેતા ઝડપી પાડ્યો છે. કોન્ટ્રાક્ટર પાસે બિલ મંજુર કરાવવા માંગી હતી લાંચ. “નલ સે જલ”યોજનાની કામગીરી કરનાર કોન્ટ્રાક્ટર પાસે લાંચ માંગી હતી. પૂરેપૂરી રકમ આપવા સામે એન્જિનિયરે કોન્ટ્રાક્ટર પાસે માંગી હતી લાંચ.
રાજકોટમાં સમૂહલગ્નના આયોજક ફરાર થઈ જતા લગ્નઉત્સુકો અને તેમના સગા સંબંધીઓમાં આયોજકો પ્રત્યે ભારે રોષ ફેલાયો છે. જાન જાનૈયા અને કન્યા પક્ષ રસ્તા પર આવી ગયા હોવાનો ઘાટ સર્જાયો છે. રાજકોટના રેલનગર વિસ્તારમાં સર્વ જ્ઞાતિ સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 28 દિકરીઓના સમૂહલગ્ન યોજવામાં આવ્યા હતા. જો કે આયોજકો ફરાર થઈ જતા હોબાળો મચ્યો હતો.
મહેસાણામાં વેપારીએ આત્મહત્યા કરી લીધી છે. મહેસાણાના ટીબી રોડ નીલકંઠ પ્લાઝા સ્થિત વેપારીને વડીલોપાર્જિત જમીનમાં ભાગ નહીં આપી સહીઓ કરાવી લેવાતા મોતને વ્હાલું કર્યું છે. આ અંગે મૃતકના પુત્રે, મરનારના 3 પિતરાઈ ભાઈ સહીત કુલ 8 સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાંથી પાંચ લોકો રૂપિયા માટે ટોર્ચર કરતા હોવાનું સામ આવ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 7મી તારીખે સૂરતની મુલાકાતે આવી રહ્યાં છે. 7મી માર્ચે PM મોદી લીંબાયત ખાતે આવેલ નીલગીરી ગ્રાઉન્ડમાં કાર્યકમમાં ઉપસ્થિત રહેશે. રાત્રી રોકાણ સુરત સરકીટ હાઉસ ખાતે કરશે. 8 માર્ચે નવસારી ખાતે યોજાનારા કાર્યકમમાં હાજરી આપી દિલ્હી જવા રવાના થશે.
મહારાષ્ટ્રના પુણે ખાતે, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની અધ્યક્ષતામાં આજે યોજાનાર વેસ્ટર્ન ઝોનલ કાઉન્સીલની બેઠકમાં ભાગ લેવા માટે ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ આજે પુણેની મુલાકાતે છે. બેઠકમાં ગુજરાતના રાજ્યકક્ષાના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી મુખ્ય સચિવ પંકજ જોશી પણ હાજર રહેશે.
કાઉન્સિલમાં ગુજરાત સિવાય ગોવા, મહારાષ્ટ્ર, કેન્દ્ર શાસિત દિવ દમણનો પણ સમાવેશ થાય છે. રાજ્ય ગુજરાત સરકાર તરફથી ડિજિટલ ગુજરાત, ઇ સરકાર, ઇઝ ઓફ લિવિંગ પર પ્રેઝન્ટેશન કરાશે. તો મહારાષ્ટ્ર તરફ થી વિલેજ એડોપ્શન, લાડલી બહેન યોજના મુદ્દે ચર્ચા થાય તેવી સંભાવના છે. કેન્દ્ર સરકાર દ્વારા બીએનપીએસના નવા કાયદાઓ સંદર્ભે સુચનાઓ આપવામાં આવે તેવી પણ એક શક્યતા રહેલી છે.
આણંદ જિલ્લાના ધર્મજ ગામમાં કમળા રોગનો કહેર વર્તાઈ રહ્યો છે. ધર્મજ ગામમાં રોગચાળો ફેલાતા ગ્રામજનો ચિંતામાં મુકાયા છે. ધર્મજમાં ગટરના પાણી પીવાના પાણીની લાઈનમાં ભેગા થઇ જતા રોગચાળો ફાટી નીકળ્યો છે. આ બાબતની જાણ પેટલાદ આરોગ્ય વિભાગને થતાં આરોગ્યની 10 ટિમ ધર્મજમાં પહોંચી સર્વેની કામગીરી હાથ ધરી છે. ગામમાં પીવાના પાણીની લાઈનમાં ચાર લીકેજ મળી આવ્યા. એક લીકેજ રીપેર કરવામાં આવ્યું છે. અત્યાર સુધી આરોગ્ય વિભાગની ટીમ દ્વારા 13 દર્દીઓના રિપોર્ટ કરવામાં આવ્યા છે. હાલ કેટલાક દર્દીઓ સરકારી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. આ તમામ રિપોર્ટ કમળાના હોવાનું જાણવા મળ્યું છે.
