
દાહોદમાં એક જ પરિવારના 5 ભાઈઓના મકાનમાં આગ લાગી છે. સીંગવડ તાલુકાના બારેલા ગામમાં આગ લાગવાની ઘટના બની છે. મળતી માહિતી અનુસાર ગત મોડી રાત્રે એક લાઈનમાં આવેલા 5 મકાનમાં એકાએક આગ ભડકી હતી. સમયસર તમામ પરિવારજનો બહાર નીકળી જતા આબાદ બચાવ કરવામાં આવ્યો છે. મકાનમાં બાંધેલા ચાર બકરા આગની ઝપેટમાં આવતા મોત થયા છે.
મહારાષ્ટ્રના સમૃદ્ધિ હાઈવે પર જોખમી બમ્પને કારણે ભયાનક અકસ્માત સર્જાયો છે. કાર સ્પીડ બમ્પથી હવામાં ઉછળીને ડિવાઈડર સાથે અથડાતા આગ લાગી હતી. ગણતરીના સેકેન્ડોમાં જ કારમાં ભીષણ આગ લાગી હતી. સદનસીબે કારમાં સવાર તમામ લોકોનો ચમત્કારીક બચાવ થયો છે. લહુકી જંકશન પર કર્માડ તરફ જતા દરમિયાન કારને અકસ્માત નડ્યો છે. કારચાલકને બમ્પનો અંદાજ ન આવતા ડિવાઈડર સાથે અથડાઈ કાર હતી. કારમાં અચાનક આગ લાગતા સમયસર મુસાફરો નીચે ઉતરી ગયા હતા.
ગોવાના નાઈટ ક્લબમાં આગ મામલે ક્લબના એક માલિકની ધરપકડ કરવામાં આવી છે. આરોપી અજય ગુપ્તાની પોલીસે ધરપકડ કરી છે. જ્યારે ક્લબના 4 માલિકો પૈકી એક અજય ગુપ્તાની દિલ્લીથી ધરપકડ કરવામાં આવી છે. ક્લબના 2 માલિકો સૌરભ લૂથરા અને ગૌરવ લૂથરાની શોધખોળ હાથ ધરી છે. ફરાર આરોપીઓ સામે બ્લૂ કોર્નર નોટિસ જાહેર કરવામાં આવી છે. ગોવાના નાઈટ ક્લબમાં આગમાં 25 લોકોના મોત થયા હતા.
ઈન્ડિગો સંકટ બાદ કેન્દ્ર સરકારની મોટી કાર્યવાહી
ઈન્ડિગોની ઉડાનની સંખ્યામાં 10% ઘટાડાના કેન્દ્ર સરકારના આદેશ
રિફંડ અને પ્રવાસીઓનો સામાન ઝડપી પહોંચાડવાનો કડક આદેશ
DGCA ઈન્ડિગોને 8 ડિસે. મોકલેલ નોટિસની સમીક્ષા કરી
મંત્રાલયે નોંધ્યું કે ઈન્ડિગો એરલાઈન્સ મોટાપાયે ફ્લાઈટ કેન્સલેશનને સંભાળી ન શકી
રિપોર્ટમાં જણાવાયું કે એરલાઈન્સ વિમાન અને પાયલોટ ક્રૂની યોગ્ય વ્યવસ્થા ન કરી શકી
સરકારે આદેશ આપ્યા કે ઈન્ડિગોના શિયાળુ શિડ્યુલમાં 10% ઘટાડો કરાય
આજે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળવાની છે. જેમાં વિવિધ મુદ્દે ચર્ચા કરવામાં આવશે. ટેકાના ભાવે મગફળી સહિતની જણસની ખરીદીની સમીક્ષા થશે. તેમજ રાજ્યમાં ખાતરની અછત અંગે કેબિનેટ બેઠકમાં ચર્ચા થશે . રાહત પેકેજ માટે થયેલી અરજીઓની પણ સમીક્ષા કરાશે. અમદાવાદના સુભાષ બ્રિજમાં તિરાડો અંગે માહિતી રજૂ કરવામાં આવશે.
ઈરાકમાં ભારે વરસાદથી તબાહી મચી છે. કુર્દિસ્તાન વિસ્તારમાં પડેલા વરસાદથી પૂરની સ્થિતિ સર્જાઈ છે. અનેક જગ્યાઓએ પાણી ભરાયા છે. પૂરને કારણે બે લોકોના મોત થયા છે. તેમજ અનેક વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. તો સમગ્ર મધ્ય-પૂર્વ વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ઇન્ડોનેશિયાની રાજધાની જકાર્તામાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. જકાર્તામાં 7 માળની ઇમારતમાં ભીષણ આગ લાગતા 22 લોકોના મોત થયા છે. જે મૃતકોમાં 15 મહિલા અને 5 પુરૂષોનો સમાવેશ થયો છે.
આજે 10 ડિસેમ્બરને બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
Published On - 7:55 am, Wed, 10 December 25