આજે 21 ઓગસ્ટને સોમવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…
આયુર્વેદિકના નામે નશાયુક્ત સીરપ વેચવાના કેસમાં દેવભૂમિ દ્વારકા પોલીસને મોટી સફળતા મળી છે. નશાયુક્ત સીરપના તાર પંજાબ સુધી ખુલ્યા છે. અમદાવાદ બાદ હવે પંજાબના સંગરૂર જિલ્લામાંથી વધુ એક સીરપની ફેકટરી ઝડપાઈ છે.
દ્વારકા પોલીસની એક ટીમે પંજાબ જઈને ઓપરેશન પાર પાડ્યું અને સંગરૂરની ફેક્ટરીમાંથી 15 હજાર સીરપની બોટલ અને લેપટોપ સહિત એક આરોપીની ધરપકડ કરી. પંજાબનો શખ્સ પાછલા દોઢ વર્ષમાં 2.85 લાખ સીરપની બોટલનું ગુજરાતમાં વેચાણ કરી ચુક્યો છે.
શારજાહ જતી ફ્લાઇટને એક મુસાફરે છાતીમાં દુખાવાની ફરિયાદ કર્યા બાદ જયપુર એરપોર્ટ પર ઉતરવું પડ્યું હતું. ઈન્ડિગોની ફ્લાઈટ રવિવારે લખનઉથી શારજાહ માટે ટેકઓફ થઈ હતી. વિમાનના પાયલોટે મેડિકલ ઈમરજન્સીને ટાંકીને વિમાનને લેન્ડ કરવા જયપુર એરપોર્ટના એર ટ્રાફિક કંટ્રોલર પાસે પરવાનગી માંગી હતી. પરવાનગી મળ્યા બાદ વિમાનને એરપોર્ટ પર લેન્ડ કરવામાં આવ્યું હતું અને રવિવારે રાત્રે 11.40 વાગ્યે 23 વર્ષીય પેસેન્જરને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં નગર પાલિકા દ્વારા હેરિટેઝ માર્ગ વિકસાવવામાં આવી રહ્યો છે. પાલિકા દ્વારા શહેરના મુખ્ય બજારના માર્ગને હેરિટેઝ માર્ગ તરીકે વિકસાવવા માટે નક્કી કરવામાં આવ્યુ હતુ. ખાસ પ્રકારે પ્લાનિંગ કરીને આ માર્ગ વિકસાવવાનુ નક્કી કરી કામની શરુઆત કરી દેવામાં આવી છે. તો બીજી તરફ સ્થાનિક વેપારીઓમાં વહેંચાયેલા જૂથો દ્વારા હવે પાલિકા સામે જ બાંયો ચડાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. કેટલાક વેપારીઓએ ધરણાં ધરીને પાલિકા સામે વિરોધ નોંધાવ્યો હતો. તો વળી ખુદ પાલિકાના એક કોર્પોરેટર પણ આ ધરણાં ગોઠવાઈ જઈને વિરોધ નોંધાવતા મામલો ચર્ચાએ ચડ્યો છે.
ગુજરાતમાંથી વધુ એક કિરણ પટેલ ઝડપાયો છે કિરણ પટેલનું નામ સાંભળતા જ મહા ઠગ તરીકેની ઓળખ સામે આવે છે અને આવો જ એક વધુ ઠગબાજની પોલીસે ધરપકડ કરી છે. ગુજરાતના મુખ્યમંત્રી તેમજ અન્ય નેતાઓ અને અધિકારીઓ સાથે અલગ અલગ જગ્યાઓ પર ફોટોમાં દેખાતો આ વ્યક્તિ કે જે પોતાની ઓળખ કોઈ વાર ભાજપના કાર્યકર્તા તરીકે તો અધિકારીઓ પાસે CMOના ઉચ્ચ અધિકારીની ઓળખ આપી અને પોતાની ભલામણો કરાવતો હતો.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં સોમવારે બપોરે હિન્દુ સંહઠનોએ નવજીવન હોટલ આગળ હોબાળો મચાવ્યો હતો. એક વિધર્મી યુવક પોતાની સાથે એક યુવતીને લઈ પહોંચ્યો હતો. આ અંગેની ખબર મળતા જ એક બાદ એક હિન્દુ સંગઠનના કાર્યકરો હોટલ આગળ એકઠા થવા લાગ્યા હતા. હોટલે પહોંચેલા કાર્યકરોએ હોબાળો મચાવ્ચો હતો. આ અંગેની જાણકારી સ્થાનિક પોલીસને થતા પોલીસનો કાફલો પણ હોટલ પર પહોંચ્યો હતો. હોટલ આગળ મોટી સંખ્યામાં હિન્દુ સંગઠનના કાર્યકરો એકઠા થતા જ મામલો કેટલાક સમય સુધી ગરમાઈ ચુક્યો હતો.
