સુરત નાસીર નગર ડીમોલેશન વિવાદ મામલે નવો વળાંક સામે આવ્યો છે. તેજુ રાજપુત સુરત મહાનગરપાલિકાનો કોન્ટ્રાક્ટર છે. શ્રીરામ એજન્સીનો માલિક છે તેજુ રાજપુત. મોટો ખુલાસો થયો કે બધાની મીલીભગતથી આ ડીમોલેશન થયું. SMC અધિકારી સુજલ પ્રજાપતિ અને તેજુ રાજપૂત જગ્યા પર ભેગા હતા. તેજુ રાજપૂતે મોસીન ફ્રુટવાળા પાસે મંગાવ્યું હતું જેસીબી. આ આખા મામલામાં સૌથી મોટો રોલ ભજવ્યો હોય તો તે છે સુજલ પ્રજાપતિ.
SMC ની તપાસ કમિટી પર પણ સવાલો ઉભા થઇ રહ્યા છે. ચાર દિવસ વીતી ગયા છતાં પણ કોઈ નક્કર કાર્યવાહી સામે નથી આવી રહી.
રાજકોટના શહેરીજનોને મળશે નવા બ્રિજની ભેટ. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાંઢિયા પુલનું લોકાર્પણ કરશે. લોકાર્પણ થતાની સાથે જ હજારો વાહન ચાલકોને ટ્રાફિકની સમસ્યામાંથી મળશે મુક્તિ. દરરોજ આશરે 70 હજાર થી 1 લાખ જેટલા વાહન આ બ્રિજ પરથી થાય છે પસાર. કુલ 74.32 કરોડ રૂપિયાના ખર્ચે સાંઢિયા પુલનું નવ નિર્માણ. છેલ્લાં 2 વર્ષ જેટલા સમયથી સાંઢિયા પુલનું ચાલતુ હતું કામ. 15 માર્ચ 2024ના દિવસે બ્રિજનું નિર્માણ કરાયુ હતુ શરુ.
Flipkart પર ઓનલાઇન ઓર્ડર કરી પ્રોડક્ટ મંગાવતા લોકો માટે ચેતવણી રૂપ કિસ્સો સામે આવ્યો છે. સુરત જિલ્લામાં કામરેજમાં બ્રાન્ડેડ અને ઓરિજનલ પ્રોડક્ટના નામે નકલી સામાન પધરાવવાનું મોટું નેટવર્ક પકડાયું છે.
કામરેજ ખાતે Flipkart ના વેર હાઉસમાં બેઠેલા શખ્સો અસલી પ્રોડક્ટ કાઢી લેતા અને પેકિંગમાં ડુપ્લીકેટ વસ્તુ ભરીને ગ્રાહકોના ઘરે મોકલી આપતા હતા. એક ગ્રાહકે એપલ કંપનીનું ડુપ્લીકેટ લેપટોપ રીટર્ન કરતા Flipkart ના ટીમ લીડરના ધ્યાને આવતા તે કામરેજ ખાતે દોડી આવ્યા. વેર હાઉસના CCTV ચેક કરતા કોઈ ડેટા ના મળી આવ્યા. હાજર સ્ટાફની પૂછતાછ કરતા તેઓ સમગ્ર બાબતની અજાણ હોવાનું નાટક કર્યું. વેર હાઉસના રહેલ પ્રોડક્ટો ચેક કરતા 7 લેપટોપ, 9 મોબાઈલ, અને 105 પ્રોસેસર સહિત કુલ 170 એવી વસ્તુઓ છે જે ડુપ્લીકેટ નીકળી જેની કિંમત 82.73 લાખ થાય છે. આખરે સમગ્ર ઘટના ની જાણ કામરેજ પોલીસને કરાઈ. કામરેજ પોલીસે વેન્ડર, ડીલેવરી બોય સહિત કુલ પાંચ સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી
અમદાવાદના ઓઢવમાં જય કેમિકલ કંપની પાસે કચરામાં લાગી આગ. ભીષણ આગની ઘટનામાં એકનું વ્યક્તિનું મૃત્યુ થયું છે. કચરાના ઢગલામાં લાગેલી આગ પર કાબૂ મેળવાયો છે. આગ કાબૂમાં લીધા બાદ તપાસમાં વ્યક્તિનો મૃતદેહ મળ્યો. મૃતક વ્યક્તિનું નામ પ્રતાપ ઠાકોર હોવાનું સામે આવ્યું છે. પોલીસે મકસ્માત મોતનો ગુનો નોંધી શરૂ કરી તપાસ.
