સોમનાથ મંદિર આસપાસ તાણી બંધાયેલા મકાનો સામે વહેલી સવારે તંત્ર દ્વારા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ભોંયવાડા અને દિગ્વિજય નજીકના વિસ્તારમાં ધાર્મિક સ્થળ સહિત એક ધાર્મિક સ્થળ, ત્રણ દુકાન અને એક મકાનનું ડિમોલિશન કરાયું હતું. તમામ મિલકતો કોરિડોર પ્રોજેક્ટમાં આવતી હોવાની ચર્ચા છે અને મિલકતોના દસ્તાવેજ તેમજ વળતરની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હોવાની માહિતી છે. કાર્યવાહી દરમિયાન DySP, 3 PI, 6 PSI સહિત 85 પોલીસકર્મીઓનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો. પોલીસ અને મામલતદાર સહિતની ટીમની હાજરીમાં સમગ્ર ડિમોલિશન કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ભાવનગરમાં કૂવામાં પડતાં ત્રણ યુવકોના રહસ્યમય મોતના મામલે રાજ્ય સરકાર એક્શનમાં આવી છે. ડેપ્યુટી CM હર્ષ સંઘવીએ અમદાવાદ એરપોર્ટ પર ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી, જેમાં DGP જી.એસ. મલિક, લો એન્ડ ઓર્ડર DGP રાજકુમાર પાંડિયન, IBના વડા અશોકકુમાર યાદવ અને અમદાવાદ પોલીસ કમિશનર સાથે સમગ્ર મામલે ચર્ચા કરવામાં આવી હતી. SMCના SPને તાત્કાલિક ભાવનગર મોકલવામાં આવ્યા છે. સમગ્ર તપાસ બાદ ગૃહ વિભાગ દ્વારા આજે કોઈ મોટો નિર્ણય લેવાય તેવી શક્યતા છે.
હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં આગામી 7 દિવસ દરમિયાન મધ્યમથી ભારે વરસાદી માહોલ રહેવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં સુરત, નવસારી, વલસાડ, તાપી અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે. ગુજરાત પર હાલ 4 વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે. ઉત્તર ગુજરાતમાં હળવો વરસાદ જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છમાં છૂટોછવાયો વરસાદ વરસી શકે છે.
મહેસાણામાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા હાઈવે પર આવેલી હોટલ અને રેસ્ટોરન્ટમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન અનેક રેસ્ટોરન્ટમાં ગંદકી અને રસોડામાં ભારે અસ્વચ્છતા જોવા મળતા તંત્ર લાલઘૂમ બન્યું હતું. લાયસન્સ વગર ચાલતી ત્રણ હોટલોને સીલ કરવામાં આવી હતી, જ્યારે નિયમોનું ઉલ્લંઘન કરનારા તમામ એકમોને નોટિસ ફટકારવામાં આવી છે. બેદરકારી દાખવનારા હોટલ સંચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરવાની પણ તજવીજ હાથ ધરવામાં આવી રહી છે.
ઉત્તર પ્રદેશમાં સતત વરસાદને કારણે અનેક જિલ્લાઓમાં નદીઓ વહેવા લાગી છે. પ્રયાગરાજ, સોનભદ્ર, મિર્ઝાપુર, બાંદા, મહોબા, બિજનૌર અને અન્ય જિલ્લાઓમાં વરસાદ અને પૂરના કારણે સ્થિતિ વધુ ખરાબ થઈ છે. વરસાદ સંબંધિત અલગ-અલગ અકસ્માતોમાં, 6 લોકો નદીમાં વહી જવાના અહેવાલ અને જોરદાર પ્રવાહમાં, જ્યારે 10 લોકોએ જીવ ગુમાવ્યા. પ્રશાસન અને રાહત ટીમો અસરગ્રસ્ત વિસ્તારોમાં સક્રિય છે.
આજે વહેલી સવારે કોલકાતામાં એક મોટી દુર્ઘટના બની. ન્યુ માર્કેટ વિસ્તારમાં ફ્રી સ્કૂલ સ્ટ્રીટ પર એક હોટલમાં ભીષણ આગ લાગી હતી, જેમાં અંદર ફસાયેલા નવ લોકોના મોત થયા હતા.
નાઇજીરીયામાં ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. વરસાદી પાણીના ભારે પ્રવાહને કારણે હોસ્પિટલના પાયાનું ધોવાણ થતાં ઇમારત ધરાશાયી થઈ હતી. જોકે, સ્થાનિક તંત્રની સમયસૂચકતાના કારણે હોસ્પિટલને અગાઉ જ ખાલી કરાવી દેવામાં આવી હતી, જેના પગલે મોટી દુર્ઘટના ટળી હતી. હોસ્પિટલમાં તે સમયે અનેક દર્દીઓ સારવાર હેઠળ હતા.
શીતલ રેસ્ટોરન્ટમાં થયેલા ફૂડ પોઈઝનિંગ કાંડ બાદ સુરતનું આરોગ્ય અને ફૂડ સેફ્ટી વિભાગ એલર્ટ મોડમાં આવ્યું છે. શહેરના તમામ 9 ઝોનમાં અલગ-અલગ ટીમો બનાવી હોટલ-રેસ્ટોરન્ટમાં સઘન ચેકિંગ હાથ ધરાયું હતું. કુલ 330 હોટલ-રેસ્ટોરન્ટની તપાસ દરમિયાન 1,641.7 કિલો નાશવંત ખાદ્ય પદાર્થો મળી આવ્યા હતા. નિયમોના ભંગ બદલ 208 નોટિસ ફટકારવામાં આવી, જ્યારે 17 હોટલ-રેસ્ટોરન્ટ બંધ કરાયા છે. સમગ્ર કાર્યવાહી દરમિયાન કુલ ₹4,17,500નો દંડ વસૂલવામાં આવ્યો છે.
આજે 19 ઓગસ્ટને બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
Published On - 7:45 am, Wed, 19 August 26