નેશનલ હાઈવે અને ખૂબ જ અવર જવર ધરાવતા મોતીપુરા સર્કલ વિસ્તારની આ ઘટનાને લઈ લોકોના ટોળા પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. આમ યુવક અને યુવતીની સલામતીને લઈ એલસીબી સહિતનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસનો મોટો કાફલો પહોંચ્યા બાદ બંનેને હોટલથી બહાર નિકાળીને પોલીસ વાનમાં બેસાડી પોલીસ સ્ટેશન લઈ જવાયા હતા. એ ડિવિઝન પોલીસ દ્વારા યુવક અને યુવતની પ્રાથમિક પૂછપરછ કરીને કાર્યવાહી કરી હતી.
આગામી સમયમાં લોકસભાની ચૂંટણી (Loksabha Election) યોજાવાની છે. જેને લઈને ગુજરાત ભાજપે કવાયત હાથ ધરી છે અને બેઠકોનો દૌર શરૂ થઈ ગયો છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને 2 દિવસ બેઠકો ચાલશે. સીએમ, પ્રદેશ ભાજપ પ્રમુખ અને સંગઠન મહામંત્રી ભાજપના લોકસભાના સાંસદો સાથે બેઠક કરશે.
આ બેઠકો દરમિયાન સાંસદોના પાંચ વર્ષના રિપોર્ટ કાર્ડ અંગે ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત કેન્દ્ર, રાજ્ય સરકારની યોજનાઓના અમલીકરણની સમીક્ષા થશે. તો જે તે લોકસભા વિસ્તારના પડતર પ્રશ્નો અંગે પણ ચર્ચા કરવામાં આવશે.
આણંદના ક્લેકટરની ક્લીપ વાયરલ કરનારા નાયબ મામલતદાર જેડી પટેલ કૌભાંડી હોવાનુ સામે આવ્યુ છે. જેડી પટેલ ક્લેકટર કચેરીમાં ફરજ બજાવવા દરમિયાન લાખો રુપિયા પડાવતો હોવાની ચર્ચાઓ સામે આવી છે. વિવાદીત જમીનોની ફાઈલો ક્લીયર કરવાના લાખો રુપિયા પડાવતો હોવાની ચર્ચાઓ થઈ રહી છે. વિવાદીત સિવાયની જમીનોમાં પણ જેડી પટેલ લાખો રુપિયા પડાવતો હતો.
જેડી પટેલ બાકરોલ રોડ પર આવેલા શાલીગ્રામ હિલ્સમાં બંગલો ધરાવે છે. અહીં બંગલો હોવો એ ખૂબ જ કિંમતી હોવાનુ માનવામાં આવે છે. જેડી પટેલે તેમની પત્નિ વિશાખા પટેલના નામે બંગલો ખરીદેલો છે. જેડી પટેલ કલેકટર કચેરીમાં જમીન એક ટેબલ પર ફરજ બજાવતો નાયબ મામલતદાર છે, જેનો મહિને ચાળીસ હજાર રુપિયાનો પગારમાં આટલો કિંમતી બંગલો કેવી રીતે ખરીદ્યો એ જ મોટો સવાલ છે.
