
આજે નિફ્ટીની શક્ય દિશા – ઉપર તરફ [આજે બંધ થવાના સમયે દોજી મીણબત્તી બની શકે છે.]
વડોદરાની અણખોલ ગામ નજીક ગટરના કામ દરમિયાન બે કર્મચારીઓનું મોત થયાની ઘટના બની છે. અકસ્માત દરમિયાન કર્મચારીઓને કોઈપણ પ્રકારની સલામતી ઉપાયો આપવામાં આવ્યા ન હતા, જેના કારણે મૃતક શ્રમિકના પિતરાઈ ભાઈએ ફરિયાદ નોંધાવી છે. પ્રોજેક્ટ મેનેજર અને લાઈનમેન ગટર કામગીરી દરમિયાન ડ્રેનેજના ખાડામાં ખાબક્યા અને ઝેરી ગેસથી મોત પામ્યા હતા. પોલીસએ માનવ વધના ગુનાનો કેસ દાખલ કરીને તપાસની કામગીરી શરૂ કરી છે.
જૂનાગઢમાં આસ્થાના મિની મહાકુંભ સમાન મેળામાં વિવાદોની હારમાળા ચાલુ રહી છે. કીર્તિ પટેલ બાદ હવે મૃગી કુંડમાં સ્નાન મુદ્દે વધુ એક વિવાદ ઉભો થયો છે. સાધુ-સંતો માટે નિર્ધારિત સ્નાન દરમિયાન PI વરીયાએ બેરિકેડિંગ તોડીને મૃગી કુંડમાં ડૂબકી લગાવ્યાનો આક્ષેપ થતાં સવાલો ઊભા થયા છે. માત્ર સાધુ-સંતોને જ સ્નાનની મંજૂરી હોવા છતાં PI વરીયાને એન્ટ્રી કેવી રીતે મળી તે મુદ્દે ચર્ચા તેજ બની છે.
વડોદરાઃ શહેરની 2 ખાનગી સ્કૂલોને બોંબથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ઊર્મિ વિધાલય અને ડી.આર.અમીન સ્કૂલને ધમકી મળી. ડી.આર.અમીન સ્કૂલને બ્લાસ્ટથી ઉડાવી દેવાની બીજીવાર ધમકી આપી. અગાઉ કલેક્ટર કચેરીને પણ ઉડાવી દેવાની ધમકી મળી હતી.
જુનાગઢ ખાતે મહાશિવરાત્રીના મહામેળાની વિધિવત પૂર્ણાહુતિ મૃગીકુંડમાં સાધુઓના પવિત્ર સ્નાન સાથે થઈ હતી. પાંચ દિવસ દરમિયાન 25 લાખથી વધુ શ્રદ્ધાળુઓ ભવનાથ મહાદેવ ટેમ્પલ ખાતે ઉમટ્યા હતા. મૃગીકુંડમાં સ્નાન પહેલાં ભવનાથ વિસ્તારમાં સાધુઓની ભવ્ય રવેડી નીકળી હતી, જેમાં વિવિધ અખાડાના સાધુઓએ અદભૂત કરતબો દર્શાવતા ભક્તોને મંત્રમુગ્ધ કર્યા હતા.
ગુજરાત રાજ્યમાં ધીમે ધીમે ઉનાળાની શરૂઆત થઈ રહી છે અને 12 શહેરોમાં તાપમાનનો પારો 34 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. પશ્ચિમી વિક્ષેપના અસરથી સવારે હજી પણ હળવી ઠંડીનો અહેસાસ થાય છે. સૌથી વધુ તાપમાન ડીસામાં 35.8 ડિગ્રી નોંધાયું છે. આગાહી મુજબ આવતા થોડા દિવસોમાં અમદાવાદનું તાપમાન પણ 35 ડિગ્રીને પાર પહોંચવાની શક્યતા છે.
અભિનેત્રી તમન્ના ભાટિયા અને સારા અર્જુને તમિલનાડુના કોઈમ્બતુરમાં ઈશા યોગ કેન્દ્રમાં મહાશિવરાત્રી 2026ની ઉજવણીમાં ભાગ લીધો હતો.
#WATCH | Actors Tamannaah Bhatia, Sara Arjun attended the Mahashivratri 2026 celebrations at the Isha Yoga Centre in Coimbatore, Tamil Nadu pic.twitter.com/Vw6QE75Drt
— ANI (@ANI) February 16, 2026
અમદાવાદ શહેરના મણિનગર નજીક ગોરના કુવા વિસ્તારમાં બેકાબૂ બનેલી લક્ઝરી બસ અચાનક દુકાનમાં ઘૂસી જતાં ભારે અફરાતફરી મચી હતી. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી, પરંતુ દુકાનને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. બસ કેવી રીતે બેકાબૂ બની તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.
પીએમ મોદી આજે AI ઇમ્પેક્ટ સમિટનું ઉદ્ઘાટન કરશે. ભારત મંડપમ ખાતે યોજાનારી આ સમિટમાં ભારત અને વિશ્વની અનેક અગ્રણી હસ્તીઓ ભાગ લેશે અને AI ની અસર પર ચર્ચા કરશે.
ગુજરાત વિધાનસભાના બજેટ સત્રની આજથી શરૂઆત થઈ રહી છે. સત્રની શરૂઆત બપોરે 12 વાગ્યે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સંબોધનથી થશે.. જે બાદ ગૃહમાં શોક પ્રસ્તાવ રજૂ કરાશે.. ત્યારબાદ વિધાનસભાના ઉપાધ્યક્ષ પદ માટેની ચૂંટણી થશે.
આજે 16 ફેબ્રુઆરીને સોમવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…
Published On - 7:31 am, Mon, 16 February 26