BRTS બસની અડફેટે 1 વર્ષમાં 116 જેટલા ગંભીર અકસ્માત થયા છે. જેમા 109 લોકના મોત થયા છે. સુરતનો BRTS રૂટ દેશનો સૌથી મોટો ગ્રીન કોરિડોર હોવાનું કહેવાય છે. જેમાં તમામ ઇલેક્ટ્રિક બસો દોડતી હોવાનું ગૌરવ સુરત મહાનગરપાલિકાને મળ્યું છે. સુરત મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2016માં સીટી બસ અને વર્ષ 2014માં BRTS બસ સેવા શરૂ કરવામાં આવી હતી. જે શહેરના એક છેડેથી બીજા છેડે એટલેકે દૂરના વિસ્તારો વચ્ચે BRTS બસ દોડાવવામાં આવે છે. પાલિકા દ્વારા બસો માટે અલગથી ડેડિકેટેડ રૂટ પણ બનાવવામાં આવ્યા છે. જોકે તેમ છતાંય કેટલાક ખાનગી વાહનચાલકો BRTS રૂટમાં ઘૂસી જાય છે ત્યારે કેટલીક વખત દુર્ઘટના બને છે. જેમાં BRTS રૂટની અંદર 69 અને રૂટની બહાર 42નાં મોત થયા છે. જ્યારે 166જેટલા ગંભીર એક્સિડન્ટ થયા છે, જેમાં કોરિડોરની અંદર 84 અને કોરિડોરની બહાર 32 જેટલા એક્સિડન્ટ થયા છે. પાલિકા દ્વારા એક્સિડન્ટ જેવી ઘટનામાં બસ એજન્સી સામે સખત કાર્યવાહી પણ કરવામાં આવે છે. જેમાં છેલ્લા ત્રણ વર્ષમાં 20 લાખ રૂપિયાથી વધુ પેનલ્ટી વસૂલ થઈ છે.
સોશિયલ મીડિયામાં તોફાની રાધા તરીકે ઓળખાતી યુવતીએ કરી આત્મહત્યા. રાધિકા ધામેચા નામની 26 વર્ષીય યુવતીએ ગળે ફાંસો લગાવીને આત્મહત્યા કરી લીધી છે. રાજકોટના રૈયા રોડ પર આવેલા રહેણાંકમાં રાધિકા ધામેચા ઉર્ફે તોફાની રાધા એ આત્મહત્યા કરી લીધી છે. આત્મહત્યા પહેલા, રાધિકાએ પિતાને ફોન કરીને કહ્યું કે, હું ઉપર જાવ છું, પિતા તેના ઘરે પહોંચે તે પહેલા જ તેણીએ આત્મહત્યા કરી લીધી હતી. છેલ્લા થોડા વર્ષોથી રાધિકા ઉર્ફે તોફાની રાધા પરિવારથી અલગ રહેતી હતી. તાજેતરમાં ગોવાથી પરત આવી હતી રાધિકા ધામેચા ઉર્ફે તોફાની રાધા. આત્મહત્યાનું કારણ હજુ અકબંધ છે.
રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ફરી એક વાર તેજ રફતારે લીધો એક યુવકનો જીવ. ધોરાજીના જેતપુર રોડ પર ગત રાત્રીએ બે બાઇક સામ સામે અથડાયા હતા. અકસ્માતમાં માથાના ભાગે ગંભીર ઈજાગ્રસ્ત થયેલ યુવાનને હોસ્પિટલમાં લઈ જતા જ મોત થયું હતું.
અમેરિકામાં, કાશ પટેલે ભગવદ ગીતા પર હાથ રાખીને FBIના 9મા ડિરેક્ટર તરીકે શપથ લીધા હતા. જુઓ શપથવિધીનો વીડિયો.
#WATCH | Washington | Kash Patel takes oath on the Bhagavad Gita, as the 9th Director of the Federal Bureau of Investigation (FBI).
Source: US Network Pool via Reuters pic.twitter.com/c5Jr0ul1Jm
— ANI (@ANI) February 21, 2025
Published On - 7:32 am, Sat, 22 February 25