દેવભૂમિ દ્વારકા પોલીસને આર્યુવેદિક સીરપના કેસમાં મોટી સફળતા મળી છે. અમદાવાદ બાદ પંજાબના સંગુરમાંથી વધુ એક ફેકટરી ઝડપી પાડી છે. દ્વારકા પોલીસે, પંજાબમાં જઇને ઓપરેશન પાર પાડ્યુ હતું. દ્વારકા જિલ્લામાં 25 હજારથી વધુ સીરપ પકડાયા બાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. જેનુ પગેરુ પંજાબ સુધી ખુલ્યુ હતું. પોલીસે પંજાબથી એક આરોપીની ધકપકડ પણ કરી છે.
ગુજરાત યુનિવર્સિટીની બદનક્ષીના કેસના વિવાદ મામલે, દિલ્લી CM અરવિંદ કેજરીવાલ અને સાંસદ સંજયસિંહ તરફથી સેશન્સ કોર્ટમાં અરજી કરાઈ હતી. રિવિઝન અરજીની તત્કાલ સુનાવણી માટે અરજી કરવામાં આવી હતી.
હાઇકોર્ટમાં દાખલ કેસની સુનાવણી 29 ઓગસ્ટે હોય તે પહેલા સુનાવણીની માંગ કરાઈ હતી. ગુજરાત યુનિવર્સિટી તરફથી અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહની તત્કાલ સુનાવણીની અરજી પર વાંધો ઉઠાવાયો હતો. બંને પક્ષે દલીલો સાંભળ્યા બાદ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો છે. આવતી કાલે કોર્ટ પોતાનો ચુકાદો જાહેર કરશે.
નૂહમાં થયેલી હિંસામાં સામેલ પાંચ આરોપીઓને ગ્રામજનોએ પોલીસને સોંપી દીધા છે. પોલીસે પહેલાથી જ બંને સમુદાયના લોકો સાથે બેઠક કરી હતી અને હિંસા કેસમાં દોષિતોને પોલીસને સોંપવાની અપીલ કરી હતી. જો તેમ કરવામાં નહીં આવે તો પોલીસ પોતાની રીતે કાર્યવાહી કરશે. વહીવટીતંત્રની આ અપીલની અસર એ છે કે હિંસામાં સામેલ પાંચ આરોપીઓને ગ્રામજનોએ પકડીને પોલીસને હવાલે કર્યા છે.
કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા ટૂંક સમયમાં ત્રિપુરા અને હિંસાગ્રસ્ત મણિપુરની મુલાકાત લઈ શકે છે. ત્રિપુરા પ્રદેશ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ધારાસભ્ય સુદીપ રોય બર્મને કહ્યું કે, મેં પ્રિયંકા ગાંધી વાડ્રા સાથે વાત કરી છે અને તેમનો ટૂંક સમયમાં મણિપુર અને ત્રિપુરાની મુલાકાત લેવાનો કાર્યક્રમ છે.
હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ ફરી એકવાર તબાહી મચાવી શકે છે. હિમાચલ પ્રદેશના હવામાન વિભાગે, રાજ્યના આઠ જિલ્લાઓમાં ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આ દરમિયાન ભૂસ્ખલન, અચાનક પૂર આવવુ અને વાદળ ફાટવાની ઘટનાઓ પણ બની શકે છે. આવી સ્થિતિમાં હવામાન વિભાગની સાથે સ્થાનિક પ્રશાસને લોકોને સાવચેતી રાખવાની અપીલ કરી છે. હવામાન વિભાગે 23-24 ઓગસ્ટે રાજ્યમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.
અમદાવાદ ACBએ, છોટા ઉદેપુર જિલ્લા સેવા સદનની DLIR કચેરીમાં જ અધિકારી રવિ ભાયાણીને રંગેહાથ ઝડપ્યો છે. રેતીની લીઝની માપણી અને હદ નિશાન બતાવવા માટે લાંચ માંગી હતી. એસીબીએ ગોઠવેલા છટકામાં DLIR ઓફિસનો સર્વે કરનાર અધિકારી લાંચ સ્વીકારતા રંગે હાથે ઝડપાઈ ગયો છે.
અમદાવાદ આરટીઓ કચેરીમાં ટેકનિકલ ખામી સર્જાતા ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક બંધ કરવામાં આવ્યો છે. પ્રાદેશિક વાહનવ્યવહર અધિકારીએ જણાવ્યું છે કે, ટેકનિકલ ખામી દૂર થતા ટેસ્ટ ટ્રેક કાર્યરત કરાશે. ટેસ્ટ ટ્રેક કાર્યરત થયા બાદ ડ્રાઈવિંગ ટેસ્ટ લેવામાં આવશે.
