ઈરાનના સુપ્રીમ લીડર મુજ્તબા ખામેનેઈને લગતી તાજેતરની જાણકારીમાં ચોંકાવનારા દાવાઓ સામે આવ્યા છે. બ્રિટિશ અખબાર ‘ધ સન’ દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે સુપ્રીમ લીડર ખામેનેઈ હાલમાં કોમામાં છે અને તેમના એક પગ કપાઈ ગયો છે. અખબારના મુજબ ખામેનેઈના પેટ અને લિવર પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયાં છે. જોકે, ગયાકાલે જ મુજ્તબા ખામેનેઈનો પહેલો સંદેશ જાહેર થયો હતો, જેનાથી તેમની તબીયત અંગે વિવિધ ચર્ચાઓની શરૂઆત થઈ છે. સુપ્રીમ લીડરના સંદેશ બાદ બ્રિટિશ અખબારના આ દાવાએ આંતરરાષ્ટ્રીય સ્તરે ખલાસ અને ચર્ચા જાગી છે.
બનાસકાંઠા જિલ્લાના ધાનેરા વિસ્તારમાં નેનાવા બોર્ડર નજીક લક્ઝરી બસમાં વિકરાળ આગ લાગવાની દુર્ઘટના સામે આવી છે. રાજસ્થાનથી અમદાવાદ જઈ રહેલી બસમાં અચાનક આગ ભભૂકી ઊઠતાં મુસાફરોમાં અફરાતફરી મચી ગઈ હતી. પ્રાથમિક માહિતી મુજબ બસમાં શોર્ટસર્કિટના કારણે આગ લાગી હોવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તરત જ સ્થળ પર પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આ દુર્ઘટનામાં 7 મુસાફરો ઘાયલ થયા હતા, જેમાંથી એકનું સારવાર દરમિયાન મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે અન્ય 6 ઘાયલોને વધુ સારવાર માટે ધાનેરાની રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે
જૂનાગઢના ગિરનાર પર્વત પર આવેલા અંબાજી મંદિરનો વધુ એક વીડિયો વાયરલ થયો છે. મંદિરના CCTV ફૂટેજમાં પૂજારી દાનપેટીમાંથી રૂપિયાની ચોરી કરતા નજરે પડે છે. કાઠી ક્ષત્રિય સમાજના આગેવાન મહિપાલસિંહ બસિયાએ આ વીડિયો વાયરલ કરી..આક્ષેપ કર્યો છે કે મંદિર આ પ્રકારની પ્રવૃત્તિ ચલાવી ન લેવાઈ. સીસીટીવી માં દેખાતા કુંદનગીરી અને દુષ્યંત ગીરી નામના પૂજારી હોવાનું ઉલ્લેખ કરાયો છે..અને પ્રાંત અધિકારી અને વહીવટદારને પૂજારી સામે કાર્યવાહી કરવા માગણી કરવામાં આવી છે
વડોદરા શહેરમાં મોડી રાત્રે ફાયરિંગની ઘટના સામે આવી છે. કાકા સાહેબ ટેકરા નજીક જીઆઈએસએફના એક કર્મચારીએ હવામાં ફાયરિંગ કર્યું હોવાની માહિતી મળી છે. ઘટનાની જાણ થતા જ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને તપાસ દરમિયાન આરોપી પાસેથી બંદૂક તથા કારતૂસ જપ્ત કરવામાં આવ્યા હતા. પ્રાથમિક માહિતી મુજબ ફાયરિંગ કરનાર વ્યક્તિ નશાની હાલતમાં હતો એવી માહિતી મળી રહી છે. હાલ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
વડાપ્રધાન મોદી એ ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન સાથે તાજેતરની યુદ્ધ જેવી સ્થિતિ અંગે ફોન પર વાતચીત કરી. બન્ને નેતાઓએ વિસ્તારમાં વધતા તણાવ અને તેની અસર અંગે ચર્ચા કરી. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે વિદેશમાં રહેલા ભારતીય નાગરિકોની સુરક્ષા ભારત સરકાર માટે સૌથી મોટી પ્રાથમિકતા છે. તેમણે યુદ્ધમાં થયેલા જાનહાનિ અને સંપત્તિના નુકસાન અંગે ચિંતા વ્યક્ત કરી. સાથે જ તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ભારત હંમેશા શાંતિ અને સંવાદ દ્વારા સમસ્યાનો ઉકેલ લાવવા માટે સમર્થન આપે છે.
આજે 13 માર્ચના શુક્રવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. ત્યારે તમામ અપડેટ્સ તેમજ આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
Published On - 7:22 am, Fri, 13 March 26