માર્શલ આઇલેન્ડ્સના ધ્વજવાળા જહાજ પર હુમલો થયો હોવાના અહેવાલ સામે આવ્યા છે. આ જહાજમાં ઘણા ભારતીય ક્રૂ સભ્યો છે. એક ક્રૂ મેમ્બરે દાવો કર્યો છે કે. જહાજ પર થયેલા હુમલામાં ચાર ભારતીયોના મોત થયા છે. જો કે, હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ મળી નથી. લિયાકી ફ્રીડમ પર હુમલાનો અહેવાલ સાચો સાબિત થાય છે, તો તે એક જ અઠવાડિયામાં આવી ચોથી ઘટના હશે.લિયાકી ફ્રીડમ એક તેલ ટેન્કર છે જે આજે સવારે ઓમાનના દરિયાકાંઠે શિનાસ બંદર પર પહોંચ્યું હતું.
વડોદરાના ગોત્રી વિસ્તારમાં MGVCLની વીજ ડીપી અચાનક રોડ પર ધરાશાયી થતા 2 વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા છે. ગોત્રી પોલીસ સ્ટેશનથી બનસલ મોલ તરફના માર્ગ પર સર્જાઈ ઘટના. લાભ આઈકોન બિલ્ડિંગ સામે ભારે વીજ ડીપી પડતા અફરાતફરીનો માહોલ. રસ્તેથી પસાર થઈ રહેલા બે લોકો ડીપીની ઝપેટમાં આવી ઈજાગ્રસ્ત. સ્થાનિક લોકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ અને પોલીસ ટીમ સ્થળે પહોંચી. વીજ ડીપી રોડ પર પડતાં વાહનવ્યવહાર સંપૂર્ણ ખોરવાયો. માર્ગ પર વાહનોની લાંબી કતારો સાથે ભારે ટ્રાફિક જામ સર્જાયો. MGVCL અને પોલીસ દ્વારા ડીપી હટાવી સ્થિતિ સામાન્ય કરવાની કામગીરી શરૂ.
રોઇટર્સના અહેવાલ મુજબ, ઈરાનના વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચીએ શુક્રવારે જણાવ્યું હતું કે, અમેરિકા સાથે પરમાણુ વાટાઘાટો ફક્ત પછીના તબક્કામાં જ થશે અને પ્રસ્તાવિત વચગાળાના કરાર લાગુ ન થાય ત્યાં સુધી આગળ વધશે નહીં. સરકારી ટેલિવિઝન દ્વારા આ માહિતી આપવામાં આવી હતી. અબ્બાસ અરાઘચીએ નોંધ્યું હતું કે વચગાળાના કરારમાં હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલવાનો અને અનેક મોરચે સંઘર્ષોનો અંત લાવવાનો સમાવેશ થશે. તેમણે એ પણ ઉલ્લેખ કર્યો હતો કે, હજુ સુધી કોઈ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા નથી અને શરતો હજુ પણ બદલાઈ શકે છે. અરાઘચીએ જણાવ્યું હતું કે, હોર્મુઝ સ્ટ્રેટનું સંચાલન યુદ્ધ પહેલાની સ્થિતિ પર પાછું નહીં ફરે. ઈરાન અને ઓમાન સ્ટ્રેટ પર અધિકારો ધરાવે છે, અને ઈરાન તેમાંથી જહાજોના સુરક્ષિત માર્ગની ખાતરી કરશે.
આજે 13 જૂનને શનિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
Published On - 7:10 am, Sat, 13 June 26