આણંદ જિલ્લાના પેટલાદ ચોકસી બજારમાં મકાન ધરાશાયી થયું હતું. જુના મકાનનો કેટલોક ભાગ પડી જતા વીજ વાયરોને નુકસાન થવા પામ્યું હતું. ઘટનાને પગલે પેટલાદના ઘણા વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ જવા પામ્યો હતો. ધડાકા ભેર મકાનનો ભાગ પડતા મકાનની આજુબાજુના રહીશોના ટોળે ટોળા ઉમટ્યા હતા. જો કે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી
અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર અકસ્માત સર્જાતા 9 લોકોએ જીવન ગુમાવ્યા હતા. ઘટનામાં અકસ્માત સર્જનારા આરોપી કાર ચાલક તથ્ય પટેલની જામીન અરજીના વિરુદ્ધમાં પોલીસ દ્વારા એફિડેવિટ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવી છે. પોલીસ દ્વારા વિસ્તૃત મુદ્દાસર જામીન ના આપવા જોઈએ એવી રજૂઆત કોર્ટ સમક્ષ કરવામાં આવી છે. ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ પોલીસે કોર્ટ સમક્ષ એફિડેવિટ રજૂ કરી છે અને જામીન નહીં આપવા જણાવ્યુ છે.
તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલ હાલ જેલમાં બંધ છે. બંનેએ અલગ અલગ જામીન અરજી કોર્ટમાં કરી છે અને જામીન માટે માગ કરી છે. બીજી તરફ પોલીસે પણ હવે તથ્ય પટેલના જામીન મંજૂર નહીં કરવા માટે થઈને તેના વિરુદ્ધમાં એફિડેવિટ કરી છે. મૃતકના કેટલાક પરિજનો પણ કોર્ટમાં આ મુદ્દે ઉપસ્થિત રહ્યા હતા. ગંભીર ગુનાને લઈ આવા કેસમાં તથ્યને જામીન હાલના તબક્કે નહીં આપવા માટે રજૂઆત કરી છે.
જ્યારે ચંદ્રયાન 3 ઉતરશે, PM મોદી 23 ઓગસ્ટે દક્ષિણ આફ્રિકાથી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ISROના કાર્યક્રમોને સંબોધિત કરશે
રાજકોટમાં મકાનમાંથી નિવૃત PSIનો મૃતદેહ મળ્યો હોવાની ઘટના સામે આવી છે. રાજકોટની સહકાર સોસાયટીમાં આવેલા મકાનમાંથી આ મૃતદેહ મળ્યો છે. નિવૃત PSI એમ.એચ.ટાંકનો આ મૃતદેહ હોવાનું સામે આવ્યું છે. ભક્તિનગર પોલીસ ઘટના સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે. PSI એકલા મકાનમાં રહેતા હતા તેવું પણ સામે આવ્યું છે.
રાજકોટમાં બેફામ કાર ચાલકનો આતંક હજુ પણ યથાવત છે. રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે સોમનાથ સોસાયટીમાં બેફામ કાર ચાલકે અકસ્માત સર્જ્યો છે.સ્કોર્પિયો ચાલકે અનેક બાઇકને અડફેટે લીધી છે.
આમ આદમી પાર્ટી (AAP) મુંબઈમાં યોજાનારી વિપક્ષી ગઠબંધન ભારતની બેઠકમાં ભાગ લેશે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ વાતની પુષ્ટિ કરી છે.
અમદાવાદમાં યોજાયેલી કોંગ્રેસની (Gujarat Congress) પદયાત્રા દરમિયાન પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ભાજપ પર નિશાન સાધ્યું. ભાજપ પર પ્રહાર કરતા શક્તિસિંહે કહ્યું કે- આમ આદમી પાર્ટી હોય કે ભાજપ અલગ-અલગ પક્ષના લોકો કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે. ભાજપ સાથે મોહભંગ બાદ કોંગ્રેસ સાથે સમાજના તમામ વર્ગના લોકો જોડાઈ રહ્યા છે. આ સિવાય શક્તિસિંહે જણાવ્યું છે લોકશાહીમાં જનતાના પ્રશ્નો જાણવા માટે પદયાત્રા જરૂરી છે.
મુંબઈ પૂણે હાઈવે પર એક ભયાનક અકસ્માત સર્જાયો છે. રાયગઢ જિલ્લામાં એક કન્ટેનર તેની ઝડપી ગતિથી નિયંત્રણ ગુમાવ્યું અને સામેની બીજી લેનમાં જતાં પલટી ગયું. કન્ટેનરની અડફેટે 5 કાર આવી ગઈ હતી. આ અકસ્માતમાં 2 લોકોના મોત થયા છે અને 4 લોકો ઘાયલ થયા છે.
સુરતમાં ફરી એક વાર મૃત બાળક મળી આવ્યું છે. શનિવારે સાંજના સમયે રાંદેરના કોઝવે નજીકના પાળા કિનારેથી એક નવજાત બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. નવજાત બાળકનું ધડ મળી આવ્યું હતું. કમરથી પગ વગરનો ધડવાળો મૃતદેહ મળી આવતા પોલીસ પણ આશ્ચર્યમાં પડી હતી. કોહવાઈ ગયેલી હાલતમાં મળી આવેલો મૃતદેહ બાળકનો છે કે બાળકીનો તે જાણી ના શકાતા અનેક પ્રશ્નો ઉભા થયા છે.
રાજકોટમાં TRB જવાનના બેફામ ઉઘરાણાનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. રાજકોટની ગ્રીનલેન્ડ ચોકડી પાસે ટ્રાફિક જવાને વાહન ચાલકને રોકીને રૂપિયા પડાવ્યા. TRB જવાને બે હજાર રૂપિયાના દંડનું કહીને 300 રૂપિયાની માગણી કરી. પહેલા TRB જવાને કહ્યું તમારે 2 હાજર ભરવા પડશે અને ત્યારબાદ કહ્યું જો 2 હજાર ના ભરવા હોય તો 300 રૂપિયા આપી દો.
ઉત્તરાખંડમાં ખાનગી બસ ખીણમાં ખાબકતાં ભાવનગરના 7 લોકોનાં મોત થયા છે. જેમાં કરણજી ભાટી નામનો 29 વર્ષીય યુવક પણ સામેલ છે. કરણજી ભાટીના મોતના સમાચાર સાંભળતાં જ પરિવારજનોમાં શોક છવાઈ ગયો છે. કરણજી ભાટી 3 સંતાનનો પિતા છે. તેનું મોત થતાં બે દીકરી અને એક દીકરાએ પિતાની છત્રછાયા ગુમાવી છે. કરણજીના સગાએ કહ્યું કે- પરિવારના કેટલાક સભ્યો મૃતદેહ લેવા દેહરાદૂન જવા રવાના થયા છે.
લોકસભા ચૂંટણીમાં AAP-કોંગ્રેસનું ગઠબંધન થાય કે ના થાય પરંતુ ગુજરાત AAPનું કોંગ્રેસમાં વિલીનીકરણ થઈ રહ્યું હોય એવી સ્થિતિ જોવા મળી રહી છે. AAP ગુજરાતના ત્રીજા ઉપપ્રમુખે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે. ગુજરાતના પ્રદેશ ઉપાધ્યક્ષ ભેમાભાઈ ચૌધરી કોંગ્રેસનો ખેસ શક્તિસિંહ ગોહિલના હસ્તે ધારણ કર્યો.
લોકસભા ચૂંટણી પૂર્વે આમ આદમી પાર્ટીના ગુજરાત યુનિટમાં ભંગાણ જોવા મળી રહ્યું છે. એકબાદ એક પાર્ટીના હોદ્દેદારો AAP છોડી કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે. અગાઉ બે ઉપ-પ્રમુખે પાર્ટી છોડ્યા બાદ વધુ એક ઉપપ્રમુખ ભેમાભાઈ ચૌધરીનો AAPથી મોહ ભંગ થતાં કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો. ભેમાભાઈ ચૌધરી AAP ગુજરાતના પાયાના વ્યક્તિ હતા. ગુજરાતમાં AAPને ઉભી કરવામાં તેમનો મહત્વનો ફાળો રહ્યો હતો. છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં દિયોદરથી AAP ના ઉમેદવાર હતા અને નજીવા મતોથી તેમની હાર થઈ હતી.
ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટન પહેલા ‘અવધપુરી’ને સજાવવાના નિર્દેશ આપ્યા છે.
Maharashtra: રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા શરદ પવારે (Sharad Pawar) ફરી એકવાર અજિત પવારના જૂથ પર પ્રહારો કર્યા છે. પૂણેમાં એક કાર્યક્રમને સંબોધતા તેમણે કહ્યું કે જે લોકો ભારતીય જનતા પાર્ટી સાથે ગયા છે અને જેઓ કહી રહ્યા છે કે તેઓ રાજ્યના વિકાસ માટે ત્યાં ગયા છે તેઓ ખોટું બોલી રહ્યા છે. શરદ પવારનું આ નિવેદન મહારાષ્ટ્રના રાજકારણમાં પણ ધૂંધળું ચિત્ર સાફ કરી રહ્યું છે. વાસ્તવમાં, શરદ પવાર અજિત પવારને સતત મળી રહ્યા હતા, આવી સ્થિતિમાં કોંગ્રેસ અને શિવસેના બંનેને શંકા હતી કે તેઓ પણ ભાજપ સાથે નહીં જાય. જો કે પવાર પહેલાથી જ સ્પષ્ટ કરી ચૂક્યા છે કે તેઓ વિપક્ષી પાર્ટીઓના ગઠબંધન ભારત સાથે જ રહેશે અને ભાજપમાં જોડાવાનો તેમનો કોઈ ઈરાદો નથી.
યુએસએના ન્યુયોર્કમાં 41મી વાર્ષિક ભારત દિવસ પરેડની ઉજવણી ચાલી રહી છે. શ્રી શ્રી રવિશંકર, અભિનેત્રી સામંથા પ્રભુ, જેકલીન ફર્નાન્ડીઝ, ન્યુયોર્ક સિટીના મેયર એરિક એડમ્સ અને અન્ય લોકોએ પરેડમાં ભાગ લીધો હતો.
#WATCH | Celebrations underway at the 41st Annual India Day Parade in New York, USA
Sri Sri Ravi Shankar, Actors Samantha Prabhu, Jacqueline Fernandez, New York City Mayor Eric Adam, and others are attending the parade. pic.twitter.com/pOiJF165Lm
— ANI (@ANI) August 20, 2023
બ્રાઝિલમાં ફૂટબોલ ફેન્સને લઈ જતી બસ સાથે માર્ગ અકસ્માત થયો હતો. આ દુર્ઘટનામાં સાત લોકોના મોત થયા છે અને અન્ય 27 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મિનાસ ગેરાઈસ રાજ્યમાં બેલો હોરિઝોન્ટે નજીક હાઈવે પર આ અકસ્માત થયો હતો.
Rajkot: રાજકોટમાં દીકરીઓના ભાગીને પ્રેમલગ્ન કરવાનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો. એક કાર્યક્રમમાં SPGના અધ્યક્ષ લાલજી પટેલે કહ્યું કે અસામાજીક તત્વો દીકરીને લલચાવી-ફોસલાવીને ભગાડી જાય છે. જ્યારે દીકરી ભાગી જાય ત્યારે માતા-પિતાની સ્થિતિ સમાજમાં ફફોડી બને છે. આ ચિંતા એકલા પાટીદાર સમાજની નથી. પરંતુ સર્વ સમાજના લોકો દીકરીઓના ભવિષ્યને લઈને ચિંતિત છે. SPGના અધ્યક્ષ લાલજી પટેલ લગ્ન નોંધણી સમયે માતા-પિતાની સહી ફરજિયાત કરવાની માગણી કરી. થોડા દિવસો પૂર્વે CM ભૂપેન્દ્ર પટેલે પણ કાયદામાં સુધારો કરવા મુદ્દે હકારાત્મક સંકેત આપ્યા હતા.
Published On - 5:57 am, Mon, 21 August 23